Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરાજ્યપાલના ફરમાન પર મહારાષ્ટ્ર સરકાર પર વધી શકે મુશ્કેલીઓ: શિંદે જૂથની બેઠક,...

    રાજ્યપાલના ફરમાન પર મહારાષ્ટ્ર સરકાર પર વધી શકે મુશ્કેલીઓ: શિંદે જૂથની બેઠક, ભાજપની બનશે સરકાર?

    ભાજપ આ આખા પ્રકરણમાં ચૂપ રહીને તમાસો જોઈ રહી છે, તક મળતા જ સરકાર બનાવશે.

    - Advertisement -

    રાજ્યપાલના ફરમાન પર મહારાષ્ટ્ર સરકાર પર મુશ્કેલીઓનો બોજ વધતો જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ રાજ્યમાં વિપક્ષના નેતા પ્રવિણ દરેકરની ફરિયાદ પર સરકારના નિર્ણયોની માહિતી માંગી છે. રાજ્યપાલના મુખ્ય સચિવ સંતોષ કુમારે જણાવ્યું હતું કે રાજ્યપાલના ફરમાન પર મહારાષ્ટ્ર રાજ્યના મુખ્ય સચિવને પત્ર લખીને 22 થી 24 જૂન સુધીમાં રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા તમામ સરકારી ઠરાવો (GRs) અને પરિપત્રોની સંપૂર્ણ વિગતો આપવા જણાવ્યું છે. વિપક્ષનો આરોપ છે કે, સરકાર લઘુમતીમાં હોવા છતાં, “આડેધડ” નિર્ણયો લે છે અને સેંકડો કરોડ રૂપિયા મંજુર કરવાના આદેશ આપે છે.

    રાજ્યપાલે સરકારી આદેશોની સંપૂર્ણ વિગતો માંગી

    વાસ્તવમાં, શિવસેનામાં બળવા પછી, મહા વિકાસ અઘાડી (MVA) સાથી NCP અને કોંગ્રેસ દ્વારા નિયંત્રિત વિભાગો વતી 22-24 જૂન દરમિયાન વિવિધ વિકાસ કાર્યો માટે સેંકડો કરોડ રૂપિયાનું ભંડોળ મંજુર આદેશો જારી કરવામાં આવ્યા હતા. આ પછી રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ આ સંબંધમાં સંપૂર્ણ માહિતી માંગી છે.

    - Advertisement -

    રાજ્યપાલ કાર્યાલય દ્વારા જારી કરાયેલા પત્ર અનુસાર, “રાજ્યપાલે 22 થી 24 જૂનના રોજ રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા GR, પરિપત્રો અંગે “સંપૂર્ણ પૃષ્ઠભૂમિની માહિતી” આપવા જણાવ્યું છે. મળતી માહિતી અનુસાર, રાજ્યમાં વિપક્ષના નેતા પ્રવીણ દરેકરે રાજ્યપાલને પત્ર લખીને આ નિર્ણયોની તપાસની માંગ કરી હતી. વિપક્ષનો આરોપ છે કે લઘુમતીમાં ચાલી રહેલી સરકાર આવા નિર્ણયો લઈ રહી છે. પ્રવીણ દરેકરે આરોપ લગાવ્યો કે સરકાર ઉતાવળે આડેધડ નિર્ણયો લઈ રહી છે.

    વિદ્રોહ બાદ કેબિનેટમાં અનેક પ્રસ્તાવ પસાર. શંકા ઊભી થતા રાજ્યપાલનું પગલું

    શિવસેનામાં બળવા પછી બીજા દિવસે ઉદ્ધવ ઠાકરેની સરકારે પણ કેબિનેટની બેઠકમાં અનેક ઠરાવ પસાર કર્યા હતા. જણાવવામાં આવ્યું કે ઉદ્ધવ કેબિનેટે કથિત રીતે વિકાસ સંબંધિત 11 પ્રસ્તાવોને મંજૂરી આપી છે. તે સમયે રાજ્યપાલને કોરોના સંક્રમિત થવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કોરોના સંક્રમણમાંથી મુક્ત થયા બાદ તે ફરી એકવાર કામ પર પરત ફર્યા છે.

    ત્યારે આવા કપરા સમયે કથિત વિકાસ કામો માટે સરકારી તિજોરીમાંથી મોટી રકમ મંજુર કરવાના નિર્ણયમાં ગેરરીતિની આશંકા ઉભી થાય છે અને તેથી રાજ્યપાલે આ પગલું ભર્યું છે. હાલમાં એકનાથ શિંદે બળવાખોર ધારાસભ્યો સાથે ગુવાહાટીમાં પડાવ નાખી રહ્યા છે.

    રાજ્યપાલે કેન્દ્રને પણ પત્ર લખ્યો હતો

    અગાઉ, બળવાખોર ધારાસભ્યોના કાર્યાલયોમાં તોડફોડની ઘટના પછી, રાજ્યપાલે કેન્દ્રીય ગૃહ સચિવને પણ પત્ર લખીને રાજ્યમાં પૂરતી સંખ્યામાં સુરક્ષા દળોની વ્યવસ્થા કરવા વિનંતી કરી હતી. શિવસેનાના 38 ધારાસભ્યો, પ્રહાર જનશક્તિના બે વર્ષ અને અપક્ષ ધારાસભ્યો તરફથી એક પત્ર પણ મળ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે તેમના પરિવારોની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી છે.

    શિંદે જૂથની મહત્વની બેઠક

    મળતી માહિતી મુજબ શિંદે જુથ આજે એક મહત્વપૂર્ણ બેઠક યોજવા જઇ રહ્યું છે, આ બેઠકમાં બની શકે સરકાર બનાવવાને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી શકે છે. જોકે આ વિદ્રોહ ભાજપ માટે સરકાર બનાવવાનો સુવર્ણ તક કહી શકાય, વિદ્રોહી ધારાસભ્યો વગર મહારાષ્ટ્ર વિધાનસભામાં બહુમત આંકડો 145 ની જગ્યાએ 125 થઇ જશે. જયારે ભાજપ પાસે નિર્દલીય તેમજ નાણા દળો મળીને 129 ધારાસભ્યો થઇ શકે છે, જો શિંદે જૂથની બેઠકમાં ભાજપ તરફી ચર્ચા સફળ જાય તો ભાજપ સરકાર બનાવી પણ શકે છે.

    શિંદે જૂથને સુપ્રીમ કોર્ટની રાહત

    સુપ્રીમ કોર્ટે એકનાથ શિંદે જૂથના બળવાખોર ધારાસભ્યોના જૂથને મોટી રાહત આપતા ડેપ્યુટી સ્પીકરે તેમને પાઠવેલ નોટીસ પર હાલ પૂરતી રોક લગાવી દીધી છે. આ ધારાસભ્યોને ડેપ્યુટી સ્પીકરની નોટીસનો જવાબ આપવા માટે 12 જુલાઈ સુધીનો સમય આપ્યો છે. આ પહેલાં વિધાનસભાના ડેપ્યુટી સ્પીકરે બળવાખોર ધારાસભ્યોને નોટીસ પાઠવીને આજે (27 જૂન 2022) સાંજે પાંચ વાગ્યા સુધીમાં જવાબ આપવા માટે કહ્યું હતું.

    આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને તમામ 39 ધારાસભ્યોના પરિવારને સુરક્ષા પૂરી પાડવા માટે આદેશ આપ્યો છે. કોર્ટે સરકારને ધારાસભ્યોના જીવન, સ્વતંત્રતા અને તેમની સંપત્તિને કોઈ નુકસાન ન પહોંચે તે સુનિશ્ચિત કરવાનો આદેશ આપ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં