Friday, May 17, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘આપ’ નેતાઓની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઇ રહી: હવે ઉપરાજ્યપાલ કરશે...

    ‘આપ’ નેતાઓની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઇ રહી: હવે ઉપરાજ્યપાલ કરશે કાનૂની કાર્યવાહી, વિધાનસભામાં લગાવ્યા હતા આરોપો

    આમ આદમી પાર્ટીના નેતાઓ સામે કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યા છે દિલ્હીના ઉપરાજ્યપાલ વી.કે સક્સેના.

    - Advertisement -

    દિલ્હીનું રાજકારણ હાલ ચર્ચામાં છે. એક તરફ ભારતીય જનતા પાર્ટી અને શાસક પક્ષ આમ આદમી પાર્ટી સામસામે આવી ગયાં છે ત્યાં હવે બીજી તરફ ઉપ-રાજ્યપાલે પણ એન્ટ્રી કરી છે. કેટલાક ‘આપ’ નેતાઓ દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેના વિરુદ્ધ કૌભાંડના આરોપો લગાવી રહ્યા છે. જેને લઈને હવે ઉપરાજ્યપાલે કાર્યવાહી કરવાની તૈયારી કરી લીધી છે. 

    આમ આદમી પાર્ટીના નેતાઓએ લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના પર ખાદી ગ્રામોદ્યોગના અધ્યક્ષ રહેતાં 1400 કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ લગાવ્યો હતો. જેના પર હવે એલજી હાઉસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેના ભ્રષ્ટાચારના આરોપો અને માનહાનિ બદલ આપ નેતાઓ સૌરભ ભારદ્વાજ, આતિષી માર્લેના, દુર્ગેશ પાઠક અને જસ્મિન શાહ સહિત અન્ય લોકો સામે કાનૂની કાર્યવાહી કરશે.”

    અહીં નોંધવું જોઈએ કે, આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય દુર્ગેશ પાઠકે લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના પર 1400 કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ લગાવ્યો હતો. પાઠકે વિધાનસભામાં દાવો કર્યો હતો કે નોટબંધી દરમિયાન ‘ખાદી ગ્રામોદ્યોગ’ના વડા રહેલા વીકે સક્સેનાએ કાળા નાણાને સફેદમાં ફેરવી દીધું હતું. એટલું જ નહીં, તેમણે લેફ્ટનન્ટ ગવર્નરને ‘ભ્રષ્ટ’ ગણાવીને CBI અને EDની તપાસની માંગ કરી હતી અને કહ્યું હતું કે ઉપરાજ્યપાલ સક્સેનાએ તેમના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ.

    - Advertisement -

    પાઠકે કહ્યું હતું કે, “આ કૌભાંડ રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધી અને ખાદીના નામે થયું છે. ખૂબ જ દુઃખ અને શરમ સાથે હું કહું છું કે આ અન્ય કોઈએ નહીં પણ જ્યારે તેઓ ખાદી ગ્રામોદ્યોગના અધ્યક્ષ હતા ત્યારે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ કર્યું હતું.”

    આ સિવાય AAP નેતા આતિશી માર્લેનાએ કહ્યું હતું કે, “હું પૂછવા માંગુ છું કે વિનય સક્સેના સીબીઆઈ તપાસથી કેમ ભાગી રહ્યા છે? જો તમે કંઈ ન કર્યું હોય તો તમે બચી જશો. CBI અને EDને તપાસ કરવા દો.

    ઉલ્લેખનીય છે કે તાજેતરમાં દિલ્હીના ઉપરાજ્યપાલે મુખ્યમંત્રી કાર્યાલયમાંથી આવેલી 45 જેટલી ફાઈલ પરત કરી દીધી હતી. તેમણે કહ્યું હતું કે, સીએમઓમાંથી આવેલઈ ફાઈલો ઉપર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના હસ્તાક્ષર ન હતા, પરંતુ તેમના જુનિયર અધિકારીઓ દ્વારા નોંધ લખીને ફાઈલો મોકલી આપવામાં આવી હતી. 

    ઉપરાજ્પણ ના કાર્યાલયે જણાવ્યું હતું કે, આ પહેલાં પણ એક સપ્તાહ અગાઉ ઉપરાજ્યપાલે મુખ્યમંત્રી કેજરીવાલને પત્ર લખીને તમામ ફાઈલો પર હસ્તાક્ષર કરીને મોકલવાની ભલામણ કરી હતી. પરંતુ તેમ છતાં કોઈ સુધારો ન આવતાં ફાઈલ પરત કરી દીધી હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં