Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબ્રિટનમાં બોરિસ જોહ્ન્સનના રાજીનામા બાદ ભારતીય ‘લિબરલો’માં ખુશીની લહેર: ભારત યાત્રા દરમિયાન...

    બ્રિટનમાં બોરિસ જોહ્ન્સનના રાજીનામા બાદ ભારતીય ‘લિબરલો’માં ખુશીની લહેર: ભારત યાત્રા દરમિયાન જોહ્ન્સનની જેસીબીની સવારીને જવાબદાર ગણાવી

    ઇસ્લામવાદીઓ અને કોંગ્રેસ સમર્થકો તેમજ પીએમ મોદી અને યુપી સીએમ યોગી આદિત્યનાથના રાજકીય વિરોધીઓને જોહ્ન્સનના આ પગલાને ભાજપ શાસિત રાજ્યો અને ખાસ કરીને ઉત્તર પરદેશમાં ગુનેગારોની ગેરકાયદે સંપત્તિ વિરુદ્ધ કરવામાં આવેલ કાર્યવાહીના સમર્થનના રૂપમાં જોયું હતું. 

    - Advertisement -

    બ્રિટનમાં રાજકીય સંકટ વચ્ચે ત્યાંના વડાપ્રધાન બોરિસ જોહ્ન્સને ગઈકાલે રાજીનામું આપી દીધું હતું. જેવું બ્રિટિશ પીએમ જોહ્ન્સને રાજીનામું આપ્યું તે બાદ તરત જ ભારતમાં ઇસ્લામવાદીઓ, લિબરલો અને કોંગ્રેસ સમર્થકોએ આ માટે ભારત યાત્રા વખતે તેમની JCB ની સવારીને જવાબદાર ગણાવવાનું શરૂ કરી દીધું હતું. 

    બોરિસ જોહ્ન્સનના રાજીનામા અને જેસીબીની સવારીનો વાસ્તવમાં કોઈ સબંધ નથી. વાત માત્ર એટલી છે કે તેમણે એપ્રિલ 2022 માં ભારત મુલાકાત દરમિયાન વડોદરામાં બ્રિટિશ કંપનીની એક ફેક્ટરીનું ઉદ્ઘાટન કરી જેસીબીની સવારી કરી હતી. જેસીબી એક લોકપ્રિય કંપની છે જે ખોદકામ માટેના ઉપકરણોના નિર્માણ માટે જાણીતી છે. આ જ કંપનીનું એક બુલડોઝર ભારતીય રાજકારણમાં ખૂબ લોકપ્રિય બન્યું છે. 

    ઇસ્લામવાદીઓ અને કોંગ્રેસ સમર્થકો તેમજ પીએમ મોદી અને યુપી સીએમ યોગી આદિત્યનાથના રાજકીય વિરોધીઓને જોહ્ન્સનના આ પગલાને ભાજપ શાસિત રાજ્યો અને ખાસ કરીને ઉત્તર પરદેશમાં ગુનેગારોની ગેરકાયદે સંપત્તિ વિરુદ્ધ કરવામાં આવેલ કાર્યવાહીના સમર્થનના રૂપમાં જોયું હતું. 

    - Advertisement -

    જોકે, જોહ્ન્સનના રાજીનામા પાછળનું મુખ્ય કારણ એ છે કે તેમની જ પાર્ટીના સાંસદો અને મંત્રીઓ તેમના વિરોધી બની ગયા હતા અને બે દિવસમાં 40 જેટલા સાંસદોએ રાજીનામાં આપી દીધાં હતાં. જે બાદ ગઈકાલે જોહ્ન્સને પણ રાજીનામું આપી દીધું હતું. ફેબ્રુઆરીમાં જોહ્ન્સને પાર્ટીના ક્રિસ પિંચરને ડેપ્યુટી ચીફ વ્હીપ નિયુક્ત કર્યા હતા, જેનાથી સાંસદો-મંત્રીઓ નારાજ હતા. 

    જોકે, ભારતના ઇસ્લામવાદીઓ અને કોંગ્રેસ પ્રત્યે સહાનુભૂતિ ધરાવનારાઓએ તેમની સરકાર ભંગ થવા પાછળ બ્રિટિશ કંપની જેસીબી પર તેમની સવારીને જવાબદાર ગણાવી હતી અને ટ્વિટર પર હોબાળો મચાવવાનો શરૂ કરી દીધો હતો. 

    રાહુલ ગાંધીનાં પ્રશંસક અને ‘રાજકીય વિશ્લેષક’ સંજુક્તા બસુએ ટ્વિટ કરીને બોરિસ જોહ્ન્સનનાં રાજીનામાને તેમની ભારત મુલાકાત સાથે જોડી દીધું હતું અને સાથે બ્રિટનનો આભાર પણ માન્યો હતો. 

    બીજી તરફ, નાણાકીય છેતરપિંડીનાં આરોપી અને તથાકથિત પત્રકાર રાના અય્યુબ પણ પોતાના ઉત્સાહને કાબૂમાં રાખી શક્યાં ન હતાં અને તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, “બોરિસ જોહ્ન્સને ભારત આવીને જેસીબીનું સમર્થન કર્યું હતું.”

    યુથ કોંગ્રેસના અધ્યક્ષ શ્રીનિવાસે બોરિસ જોહન્સનનો જેસીબી સાથેનો ફોટો પોસ્ટ કરીને લખ્યું કે, આ બુલડોઝરની દુવાઓની અસર છે.

    અન્ય એક સ્વ-ઘોષિત લિબરલ ધર્મનિરપેક્ષ અને કોંગ્રેસ પ્રત્યે સહાનુભૂતિ ધરાવનાર ટ્વિટર હેન્ડલે પોસ્ટ કરીને કહ્યું કે, જોહ્ન્સને યોગીના જેસીબીને પ્રોત્સાહન આપવાનો ‘મૂર્ખતાપૂર્ણ નિર્ણય’ લીધો હતો અને જેના કારણે તેમણે પદ ગુમાવવું પડ્યું. સાથે તેમણે બોરિસ જોહ્ન્સનની જેસીબી સાથેની તસ્વીર પણ પોસ્ટ કરી હતી.

    સ્વઘોષિત ‘આંદોલનજીવી’ સુમન સેને ટ્વિટ કરીને પીએમ મોદીના રાજીનામાંની વાત કરી નાંખી હતી! તેમણે કહ્યું કે, બુલડોઝર ઇંગ્લેન્ડમાં પણ નહીં ચાલ્યું અને ભારતમાં પણ નહીં ચાલે. જોહ્ન્સને રાજીનામું આપ્યું, હવે મોદી પણ આપશે.”

    iMalik નામના એક યુઝરે જોહ્ન્સનની જેસીબી સાથેની તસ્વીર પોસ્ટ કરીને પીએમ મોદીને ‘અતિવાદી હિંદુ નેતા’ ગણાવીને કહ્યું કે, જોહ્ન્સન તેમની સાથે મળીને ‘ભારતના મુસ્લિમ લઘુમતીઓની મજાક ઉડાવી રહ્યા હતા’ પરંતુ હવે તેમણે રાજીનામું આપવું પડ્યું છે!

    રંજન પ્રતાપ સિંઘ નામના એક યુઝરે લખ્યું કે, જોહ્ન્સન જયારે ભારત આવ્યા હતા ત્યારે જેસીબીની ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યું હતું પરંતુ તેઓ ભૂલી ગયા હતા કે તેઓ પણ ‘કર્મ’નો ભોગ બનશે અને હવે એવું જ થયું છે.

    ગુરુવારે બોરિસ જોહ્ન્સને રાજીનામાની ઘોષણા કરી હતી. જોકે, જોહ્ન્સનના રાજીનામાંથી ખુશ થનારા લોકો માટે દુર્ભાગ્યની વાત એ છે કે બોરિસની જગ્યા લેનાર નામોમાં જેમની સૌથી વધુ ચર્ચા છે તે ઋષિ સુનક અને પ્રીતિ પટેલ બંને ભારત વિરોધી કે મોદી વિરોધી પ્રોપેગેન્ડા સમર્થકો નથી. જેથી જેઓ બ્રિટનના રાજકીય ઘટનાક્રમોમાં પીએમ મોદીની હાર શોધી રહ્યા છે, તેઓ નવા બ્રિટિશ પીએમની નિયુક્તિ બાદ નિરાશ જ થશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં