Sunday, September 8, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઈઝરાયેલમાં વધુ 2 આતંકી હુમલાઃ 45 વર્ષીય આરોપી યુસુફ અબુ જબીર કાર...

    ઈઝરાયેલમાં વધુ 2 આતંકી હુમલાઃ 45 વર્ષીય આરોપી યુસુફ અબુ જબીર કાર વડે લોકોને કચડવા માંડ્યો; પેલેસ્ટિનિયન ફાયરિંગમાં 2 બહેનોના પણ મોત

    રમખાણોને ડામવા માટે ઇઝરાયેલની સુરક્ષા એજન્સીઓ જેરુસલેમની અલ-અક્સા મસ્જિદમાં પ્રવેશ્યા બાદ તણાવ વધી ગયો હતો. આ પછી ગાઝા સ્થિત આતંકી સંગઠન હમાસ અને લેબનોન સ્થિત આતંકી સંગઠન હિઝબુલ્લા તરફથી ઈઝરાયેલ પર અનેક રોકેટ હુમલા કરવામાં આવ્યા હતા.

    - Advertisement -

    ઈસ્લામિક દેશોથી ઘેરાયેલા ઈઝરાયેલમાં થયેલ જુદા જુદા 2 આતંકી હુમલામાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે 8થી વધુ લોકો ઘાયલ થયા છે. શુક્રવારે (7 એપ્રિલ, 2023) સાંજે તેલ અવીવમાં થયેલા હુમલામાં એક ઇટાલિયન નાગરિકનું મોત થયું છે. તે જ સમયે, ઇઝરાયેલના કબજા હેઠળના પશ્ચિમ કાંઠે આતંકવાદી હુમલામાં બે બહેનોના મોત થયા છે.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શુક્રવારે તેલ અવીવના ભીડવાળા વિસ્તારમાં એક કાર લોકો પર ચડી ગઈ હતી. જેમાં 35 વર્ષીય ઈટાલિયન નાગરિકનું મોત થયું હતું. મૃતકની ઓળખ એલેક્ઝાન્ડ્રો પરિની તરીકે થઈ છે. તેઓ ઇટાલીની રાજધાની રોમમાં વકીલ હતા. ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ હુમલાની નિંદા કરી છે.

    હુમલાખોરની ઓળખ 45 વર્ષીય યુસુફ અબુ જાબીર તરીકે થઈ છે. તે કફર કાસેમ શહેરનો વતની છે અને આરબ વંશનો ઇઝરાયેલનો નાગરિક છે. જાબીરે લોકોને નિશાન બનાવવા અને ગોળીબાર કરવા માટે હથિયાર કાઢવાનો પણ પ્રયાસ કર્યો હતો. એજન્સીઓ જાબીરના ઘરે તેના પરિવારના સભ્યોની પૂછપરછ કરવા ગઈ હતી.

    - Advertisement -

    આતંવાદીઓના ફાયરિંગમાં બે બહેનોના મોત

    બીજી તરફ, વેસ્ટ બેંકમાં પેલેસ્ટાઈન તરફથી અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં કારમાં મુસાફરી કરી રહેલી બે બહેનોને ગોળી મારી દેવામાં આવી હતી. બીજી બાજુ, તેમની માતા ગંભીર રીતે ઘાયલ છે અને તેના જીવન માટે લડી રહી છે. બંને બહેનો ઈઝરાયેલી મૂળની બ્રિટિશ નાગરિક હતી. મૃતક બહેનોની ઉંમર 16 વર્ષ અને 20 વર્ષની હતી.

    મુસ્લિમોના આ રમઝાન મહિનામાં 2 આતંકી હુમલામાં કુલ ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે 8થી વધુ લોકો ઘાયલ થયા છે. અમેરિકા, ઈટાલી, બ્રિટન સહિત વિશ્વભરના દેશોએ આ આતંકવાદી હુમલાની નિંદા કરી છે.

    યુનાઇટેડ સ્ટેટ્સે કહ્યું, “યુનાઇટેડ સ્ટેટ્સ આજના આતંકવાદી હુમલાની સખત નિંદા કરે છે. આજના ભયાનક હુમલામાં ત્રણના મોત થયા હતા અને ઓછામાં ઓછા આઠ અન્ય ઘાયલ થયા હતા. તેનાથી ઇઝરાયેલ, ઇટાલી અને યુનાઇટેડ કિંગડમના નાગરિકો પ્રભાવિત થયા છે. કોઈપણ રાષ્ટ્રીયતાના નિર્દોષ નાગરિકોને નિશાન બનાવવું નિંદનીય છે.”

    તે જ સમયે, વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પોલીસને તમામ અનામત સરહદ પોલીસ એકમોને એકત્ર કરવા સૂચના આપી છે અને IDF (ઇઝરાયેલ સંરક્ષણ દળો) ને આતંકવાદી હુમલાઓનો સામનો કરવા માટે વધારાના દળોને એકત્ર કરવા સૂચના આપી છે. આ આતંકવાદી હુમલાનો ભોગ બનેલા તમામ લોકો પ્રવાસીઓ છે.

    અલ-અક્સા મસ્જિદમાં ઘૂસી ગયા હતા ઈઝરાઈલી સૈનિકો

    નોંધનીય છે કે રમખાણો રોકવા માટે ઈઝરાયેલની સુરક્ષા એજન્સીઓ જેરુસલેમની અલ-અક્સા મસ્જિદમાં ઘૂસી ગઈ ત્યારે તણાવ વધી ગયો હતો. આ પછી ગાઝા સ્થિત આતંકી સંગઠન હમાસ અને લેબનોન સ્થિત આતંકી સંગઠન હિઝબુલ્લા તરફથી ઈઝરાયેલ પર અનેક રોકેટ હુમલા કરવામાં આવ્યા હતા.

    તેના જવાબમાં ઈઝરાયેલે ગાઝા પટ્ટીમાં હમાસના મોરચાને હવાઈ હુમલા કરીને નષ્ટ કરી દીધું હતું. લેબનોનમાં પણ હુમલા થયા હતા. હવે તેના જવાબમાં પેલેસ્ટાઈન દ્વારા નવેસરથી આતંકવાદી હુમલો કરવામાં આવ્યો છે. તાજેતરમાં જ ગાઝાથી 25 અને લેબનોનથી 34 રોકેટ ઈઝરાયેલ પર છોડવામાં આવ્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં