Tuesday, May 7, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટભાગેડુ ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંઘની પંજાબ પોલીસે મોગાના ગુરુદ્વારા પાસેથી ધરપકડ કરી:...

    ભાગેડુ ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંઘની પંજાબ પોલીસે મોગાના ગુરુદ્વારા પાસેથી ધરપકડ કરી: NSA અંતર્ગત આસામની દિબ્રુગઢ જેલમાં લઇ જવાની તૈયારી

    અમૃતપાલની પત્ની કિરણદીપ કૌરને આજે ઈમિગ્રેશન અધિકારીઓએ અમૃતસર એરપોર્ટ પર રોકી હતી જ્યારે તે લંડનની ફ્લાઈટમાં ચઢવાનો પ્રયાસ કરી રહી હતી.

    - Advertisement -

    કટ્ટરપંથી ઉપદેશક અને ખાલિસ્તાની અમૃતપાલ સિંઘની ધરપકડ પંજાબ પોલીસ દ્વારા મોગાના એક ગુરુદ્વારા પાસેથી કરવામાં આવી છે, એમ સૂત્રોએ એનડીટીવીને જણાવ્યું હતું. પોલીસે તેને મોગા બહાર ખસેડવાની કાર્યવાહી શરૂ કરી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે તેને આસામના ડિબ્રુગઢમાં ખસેડવામાં આવશે જ્યાં મુખ્ય સહાયક પપલપ્રીત સિંઘ સહિત તેના આઠ સહયોગીઓને પહેલેથી જ રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (NSA) હેઠળ રાખવામાં આવ્યા છે, જે કોઈપણ આરોપ વિના એક વર્ષ સુધી અટકાયતની મંજૂરી આપે છે.

    પંજાબ પોલીસના આધિકારિક ટ્વીટર હેન્ડલે આ બાબતે ટ્વીટ કરીને જાણકારી આપી છે.

    અમૃતપાલ સિંઘ 18 માર્ચથી ફરાર હતો જ્યારે પંજાબ પોલીસે ધરપકડ કરાયેલા સહયોગીની મુક્તિ માટે તેના સમર્થકો દ્વારા અજનાલા પોલીસ સ્ટેશન પર તોફાન કર્યા બાદ કડક કાર્યવાહી શરૂ કરી હતી.

    - Advertisement -

    અમૃતપાલની પત્નીની ઇમિગ્રેશન અધિકારીઓ દ્વારા અટકાયત

    અમૃતપાલની પત્ની કિરણદીપ કૌરને આજે ઈમિગ્રેશન અધિકારીઓએ અમૃતસર એરપોર્ટ પર રોકી હતી જ્યારે તે લંડનની ફ્લાઈટમાં ચઢવાનો પ્રયાસ કરી રહી હતી.

    થોડા મહિના પહેલા અમૃતપાલે યુકેમાં રહેતી પંજાબી મૂળની કિરણદીપ કૌર સાથે લગ્ન કર્યા, ત્યારથી બંને જલ્લુપુર ખેડામાં રહેતા હતા જે અમૃતપાલનું ગામ છે. હાલમાં, ઈમિગ્રેશન વિભાગ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

    ઘણા ગુનાઓમાં નોંધાયા છે કેસ

    અમૃતપાલ સિંઘ અને તેના સહયોગીઓ વિરુદ્ધ વર્ગો વચ્ચે અસંતુષ્ટિ ફેલાવવા, હત્યાનો પ્રયાસ, પોલીસ કર્મચારીઓ પર હુમલો અને જાહેર સેવકો દ્વારા કાયદેસર રીતે ફરજ બજાવવામાં અવરોધ ઊભો કરવા સહિતના અનેક ગુનાહિત કેસ નોંધાયેલા છે. જેના અંતર્ગત ખાલિસ્તાની અમૃતપાલ સિંઘની ધરપકડ કરવામાં આવી છે.

    ખાલિસ્તાન તરફી નેતા અને વારિસ દે પંજાબના વડા અમૃતપાલ સિંઘના મુખ્ય સહાયક જોગા સિંઘની 15 એપ્રિલે સરહિંદમાં ધરપકડ કરવામાં આવી હતી. બોર્ડર રેન્જના ડીઆઈજી નરિન્દર ભાર્ગવના જણાવ્યા અનુસાર, સહયોગી જોગા સિંઘને અમૃતસર-ગ્રામીણ અને હોશિયારપુરના સંયુક્ત ઓપરેશનમાં પકડવામાં આવ્યો હતો. પોલીસ જોગા સિંઘ 18 માર્ચથી 28 માર્ચ સુધી અમૃતપાલ સાથે હતો, એમ ન્યૂઝ એજન્સી ANIએ જણાવ્યું હતું.

    ગયા મહિને, પોલીસે અમૃતપાલ સિંઘ અને તેના ‘વારિસ પંજાબ દે’ સંગઠનના સભ્યો પર મોટી કાર્યવાહી શરૂ કરી હતી. 18 માર્ચના રોજ, કટ્ટરપંથી શીખ ઉપદેશક વાહનો બદલીને અને તેનો દેખાવ બદલીને પોલીસથી બચી ગયો, અને તે હજુ સુધી ફરાર હતો. જેની આખરે પંજાબ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં