Tuesday, April 23, 2024
More
    હોમપેજમંતવ્યરોહિંગ્યા પર રોદણાં રડનારાઓ અફઘાની શીખો મામલે ચૂપ, સેક્યુલરો બને છે કટ્ટરવાદીઓના...

    રોહિંગ્યા પર રોદણાં રડનારાઓ અફઘાની શીખો મામલે ચૂપ, સેક્યુલરો બને છે કટ્ટરવાદીઓના બૌદ્ધિક રક્ષકો

    પરંતુ આવો હંગામો આ પહેલી વાર નથી ભારતીય મુસ્લિમો અને તેઓને બૌદ્ધિક રક્ષણ પુરૂ પાડતા ભારતીય સેકુલરો ઘણી વાર આ રીતે હંગામો કર્યો છે અને હંગામા કરનારોને રક્ષણ પણ આપ્યું છે.

    - Advertisement -

    નુપુર શર્માના કથિત ભડકાઉ નિવેદન બાદ આખા દેશમાં હંગામો થયો હતો સાથે જ ધણી જગ્યાએ હિંસા પણ થઈ હતી. કતાર અને અન્ય પણ ઘણા દેશોએ નુપુર બાબતે વિરોધ નોધાવ્યો હતો. ભારતીય જનતા પાર્ટીએ તત્કાળ પ્રભાવથી નુપુર શર્માનુ સભ્યપદ રદ કર્યું હતું. પરંતુ આવો હંગામો આ પહેલી વાર નથી ભારતીય મુસ્લિમો અને તેઓને બૌદ્ધિક રક્ષણ પુરૂ પાડતા ભારતીય સેક્યુલરો ઘણી વાર આ રીતે હંગામો કર્યો છે અને હંગામા કરનારને રક્ષણ પણ આપ્યું છે.

    એમ તો ભારતમાં આ રીતના હંગામાની શરૂઆત ખિલાફત આંદોલનથી થઈ હતી. તુર્કના ખલિફાને અંગ્રેજોએ બેદખલ કરતા ભારતમાં ‘ખિલાફત આંદોલન’ શરૂ થયું હતું. વિધીની વક્રતા એ હતી કે આ આંદોલનને ગાંધીજીએ સમર્થન આપ્યું હતું જેની આડ અસરના કારણે જ મોપલા કાંડ થયો હતો જેમા હજારો હિદૂઓની ધર્મ આધારિત હત્યાઓ થઈ હતી.

    વૈશ્વિક મુસ્લિમનો મુદ્દો હોય ને ભારતમાં હંગામો થયો હોય તેવા અસંખ્ય બનાવો બન્યા છે.

    - Advertisement -

    કેટલાક આવી ઘટનાઓને ટાંકું તો ઈ.સ.2012માં મ્યાનમારમાં બુદ્ધીસ્ટો અને રોહિગ્યા મુસલમાનો વચ્ચે દંગા થાય છે જેમાં રોહિગ્યાઓને સમર્થન કરવા માટે ભારતીય મુસ્લિમો એક આયોજન કરે છે. તે આયોજન મુંબઈના આઝાદ મેદાનમાં કરવામાં આવે છે ત્યાર બાદ હાજારોની સંખ્યામાં ભેગી થયેલી ભીડ દંગા કરે છે. ત્યા સુધી કે શહીદોનું આઝાદ સ્મારકને પણ નુકસાન પહોચાડવામાં આવે છે. ફ્રાંસમાં એક કાર્ટુનના કારણે હંગામો થાય છે તેને લઈને આખા ભારતમાં હંગામો કરાય છે. રોહિગ્યાઓ જેને ભારતીયો સાથે કંઈક જ લેવા દેવા નથી તો તેના સમર્થનમાં હંગામો કરાતો હોય છે.

    હંગામો કરનારાઓને એક સુચારૂ બૌદ્ધિક રક્ષણ પુરૂ પાડતી એક જમાત ભારતમાં છે જે પોતાની જાતને સેકુલર કે લિબરલ ગણાવે છે પરંતુ તેઓ હંમેશા એક તરફી જ રહ્યા છે. ભારતીય મુસલમાનો ગાઝા પર થતા કથિત અત્યાચાર કે પછી પેલેસ્તાઈને કરેલી હિંસાની પ્રતિહિંસા સ્વરૂપે કરેલી ઈઝરાયેલની કાર્યવાહી પર હંગામો કરે છે. માની લઈએ કે આ લોકો માનવવાદી હોવાના કારણે કરતા હશે.

    પરંતુ, સવાલ એ ઊભો થાય છે કે હમણાં જ અફઘાનિસ્તાનમાં શીખો અને હિદૂઓ પર અત્યાચાર ચાલી રહ્યો છે ગુરૂ સાહિબના ગુરૂદ્વારા પર હમલો થયો સાહીબ ગ્રંથનું અપમાન કરાયુ ત્યારે આ બૌદ્ધિક ભારતીય સેક્યુલરો એકદમ ચુપ છે. વિશ્વની કોઈ પણ વાતે ભારતમાં હંગામો કરનારા કટ્ટરવાદીઓ પણ અફઘાનિસ્તાન તાલિબાનો દ્વારા થતા આ કૃત્ય પર મૌન છે. આ મૌન કોઈ સંયોગ નથી પરંતુ તેની કાયમી નિતીનો જ ભાગ છે. 

    જ્યારે ભારતીય મુસ્લિમો સીએએ વિરુદ્ધમાં આંદોલન કરી રહ્યા હતા ત્યારે શીખોએ લંગર લગાવીને ભોજન પુરૂ પાડ્યું હતું તે જ શીખો આજે મદદ માંગી રહ્યા છે ત્યારે એક વાક્ય કે એક શબ્દ તેમના સમર્થનમાં ભારતીય બૌદ્ધિકો દ્વારા કે ભારતીય મુસ્લિમો દ્વારા બોલવાનાં આવી રહ્યું નથી. 

    તમને મ્યાનમારમા રોહિગ્યા પર દયા આવે છે, તમને ભારતથી સેંકડો કિલોમીટર દુર પેલેસ્ટાઈન પર દયા આવે છે પરંતુ તમને ભારતની બાજુમાં આવેલા અફઘાનિસ્તાની શીખો પર દયા નથી આવતી મતલબ એ થયો તમારે માનવતા સાથે કંઈ જ લેવા દેવા નથી તમારો ચોક્કસ એક એજંડા છે માટે જ સિલેકટીવ ઘટના પર બોલવાનું બાકી પર મૌન રહેવાનું. 

    જો કે હવે એક ચોક્કસ વર્ગ આ લોકોના દોગલાપણા વિરુદ્ધમાં અવાજ ઉઠાવી રહ્યો છે. આશા રાખીયે કે ભારતીય કથિત સેકુલર પ્રજાતિ કટ્ટરવાદીઓને બૌદ્ધિક સંરક્ષણ આપવાનુ બંધ કરે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં