Sunday, September 29, 2024
More
    હોમપેજદેશઅરવિંદ કેજરીવાલનું નવું ઠેકાણું હવે CBI હેડક્વાર્ટર, કોર્ટમાંથી ઉઠાવી લઇ ગઇ એજન્સી:...

    અરવિંદ કેજરીવાલનું નવું ઠેકાણું હવે CBI હેડક્વાર્ટર, કોર્ટમાંથી ઉઠાવી લઇ ગઇ એજન્સી: દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં ધરપકડ

    મંગળવારે જ CBIની ટીમ તિહાડ જેલ પહોંચી હતી અને કેજરીવાલની પૂછપરછ કરી હતી. કેજરીવાલની પૂછપરછ બાદ અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો કે હવે આ એજન્સી પણ તેમની ધરપકડ કરશે, આખરે ઔપચારિક રીતે ધરપકડ કરી લેવામાં આવી છે.

    - Advertisement -

    દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડ કેસમાં હવે CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી લીધી છે. બુધવારે (26 જૂન) તેમને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં એજન્સીએ તેમની કસ્ટડીની માંગ કરી હતી. આ પહેલાં CBIએ મંગળવારે (25 જૂન) તિહાડ જેલમાં જ અરવિંદ કેજરીવાલની પૂછપરછ કરી હતી. એક તરફ સુપ્રીમ કોર્ટમાં તેમની અરજી પર સુનાવણી થઈ રહી છે, તો બીજી તરફ ધરપકડ થતાં તેમની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે અત્યાર સુધી કેજરીવાલ EDના કેસમાં જેલમાં બંધ હતા, હવે CBIએ પણ તેમની વિરુદ્ધ તપાસ માંડી છે. એક્સાઈઝ પોલિસી કેસની તપાસ આ બંને એજન્સીઓ કરી રહી છે.

    નોંધવું જોઈએ કે તાજેતરમાં જ દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલને ઝટકો આપતાં ટ્રાયલ કોર્ટના જામીન આદેશ પર રોક લગાવી દીધી હતી. તે પહેલાં 20 જૂનના રોજ કેજરીવાલને દિલ્હીની ટ્રાયલ કોર્ટની વેકેશન બેન્ચે જામીન આપ્યા હતા અને તિહાડ જેલમાંથી મુક્ત કરવાનો આદેશ કર્યો હતો. પરંતુ EDએ બીજા જ દિવસે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરીને આ આદેશ પર રોક લગાવવા માટેની માંગ કરી હતી. એજન્સીની દલીલ હતી કે ટ્રાયલ કોર્ટે તેમને સાંભળ્યા વગર જ આદેશ પસાર કરી દીધો છે અને એજન્સીને પુરાવા અને દલીલો રજૂ કરવા માટે પૂરતો સમય ન આપવામાં આવ્યો. ત્યારબાદ હાઈકોર્ટે બીજા દિવસે આગામી આદેશ સુધી કેજરીવાલની જામીન અરજી પર વચગાળાની રોક લગાવી દીધી હતી.

    બીજી તરફ, હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના આદેશ પર રોક લગાવતાં કેજરીવાલની ટીમ સુપ્રીમ કોર્ટ પહોંચી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે તાત્કાલિક કોઇ રાહત આપી ન હતી. આખરે મંગળવારે હાઈકોર્ટે આદેશ પસાર કરીને ટ્રાયલ કોર્ટનો જામીન આદેશ રોકી દીધો હતો. આ બધા વચ્ચે મંગળવારે જ CBIની ટીમ તિહાડ જેલ પહોંચી હતી અને કેજરીવાલની પૂછપરછ કરી હતી. કેજરીવાલની પૂછપરછ બાદ અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો કે હવે આ એજન્સી પણ તેમની ધરપકડ કરશે, આખરે ઔપચારિક રીતે ધરપકડ કરી લેવામાં આવી છે.

    - Advertisement -

    બીજી તરફ, કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી દિલ્હી હાઈકોર્ટના ટ્રાયલ કોર્ટના આદેશ પર વચગાળાની રોક લગાવવાના આદેશને પડકારતી અરજી પરત ખેંચી લીધી છે. કેજરીવાલના વકીલે જણાવ્યું કે, તેઓ હાઈકોર્ટના અંતિમ આદેશને લઈને ફરીથી અરજી દાખલ કરશે. EDએ પણ આ બાબત પર કોઇ વાંધો ન ઉઠાવતાં આખરે અરજી પરત ખેંચી લેવામાં આવી છે. હવે ફરીથી અરજી કરવામાં આવશે.

    કેજરીવાલના વકીલે શું આપી દલીલ? 

    બીજી તરફ અરવિંદ કેજરીવાલના વકીલે CBI દ્વારા કરવામાં આવેલી આ ધરપકડનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, “કેજરીવાલને અન્ય કોઈ મામલામાં કસ્ટડીમાં રાખીને જ CBI દ્વારા ધરપકડ કરી લેવામાં આવી. કોઈ આદેશ પસાર કરી દેવામાં આવ્યો અને અમને તેની જાણ નથી, જે રીતે આ કાર્યવાહી કરવામાં આવી છે તે ગંભીર ચિંતાનો વિષય છે અને તે બંધારણના અનુચ્છેદ 21નું ઉલ્લંઘન છે. અમને મીડિયા દ્વારા તેમની ધરપકડ વિશે જાણ થઇ છે. CBI દ્વારા દાખલ કરવામાં આવેલી રિમાન્ડ અરજી અમને આપવામાં આવે.”

    કેજરીવાલના વકીલની દલીલ બાદ કોર્ટે કહ્યું હતું કે, “અમે જે સમજી રહ્યા છીએ તે મુજબ તેઓ ન્યાયિક કસ્ટડીમાં હતા. CBIએ 24 તારીખે જ કોર્ટમાં તેમની પૂછપરછ કરવા માટે એક અરજી દાખલ કરી હતી. પૂછપરછ બાદ એજન્સીએ પ્રોડક્શન વૉરન્ટની અનુમતિ લઈને તેમની ધરપકડ કરવા માટે આવેદન આપ્યું હતું.” બીજી તરફ CBI તરફથી પણ કહેવામાં આવ્યું હતું કે એજન્સીને વિશેષાધિકાર છે કે તેઓ તેઓ આરોપીને સૂચિત કર્યા વગર કાર્યવાહી કરી શકે છે.

    અમારી પાસે પૈસાની ટ્રેઈલ: CBI

    ઉલ્લેખનીય છે કે CBIએ કોર્ટમાં જણાવ્યું હતું કે 16 માર્ચ 2021ના રોજ લિકર કારોબારીને સંપર્ક કરીને કહેવામાં આવ્યું હતું કે અરવિંદ કેજરીવાલ આબકારી નીતિને લઈને તેમને મળવા માંગે છે. 20 માર્ચના રોજ કવિતા અને મંગુટા રેડ્ડીની તેમની સાથે મુલાકાત થઇ. ત્યારબાદ આમ આદમી પાર્ટીના કોમ્યુનિકેશન ઈન્ચાર્જ વિજય નાયરને એક મિટિંગ યોજવા માટે જણાવવામાં આવ્યું હતું. તપાસ એજન્સીએ જણાવ્યું કે લોકડાઉન હોવા છતાં સાઉથથી એક ટીમ પ્રાઈવેટ પ્લેન મારફતે દિલ્હી આવી અને લિકર પોલીસી મામલે બેઠક કરી હતી.

    CBIએ આગળ જણાવ્યું હતું કે, આ મામલે એક રિપોર્ટ તૈયાર કરીને વિજય નાયરને સોંપવામાં આવ્યો હતો અને અંતિમ ઓપ આપ્યા બાદ મનીષ સિસોદિયા સુધી પહોંચાડવામાં આવ્યો હતો. લિકર પોલિસીની બ્લુપ્રિન્ટ આ સાઉથ ગ્રુપે જ તૈયાર કરી હોવાનો આરોપ એજન્સીએ લગાવ્યો અને આગળ કહ્યું કે, તેમની પાસે પૈસાની ટ્રેઇલ (પૈસા ક્યાંથી આવ્યા અને ક્યાં ગયા તેની વિગતો) છે અને સાથે જ પૂરતા પ્રમાણમાં પુરાવાઓ પણ છે, જેનાથી સાબિત થાય છે કે દક્ષિણના આ ગ્રૂપના કહેવા પર જ દિલ્હીની એક્સાઈઝ પોલિસીમાં અમુક ફેરફારો કરવામાં આવ્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં