Saturday, July 27, 2024
More
    હોમપેજક્રાઈમઅમરાવતી હત્યાકાંડમાં ચોંકાવનારો ખુલાસો, 10-10 હજાર આપીને કરવી હત્યા, સંડોવાયેલા NGO નું...

    અમરાવતી હત્યાકાંડમાં ચોંકાવનારો ખુલાસો, 10-10 હજાર આપીને કરવી હત્યા, સંડોવાયેલા NGO નું નીકળ્યું પાકિસ્તાન કનેક્શન: 7 ની ધરપકડ

    - Advertisement -

    અમરાવતી હત્યાકાંડમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. મહારાષ્ટ્રના અમરાવતીમાં કેમિસ્ટ ઉમેશ કોલ્હેની હત્યાના મુખ્ય કાવતરાખોર ઈરફાન ખાનની ધરપકડ કર્યા પછી, કોર્ટે આજે (3 જુલાઈ, 2022) તેને 7 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. તેની ધરપકડ બાદ પોલીસે તેના પાકિસ્તાન સાથેના કનેક્શનનો ખુલાસો કર્યો હતો. અમરાવતી હત્યાકાંડમાં ચોંકાવનારો ખુલાસો થયા બાદ નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ સંકેત આપ્યો હતો કે આ સમયે વિદેશી શક્તિઓ દેશમાં તણાવ વધારવાનું કામ કરી રહી છે.

    કોલ્હેની જિંદગીની કીમત 10 હજાર

    રાષ્ટ્રીય તપાસ એજન્સીએ આ મામલામાં પોતાની એફઆઈઆર નોંધી અને કહ્યું હતું કે દેશના એક વર્ગને નિશાન બનાવવાનું કાવતરું છે. તપાસ બાદ વધુ ખુલાસાઓ થશે. ટીવી 9ના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે હત્યાના માસ્ટરમાઈન્ડ શેખ ઈરફાને બાકીના આરોપીઓને 10 હજાર રૂપિયાની લાલચ આપીને હત્યા કરાવી હતી.

    - Advertisement -

    ઈરફાન સિવાય આ કેસમાં અત્યાર સુધીમાં 7ની ધરપકડ કરવામાં આવી છે. તેમની ઓળખ મુદસ્સીર અહેમદ (22), શાહરૂખ પઠાણ (25), અબ્દુલ તૌફીક (24), શોએબ ખાન (22), અતિબ રશીદ (22) અને યુસુફ ખાન બહાદુર ખાન (44) તરીકે થઈ છે. આ લોકો વિરુદ્ધ આઈપીસીની કલમ 302, 120 અને 109 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

    મૃતકના પરિવારજનોએ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવા જણાવ્યું છે. મૃતકના ભાઈએ એમ પણ જણાવ્યું હતું કે પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓમાંથી એક વેટરનરી ડોક્ટર યુસુફ છે અને તેની ઉમેશ કોલ્હે સાથે સારી મિત્રતા હતી. પરિવાર તેને 2006-07થી ઓળખતો હતો. યુસુફ પર કોલ્હેની પોસ્ટને શંકાસ્પદ વોટ્સએપ ગ્રુપમાં શેર કરવાનો પણ આરોપ છે.

    ઈરફાન અને તેની એનજીઓનું પાકિસ્તાન કનેક્શન

    તપાસમાં બહાર આવ્યું છે કે સ્કૂલ ડ્રોપ આઉટ ઈરફાન ખાન અમરાવતીમાં રેહબરિયા ફાઉન્ડેશનને પાકિસ્તાન અને આરબ દેશોના ભંડોળથી ચલાવતો હતો અને કથિત રીતે મુસ્લિમ સમુદાયના ગરીબ લોકોને સમયસર એમ્બ્યુલન્સ સેવા પૂરી પાડતો હતો. તેની NGOની હેલ્પલાઈન સાથે 21 લોકો જોડાયેલા હોવાના અહેવાલ છે. હત્યામાં કથિત રીતે સામેલ અન્ય લોકો પણ આ એનજીઓ સાથે સંકળાયેલા હતા.

    તેના પર અન્ય આરોપીઓને ઉમેશ કોલ્હેની હત્યા માટે ઉશ્કેરવાનો આરોપ છે. આ પહેલા ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનની કટ્ટરપંથીઓ વિરુદ્ધ ટિપ્પણી સાંભળ્યા બાદ તેમણે ફ્રાન્સના સામાન પર પ્રતિબંધ લગાવવાની પણ હાકલ કરી હતી.

    ડેપ્યુટી સીએમ ફડણવીસની પ્રતિક્રિયા

    એક અહેવાલ મુજબ અમરાવતીમાં કેમિસ્ટની હત્યા કેસમાં નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે શું આ કેસમાં કોઈ બહારનું કનેક્શન છે? તેમણે કહ્યું કે એ નોંધવામાં આવી રહ્યું છે કે કેટલીક વિદેશી શક્તિઓ દેશમાં તણાવ વધારવાનો પ્રયાસ કરી રહી છે. આ તમામની તપાસ કરવામાં આવશે. આ કેસને શરૂઆતમાં લૂંટનો કેમ બતાવવામાં આવ્યો તેની પણ તપાસ કરવામાં આવશે. અમરાવતીની ઘટનાને ગંભીર ગણાવતા ડેપ્યુટી સીએમએ કહ્યું કે આ ઘટના બર્બર છે. ઉમેશની ખૂબ જ ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી. આરોપીઓ ઝડપાયા, NIA તપાસ કરી રહી છે. જણાવી દઈએ કે પોલીસે આ મામલામાં એમ પણ કહ્યું છે કે અત્યાર સુધીમાં 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે પરંતુ આ સંખ્યા હજુ વધી શકે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં