Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપ્રધાનમંત્રી મોદીના કેરળ પ્રવાસ પહેલા 'જોની' નામથી આત્મઘાતી હુમલાની ધમકી આપનાર 'ઝેવિયર'...

    પ્રધાનમંત્રી મોદીના કેરળ પ્રવાસ પહેલા ‘જોની’ નામથી આત્મઘાતી હુમલાની ધમકી આપનાર ‘ઝેવિયર’ કોચીથી પકડાયો: પાડોશીને ફસાવવા લખ્યું હતું ખોટું નામ

    જોનીએ પહેલેથી જ દાવો કર્યો હતો કે ઝેવિયર દ્વારા જ આ પત્ર લખાયો હશે. જોનીએ પોલીસ સમક્ષ તેની ચિંતાઓ જાહેર કરી હતી. જોનીએ અનુમાન લગાવ્યું કે ઝેવિયરે તેનો બદલો લેવા માટે આ કર્યું હશે.

    - Advertisement -

    કેરળની મુલાકાત દરમિયાન PM મોદીને જાનથી મારી નાખવાની ધમકી સાથે ભાજપ પ્રદેશ સમિતિના કાર્યાલયને પત્ર લખનાર વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે. 24 એપ્રિલે કેરળની મુલાકાતે આવનાર વડા પ્રધાન પર આત્મઘાતી બોમ્બ હુમલો કરવાની ધમકીભર્યો પત્ર તૈયાર કરવાના સંબંધમાં કેરળ પોલીસે રવિવારે કોચીના વતની ઝેવિયરની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર જેવિયર દ્વારા વ્યક્તિગત અદાવતમાં આ પત્ર કથિત રીતે જ્હોનીના નામથી મોકલવામાં આવ્યો હતો, જે કોલોર, કોચીના વતની છે, જેની ગઈકાલે પૂછપરછ કરવામાં આવી હતી. તેના લખાણને વૈજ્ઞાનિક રીતે તપાસ્યા બાદ તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.

    અહેવાલો મુજબ, જોનીએ પહેલેથી જ દાવો કર્યો હતો કે ઝેવિયર દ્વારા જ આ પત્ર લખાયો હશે. જોનીએ પોલીસ સમક્ષ તેની ચિંતાઓ જાહેર કરી હતી. જોનીએ અનુમાન લગાવ્યું કે ઝેવિયરે તેનો બદલો લેવા માટે આ કર્યું હશે. આ તપાસના આધારે ઝેવિયર આરોપી હોવાનું જાણવા મળ્યું હતું.

    PM મોદીને જાનથી મારવાની આપી હતી ધમકી

    આ અઠવાડિયાની શરૂઆતમાં, PM મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપતો પત્ર ભારતીય જનતા પાર્ટી (BJP) રાજ્યના મુખ્યાલયને પહોંચાડવામાં આવ્યો હતો. નોંધનીય છે કે સોમવારે PM મોદી કેરળની મુલાકાત લેવાના છે. પત્રમાં ફોન નંબર હતો અને જોસેફ જ્હોનની સહી હતી. તપાસ દરમિયાન એર્નાકુલમના કથરીકાદાવુનો વતની એનજે જોની જોસેફ જોન હોવાનું જાણવા મળ્યું હતું. પૂછપરછ કર્યા પછી, જોનીએ સ્પષ્ટ કર્યું કે આ પત્ર તેનો નથી. તેણે પોલીસને પણ જાણ કરી હતી કે તેને ઝેવિયર પર શંકા છે.

    - Advertisement -

    જોનીના આરોપોના આધારે પોલીસે અગાઉ ઝેવિયરની પૂછપરછ કરી હતી. તેણે આરોપને નકારી કાઢ્યા પછી પત્રના લખાણની વૈજ્ઞાનિક રીતે તપાસ કરવામાં આવી.જે બાદ એ સ્પષ્ટ હતું કે ઝેવિયરે જ જોનીના નામે પત્ર લખ્યો હતો.

    પીએમ મોદીની મુલાકાત દરમિયાન સુરક્ષા પ્રોટોકોલ અંગેના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસનો આદેશ મીડિયા પર લીક થયા બાદ શનિવારે આ પત્ર ચર્ચામાં આવ્યો હતો.

    દરમિયાન, સુરક્ષાના પગલાં વધારવામાં આવ્યા છે, અને કેન્દ્રીય તપાસ એજન્સીઓએ નવી માહિતી માંગી છે. બીજેપીના પ્રદેશ પ્રમુખ કે સુરેન્દ્રનના જણાવ્યા મુજબ, PMની મુલાકાત પહેલા બધું યોગ્ય થઇ જશે. 24 એપ્રિલે વડાપ્રધાન મોદી કોચીની મુલાકાતે જવાના છે. બીજા દિવસે, તેઓ રાજ્યની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ખોલવા માટે તિરુવનંતપુરમમાં હશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં