Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકાનપુરના પથ્થરબાજોને 500-1000 રૂપિયા મળ્યા હતા, બાબા બિરિયાનીમાં ઘડવામાં આવ્યું હતું સમગ્ર...

    કાનપુરના પથ્થરબાજોને 500-1000 રૂપિયા મળ્યા હતા, બાબા બિરિયાનીમાં ઘડવામાં આવ્યું હતું સમગ્ર કાવતરું

    જુમ્માની નમાઝ બાદ કાનપુરમાં થયેલા પથ્થરમારા અને હિંસા બાદ પકડાયેલા બાબા બિરિયાનીના માલિકે પોલીસ સમક્ષ આશ્ચર્ય પમાડે તેવા ખુલાસાઓ કર્યા છે.

    - Advertisement -

    ઉત્તરપ્રદેશના કાનપુર ખાતે બેકનગંજ વિસ્તારમાં 3 જૂન, 2022ના રોજ થયેલી હિંસા મામલે ધરપકડ કરાયેલ બાબા બિરયાનીના માલિક મુખ્તાર અહેમદે પોલીસ પૂછપરછમાં ઘણા ખુલાસા કર્યા છે. પોલીસને મુખ્તાર પાસેથી ક્રાઉડ ફંડિંગને લઈને ઘણી મહત્વપૂર્ણ માહિતી મળી છે. આ સાથે પૂછપરછમાં પથ્થરબાજોના દરનો પણ ખુલાસો થયો છે. બીજી તરફ, બાબા બિરયાનીના માલિકને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે. આ ઉપરાંત, મુખ્તાર અહેમદ પર મંદિરનો કબજો લઈને બિરયાનીની દુકાન ખોલવાનો પણ આરોપ છે.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસની પૂછપરછ દરમિયાન મુખ્તારે કાનપુર હિંસા મામલે ખુલાસા કરતા જણાવ્યું કે પથ્થરબાજોને બહારથી 500 થી 1000 રૂપિયા આપીને બોલાવવામાં આવ્યા હતા. ઉપરાંત પોલીસે ખુલાસો કર્યો છે કે હિંસાનું ષડયંત્ર બાબા બિરયાનીની દુકાનમાં ઘડવામાં આવ્યું હતું. આ કાવતરામાં હિંસા ફેલાવવા માટે 15 થી 16 યુવકોને અલગ-અલગ કામ આપવામાં આવ્યા હતા. પથ્થરમારો દરમિયાન આરોપી વીડિયો કોલ કરીને સમગ્ર હંગામો જોઈ રહ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે અન્ય ઘણા આરોપીઓના નામ પણ પોલીસને જણાવ્યા છે.

    રિપોર્ટ અનુસાર, પોલીસે મુખ્તારના નાણાકીય સ્ત્રોત વિશે પણ માહિતી એકઠી કરી છે. મુખ્તારને કરોડપતિ બનાવવામાં એક બેંક મેનેજરનું નામ પણ સામે આવી રહ્યું છે. આ માટે મેનેજર પણ છેતરપિંડીમાં સામેલ હોવાનું કહેવાય છે. તેના પર નિયમોની વિરુદ્ધ જઈને મુખ્તારને મનસ્વી રીતે લોન આપવાનો આરોપ છે. જોકે બાદમાં બેંક મેનેજરને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા. જાણકારી અનુસાર, પોલીસ દ્વારા બનાવવામાં આવેલ SIT ટૂંક સમયમાં તે બેંક મેનેજરની પણ પૂછપરછ કરી શકે છે.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે મુખ્તાર અહેમદને 22 જૂન 2022 (બુધવાર) ના રોજ કાનપુરની એક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા કરવામાં આવેલી તમામ પૂછપરછની વીડિયોગ્રાફી કરવામાં આવી છે. જોકે તેણે શરૂઆતમાં કોઈપણ સંડોવણીનો ઇનકાર કર્યો હતો, પરંતુ બાદમાં પોતાનો ગુનો કબૂલી લીધો હતો. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ વધુ માહિતી માટે મુખ્તાર અહેમદના કસ્ટડી રિમાન્ડ પણ લઈ શકે છે.

    એ પણ નોંધવું જોઈએ કે કાનપુર પોલીસના મીડિયા સેલે ઑપઇન્ડિયાને જણાવ્યું કે, “અમે એક પ્રેસનોટ જારી કરીને તમામ અપડેટ્સ વિશે સત્તાવાર જાહેરાત કરીએ છીએ. બાબા બિરયાનીના પથ્થરમારા અને બેંક મેનેજરના કેસમાં હજુ સુધી અમે કોઈ સત્તાવાર પ્રેસનોટ જારી કરી નથી. તેથી અમે અત્યારે આ સમાચારની સત્તાવાર પુષ્ટિ કરી શકતા નથી.” આ ઉપરાંત, ડીસીપી પશ્ચિમ ઝોનનો પણ સંપર્ક કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ સંપર્ક થઇ શક્યો ન હતો.

    યુપીના કાનપુરમાં 3 જૂનના રોજ શુક્રવારની નમાઝ બાદ હિંસા અને પથ્થરમારો થયા હતા. ભાજપનાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા દ્વારા ઇસ્લામના પયગંબર મોહમ્મદના કથિત અપમાનના વિરોધમાં પ્રદર્શન કરવાની આડમાં આ હિંસા ફેલાવવામાં આવી હતી. જે બાદ સામે આવ્યું હતું કે આ હિંસા પૂર્વનિયોજિત કાવતરું હતું અને વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ પણ તે દિવસે રાજ્યમાં હોવાના કારણે આ દિવસ પસંદ કરવામાં આવ્યો હતો. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં