Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘હું હિંદુ છું, મારી હત્યા ન કરશો, અમે સત્ય નહીં બોલીએ’: કન્હૈયાલાલની...

    ‘હું હિંદુ છું, મારી હત્યા ન કરશો, અમે સત્ય નહીં બોલીએ’: કન્હૈયાલાલની હત્યાના વિરોધમાં કર્ણાટકના દુકાનદારોએ શરૂ કર્યું પોસ્ટર અભિયાન

    ગુરુવારે (30 જૂન 2022) મૈસૂરમાં હિંદુ દુકાનદારોએ મૃતક કન્હૈયાલાલ પ્રત્યે એકતા દર્શાવવા અને તેમની હત્યાનો વિરોધ કરવા પોસ્ટર ઝુંબેશ શરૂ કરી હતી.

    - Advertisement -

    રાજસ્થાનના ઉદયપુરમાં હિન્દુ દરજી કન્હૈયાલાલ તેલીની હત્યાના વિરોધમાં કર્ણાટકના હિંદુ દુકાનદારો આગળ આવ્યા છે. આ જ ક્રમમાં ગુરુવારે (30 જૂન 2022) મૈસૂરમાં હિંદુ દુકાનદારોએ મૃતક કન્હૈયાલાલ પ્રત્યે એકતા દર્શાવવા અને તેમની હત્યાનો વિરોધ કરવા પોસ્ટર ઝુંબેશ શરૂ કરી હતી. હિંદુ ટેલરની નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરવા બદલ બે કટ્ટરપંથી ઇસ્લામીઓએ હત્યા કરી નાંખી હતી. 

    સોશિયલ મીડિયા પર ફરતી તસ્વીરોમાં કર્ણાટકના હિંદુ દુકાનદારો કન્હૈયાલાલ તેલીના સમર્થનમાં હાથમાં પોસ્ટરો લઈને ઉભેલા જોવા મળે છે. જેમાં લખવામાં આવ્યું છે કે, ‘હું હિંદુ છું અને મને મારી ન નાંખશો. અમે સત્ય નહીં બોલીએ. અમારો પરિવાર અમારી ઉપર નિર્ભર છે. મને મારશો નહીં, હું ગરીબ છું.” આ ઉપરાંત, કર્ણાટકના મૈસુરમાં પણ નારાજ હિંદુ વેપારીઓએ દેશમાં હિંદુઓ વિરુદ્ધ વધતી અસહિષ્ણુતાના વિરોધમાં અવાજ ઉઠાવ્યો હતો અને પોતાની દુકાનોની બહાર આ પ્રકારના પોસ્ટરો લગાવ્યા હતા.

    આ પહેલાં કન્હૈયાલાલની હત્યાના વિરોધમાં બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદ દ્વારા દિલ્હીમાં પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને હિંદુ વ્યક્તિની બર્બર હત્યાનો વિરોધ કરી નૂપુર શર્માનું પણ સમર્થન કર્યું હતું, તો આ લોકોએ ‘આસમાની કિતાબ’ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી.

    - Advertisement -

    રાજસ્થાનના ઉદયપુરમાં કન્હૈયાલાલની હત્યાના વિરોધમાં ‘બજરંગ દળ’ અને ‘વિશ્વ હિન્દુ પરિષદ’ (VHP) દ્વારા દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કેટલાક લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. પોલીસ તેમને DTC બસોમાં લઈ ગઈ હતી. અન્ય પણ ઘણી જગ્યાએ હિંદુ સંગઠનોએ વિરોધ કર્યો હતો. પૃથ્વીરાજ રોડ પર સ્થિત રાજસ્થાન હાઉસની સામે પણ હિંદુ કાર્યકર્તાઓ એકઠા થયા હતા. 

    ઉલ્લેખનીય છે કે ગત 28 જૂનના રોજ મોહમ્મદ રિયાઝ અને ગૌસ મોહમ્મદ નામના બે ઇસ્લામી હત્યારાઓએ કન્હૈયાલાલની દુકાનમાં ઘૂસીને તેમની હત્યા કરી નાંખી હતી. કન્હૈયાલાલે સોશિયલ મીડિયા પર નૂપુર શર્માનું સમર્થન કરતી પોસ્ટ મૂકી હતી, જેના કારણે બે ઇસ્લામીઓએ ગળું કાપીને તેમની હત્યા કરી નાંખી હતી. 

    ગઈકાલે કન્હૈયાલાલના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, જેમાં પણ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને તેમના પરિવારને સાંત્વના આપી હતી. બીજી તરફ, જમ્મુ-કાશ્મીરમાં પણ ડોગરા સમુદાયના લોકોએ કન્હૈયાલાલની હત્યાના વિરોધમાં અવાજ ઉઠાવ્યો હતો. દેશના અન્ય ભાગોમાં પણ આ પ્રકારનો વિરોધ જોવા મળ્યો હતો. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં