Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહવે દુનિયાભરમાં થશે ભારતીય રમકડાંની બોલબાલા, અમેરિકા તરફથી મળશે 3280 કરોડ રૂ.નો...

    હવે દુનિયાભરમાં થશે ભારતીય રમકડાંની બોલબાલા, અમેરિકા તરફથી મળશે 3280 કરોડ રૂ.નો ઓર્ડર, PM મોદીના કાર્યકાળમાં રમકડાંની આયાત પણ 70 ટકા ઘટી

    જો આ ડીલ ફાઈનલ થાય તો ભારતને 400 મિલિયન ડોલર (3279.31 કરોડ રૂપિયા) નો ઓર્ડર મળી શકે તેમ છે. તો એક ઇટાલિયન કંપનીએ પણ ભારતમાંથી સોર્સિંગ માટે રમકડાં ઉત્પાદકોનો સંપર્ક કર્યો છે.

    - Advertisement -

    ભારતના રમકડાં હવે દુનિયાભરના દેશોમાં પોતાનો ડંકો વગાડવા જઈ રહ્યા છે. યુરોપ અને અમેરિકાના રમકડાંના વિક્રેતાઓએ ભારતમાં રમકડાં બનાવતા ઉત્પાદકોનો સંપર્ક કર્યો છે. ભારતના રમકડાંની વૈશ્વિક સ્તરે ઊભી થયેલી માંગ સરકારની નવી નીતિનું પરિણામ છે. અહેવાલો મુજબ, આ માટે ગ્લોબલ ટૉય્ઝ કંપનીઓએ અનુપાલનની આવશ્યકતાઓ એટલે કે કમ્પ્લાયન્સ રિક્વાયરમેન્ટ પૂરી કરવા માટે ભારતના રમકડાં ઉત્પાદકોને મદદની ખાતરી આપી છે. એક સરકારી અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે, રમકડાંના વૈશ્વિક સ્તરના અગ્રણી વિક્રેતાઓ ભારતમાંથી મોટા પાયે રમકડાં ખરીદવા માગે છે.

    ભારતને રમકડાંના વેચાણથી 400 મિલિયન ડોલર મળી શકે છે

    પ્લેગ્રો ટૉય્ઝ ઈન્ડિયાના પ્રમોટર અને ટૉય એસોસિએશન ઑફ ઈન્ડિયાના ચેરમેન મનુ ગુપ્તાએ જણાવ્યું હતું કે, અમેરિકાના એક ટૉય રિટેલરે ભારતીય રમકડા ઉદ્યોગનો સંપર્ક કર્યો છે. તેઓ ભારતના રાઈડ-ઓન, આઉટડોર, મિકેનિકલ અને ઇલેક્ટ્રિક રમકડાંમાં રસ લઈ રહ્યા છે. જો આ ડીલ ફાઈનલ થાય તો ભારતને 400 મિલિયન ડોલર (3279.31 કરોડ રૂપિયા) નો ઓર્ડર મળી શકે તેમ છે. તો એક ઇટાલિયન કંપનીએ પણ ભારતમાંથી સોર્સિંગ માટે રમકડાં ઉત્પાદકોનો સંપર્ક કર્યો છે.

    ભારત સરકાર રમકડાં ઉદ્યોગને આગળ વધારવા સતત પ્રયત્નશીલ

    ભારતના રમકડાંની વૈશ્વિક સ્તરે માંગ ઊભી કરવા માટે પીએમ મોદીના નેતૃત્વ હેઠળની સરકારે મહત્વના પગલાં લીધા છે. દેશના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ આવતા વિભાગ ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT) દ્વારા ભારતમાં રમકડાં ઉત્પાદનને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. DPIIT અધિકારીઓ ભારતીય રમકડાં ઉદ્યોગને વૈશ્વિક કંપનીઓ સાથે જોડવા અને ઓર્ડર મેળવવા માટે મદદ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકન અને યુરોપિયન કંપનીઓ એ મેન્યુફેક્ચરર્સ પાસેથી માલ ખરીદે છે જે તેમના પ્રોડક્ટ અને સોશિયલ કમ્પ્લાયન્સને પૂરા કરે છે.

    - Advertisement -

    ભારતમાં ઘટી રહી છે રમકડાંની આયાત

    મનુ ગુપ્તાએ જણાવ્યા અનુસાર, ભારતીય રમકડાં માંગ મુજબ તમામ સ્ટાન્ડર્ડનું પાલન કરી શકે એ માટે વિદેશી કંપની ભારતના ઉત્પાદકોના વર્તમાન વર્કફોર્સને અપસ્કિલિંગ અને રિસ્કિલિંગ કરવા તૈયાર છે. બીજી તરફ ભારત હવે રમકડાંની આયાત પણ ઘટાડી રહ્યું છે. 2021-22માં ભારતમાં રમકડાંની કુલ આયાત 70 ટકા ઘટીને રૂ. 870 કરોડ થઈ હતી.

    ‘ભારત પાસે રમકડાં નિકાસનું પાવરહાઉસ બનવાની ક્ષમતા છે’

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉ જણાવ્યું હતું કે, ભારત પાસે રમકડાં નિકાસનું પાવરહાઉસ બનવાની પૂરી ક્ષમતા છે. ભારતના રમકડાં ઉદ્યોગમાં મોટું પરિવર્તન જોવા મળ્યું છે. પહેલા ત્રણ હજાર કરોડ રૂપિયાથી પણ વધુ કિંમતના રમકડાં બહારથી આવતા હતા, જ્યારે હવે તેની આયાત 70 ટકા ઘટી ગઈ છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં