Monday, May 6, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'હવે ક્યાંય ભટકવાની જરૂર નથી': બાગેશ્વર ધામમાં 220 ઈસાઈઓની ઘર વાપસી, પંડિત...

    ‘હવે ક્યાંય ભટકવાની જરૂર નથી’: બાગેશ્વર ધામમાં 220 ઈસાઈઓની ઘર વાપસી, પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીની માંગ, ‘રામચરિતમાનસને રાષ્ટ્રીય ગ્રંથ જાહેર કરવો જોઈએ’

    પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પણ રામચરિતમાનસને રાષ્ટ્રીય ગ્રંથ જાહેર કરવાની અને ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાની માગણી કરી હતી.

    - Advertisement -

    મધ્યપ્રદેશના છતરપુરમાં બાગેશ્વર ધામમાં પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હાજરીમાં 220 ધર્માંતરિત ખ્રિસ્તીઓ હિંદુ ધર્મમાં પરત ફર્યા છે. આ પહેલા પણ બાલાજીના દરબારમાં ઘર વાપસીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દાયકાઓથી, મિશનરીઓએ ગરીબ વિસ્તારોને, ખાસ કરીને દલિતો અને આદિવાસી સમુદાયોને નિશાન બનાવ્યા છે. તેમને લાલચ આપીને ધર્માંતરણ કરવામાં આવે છે. તેઓમાં હિંદુ ધર્મ પ્રત્યે નફરત ભરવામાં આવે છે.

    તમામ 220 લોકોને પીળી તકતી પહેરાવવામાં આવી હતી, ત્યારબાદ તેમને ઘરે પરત મોકલી દેવામાં આવ્યા હતા. આ લોકો સાથે અહીં પહોંચેલા આ કાર્યક્રમમાં ‘હિંદુ જાગરણ મંચ’ની મુખ્ય ભૂમિકા હતી. બુંદેલખંડ પ્રદેશના તાપરિયન, બાનાપુર, ચિતોરા અને બમહૌરી સહિતના ગામોના લોકો ઘર વાપસી કરનારાઓમાં સામેલ છે જેમને મિશનરીઓ દ્વારા છેતરવામાં આવ્યા હતા. પીઠાધીશ્વર શાસ્ત્રીએ આ સમય દરમિયાન તે લોકોને દરરોજ મંદિરની મુલાકાત લેવાની અપીલ કરી હતી.

    પરત ફરનારાઓએ જણાવ્યું કે ક્રિશ્ચિયન મિશનરીઓએ તેમને ઘરની લાલચ આપી હતી, ત્યારબાદ તેમણે હિંદુ ધર્મ છોડી દીધો હતો. જો કે, વચન પાળ્યું ન હતું અને તેમને ઘર મળ્યું ન હતું. તેમણે કહ્યું કે તેઓ પોતાની મરજીથી ઘર વાપસી કરી રહ્યા છે. ધીરેન્દ્ર કૃષ્ણએ કહ્યું કે લોકોએ શનિવાર અને મંગળવારે હનુમાનજીના મંદિરના દર્શન કરવા જોઈએ. તેમણે પુનરોચ્ચાર કર્યો કે તેઓ કોઈ સંપ્રદાયની વિરુદ્ધ નથી, પરંતુ તેમના ધર્મના કટ્ટર અનુયાયી છે.

    - Advertisement -

    તેમણે કહ્યું કે દરેક વ્યક્તિ ભૂલ કરે છે. તેમણે પોતાના વિશે કહ્યું કે તેમને લોકપ્રિયતા જોઈતી નથી. પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ રામચરિતમાનસને રાષ્ટ્રીય ગ્રંથ જાહેર કરવાની અને ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાની માગણી કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે રાજકીય પક્ષોએ તેમની પાસેથી આશીર્વાદ સિવાય બીજી કોઈ અપેક્ષા રાખવી જોઈએ નહીં. હિન્દૂ ધર્મમાં પરત ફરનારાઓમાં પરિવારના 62 સભ્યોનો સમાવેશ થાય છે. આ લોકો બસમાં સવાર થઈને આવ્યા હતા. તેમણે કહ્યું કે ખ્રિસ્તીઓના પ્રભાવમાં તેમણે ચર્ચમાં જવાનું શરૂ કર્યું હતું.

    મહાશિવરાત્રીએ યોજાયા 125 યુગલોના સમુહલગ્ન

    નોંધનીય કે મહાશિવરાત્રી નિમિત્તે તાજેતરમાં બાગેશ્વર ધામમાં યોજાયેલા સમૂહ લગ્ન સંમેલનમાં 125 યુગલો લગ્નના બંધનમાં બંધાયા હતા. આમાં ભાગ લેનાર 125 છોકરીઓમાંથી 58 છોકરીઓ એવી હતી કે જેમના માતા કે પિતાનું અવસાન થયું હતું એટલે કે તેઓ અનાથ હતી.

    અગાઉ અહીં એક મુસ્લિમ મહિલા સુલતાના બેગમે સનાતન ધર્મ અપનાવ્યો હતો અને કહ્યું હતું કે ભાઈ અને બહેન વચ્ચે લગ્ન નથી. ક્રિસમસ 2022ના દિવસે પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની રામકથા દરમિયાન પણ દમોહમાં 300 લોકો ઘરે પરત ફર્યા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં