Saturday, July 27, 2024
More
    હોમપેજદેશબંને હાથે તલવારબાજી કરવામાં નિપુણ છે ડો.મોહન યાદવ, ઉજ્જૈનમાં વિક્રમોત્સવને બનાવ્યો ભવ્ય:...

    બંને હાથે તલવારબાજી કરવામાં નિપુણ છે ડો.મોહન યાદવ, ઉજ્જૈનમાં વિક્રમોત્સવને બનાવ્યો ભવ્ય: એક વકીલ ઉપરાંત એક વેપારી પણ છે મધ્યપ્રદેશના નવા સીએમ

    ડો. મોહન યાદવ વર્ષ 2013માં પ્રથમ વખત ઉજ્જૈન દક્ષિણ વિધાનસભા મતવિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓ આ સીટ પર સતત ત્રણ વખત જીત્યા છે. વર્ષ 2020માં તેમને શિવરાજ સિંહ ચૌહાણ સરકારમાં ઉચ્ચ શિક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા હતા.

    - Advertisement -

    મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી મોહન યાદવ એક મજબૂત નેતા છે. તેમણે પોતાની રાજકીય કારકિર્દીમાં ઘણી મહત્વની સિદ્ધિઓ મેળવી છે. તલવારબાજીમાં નિપુણતા ધરાવતા મોહન યાદવે ઉજ્જૈનમાં વિક્રમોત્સવને ભવ્ય ઓળખ આપી છે. ઉચ્ચ શિક્ષણ મંત્રી રહીને તેમણે નવી શિક્ષણ નીતિ લાગુ કરનાર મધ્યપ્રદેશને પ્રથમ રાજ્ય બનાવ્યું છે. આવા અનેક મહત્વપૂર્ણ કાર્યોને કારણે તેમને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.

    મોહન યાદવનો જન્મ 15 માર્ચ, 1965ના રોજ ઉજ્જૈનના એક મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. તેઓ વિદ્યાર્થીકાળથી જ રાજકારણમાં સક્રિય હતા. તેમણે વિદ્યાર્થી સંઘની ચૂંટણી જીતી અને વિદ્યાર્થી નેતા તરીકે પોતાની ઓળખ બનાવી. ડૉ.મોહન યાદવ B.Sc., LLB, MA, MBA અને Ph.D જેવી ડિગ્રી ધરાવે છે. તેઓ વ્યવસાયની સાથે કાયદાની પ્રેક્ટિસ પણ કરે છે.

    ડો. મોહન યાદવ વર્ષ 2013માં પ્રથમ વખત ઉજ્જૈન દક્ષિણ વિધાનસભા મતવિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓ આ સીટ પર સતત ત્રણ વખત જીત્યા છે. વર્ષ 2020માં તેમને શિવરાજ સિંહ ચૌહાણ સરકારમાં ઉચ્ચ શિક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા હતા. આ પદ સંભાળતી વખતે તેમણે મધ્યપ્રદેશમાં નવી શિક્ષણ નીતિને લાગુ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમના નેતૃત્વ હેઠળ, મધ્યપ્રદેશ નવી શિક્ષણ નીતિ લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું.

    - Advertisement -

    મોહન યાદવ એક કાર્યક્ષમ વહીવટકર્તા પણ છે. ડો. મોહન યાદવ ઉજ્જૈન ડેવલપમેન્ટ ઓથોરિટીના ચેરમેન પણ હતા. તેઓ 2010 સુધી ઉજ્જૈન ડેવલપમેન્ટ ઓથોરિટીના ચેરમેન રહ્યા હતા. ઉજ્જૈન ડેવલપમેન્ટ ઓથોરિટીના પ્રમુખ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન ઉજ્જૈનમાં ઘણા મહત્વપૂર્ણ કાર્યો કરવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન ઉજ્જૈનમાં એક વેધશાળાની સ્થાપના કરવામાં આવી હતી. તેમના કાર્યકાળ દરમિયાન ઉજ્જૈનમાં એક પ્લેનેટોરિયમ પણ બનાવવામાં આવ્યું હતું. ડૉ.મોહન યાદવે અહીં વિક્રમાદિત્ય પીઠની પણ સ્થાપના કરી હતી. તેમણે ઉજ્જૈનમાં વિક્રમોત્સવને ભવ્ય ઓળખ આપી. આ એક ઐતિહાસિક ઉત્સવ છે જેનું આયોજન દર વર્ષે ઉજ્જૈનમાં થાય છે. મોહન યાદવે આ ઉત્સવને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવી છે.

    ડો.મોહન યાદવ સામાજિક રીતે ખૂબ જ સક્રિય રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેમની તલવારબાજીનો એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ બંને હાથ વડે ખુબ સારી રીતે તલવારબાજી કરતા જોવા મળી રહ્યા છે. જો કે આ વિડીયો ક્યારનો છે તે બહાર આવ્યું નથી.

    ઉલ્લેખનીય છે કે 3 ડિસેમ્બરે જાહેર થયેલી મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જંગી બહુમતી મેળવી હતી. આ ચૂંટણીમાં મોહન યાદવ પણ ઉજ્જૈન દક્ષિણ બેઠક પરથી જીત્યા હતા. આ વખતે જ્યારે નવા મુખ્યપ્રધાનની નિમણૂક કરવાનો વારો આવ્યો ત્યારે તેમના કાર્યોને ધ્યાનમાં લઈને ભાજપ વિધાનસભ્ય દળની બેઠકમાં તેમને મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન તરીકે ચૂંટવામાં આવ્યા. ખુદ મુખ્યમંત્રી શિવરાજ સિંઘ ચૌહાણે તેમના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને સર્વાનુમતે સ્વીકારવામાં આવ્યો હતો. ભાજપે કહ્યું છે કે મોહન યાદવ મહેનતુ અને ઈમાનદાર નેતા છે. તેમના નેતૃત્વમાં મધ્યપ્રદેશ એક સમૃદ્ધ અને સુખી રાજ્ય બનવા તરફ ઝડપથી આગળ વધશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં