Friday, May 3, 2024
More
    હોમપેજદુનિયાઇસ્લામિક દેશમાં હિંદુ મંદિરના ઉદ્ઘાટનથી કટ્ટરપંથી મુસ્લિમો થયા નારાજ, સોશિયલ મીડિયા પર...

    ઇસ્લામિક દેશમાં હિંદુ મંદિરના ઉદ્ઘાટનથી કટ્ટરપંથી મુસ્લિમો થયા નારાજ, સોશિયલ મીડિયા પર ઓક્યું ઝેર: UAE સરકારને ગણાવી શેતાન

    એક યુઝરે તો UAE અને તેની સરકારને શેતાન સાથે સરખાવી દીધી, તેણે લખ્યું, "આ કહેવાતા મુસ્લિમ આરબ નેતાઓ શેતાનની પૂજા કરે છે, ઝિઓનિસ્ટનો એક ભાગ, દજ્જાલ જૂથના છે."

    - Advertisement -

    દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ UAEના પ્રવાસ પર છે. જ્યાં તેઓ બુધવારે (14 ફેબ્રુઆરી 2024) અબુધાબીમાં બનેલા હિંદુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. UAEમાં 27 એકર જમીન પર બનેલા મંદિરની વિશેષતા એ છે, તે ઇસ્લામિક દેશની ધરતી પર નિર્માણ પામેલું વર્તમાનનું પહેલું હિંદુ મંદિર છે. સ્વામિનારાયણ સંપ્રદાયની BAPS સંસ્થા દ્વારા આ મંદિરનું નિર્માણકાર્ય કરવામાં આવ્યું છે. દેશમાં રામ મંદિરના ઉદ્ઘાટન બાદ PM મોદી હવે ઇસ્લામિક દેશમાં બનેલા સૌથી મોટા હિંદુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. જેને લઈને હિંદુ સમુદાય ખુબ જ ખુશ છે, અને UAEની સરકારે પણ આ ઘટનાને ખાસ ગણાવી છે. એકબાજુ જ્યાં UAEની સરકાર મંદિર ઉદ્ઘાટનને ખાસ ગણાવી રહી છે, ત્યાં બીજી બાજુ કટ્ટરપંથી મુસ્લિમો મંદિર નિર્માણથી નારાજ છે, અને UAE સરકાર પર ભડકી ઉઠ્યા છે.

    પોતાનો ગુસ્સો સોશિયલ મીડિયા પર ઠાલવતા તેઓ UAE સરકારને કોસી રહ્યા છે. UAEની એક ન્યુઝ ચેનલ ખલીજ ટાઈમ્સ (Khaleej Times)એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર હિંદુ મંદિરના ઉદ્ઘાટનને લગતી માહિતી પોસ્ટ્સ કરી હતી. જે પછી ઇસ્લામિક દેશમાં હિંદુ મંદિરના નિર્માણથી અકળાયેલા કટ્ટરપંથીઓએ તેનાં પર કોમેન્ટ્સ કરવાનું ચાલુ કર્યું હતું.

    ખલીજ ટાઈમ્સએ મંદિર ઉદ્ઘાટન કાર્યક્રમની માહિતી શેર કરી હતી, જેમાં ત્યાના સ્થાનિક ગુરુદ્વારા દ્વારા મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે 5000 હજાર લોકો માટે લંગરના આયોજન વિશે જણાવ્યું હતું. જેના પર અસરાર શેખ નામનાં એક યુઝર લખ્યું કે, “તેઓ તમારી મસ્જિદોને તોડી રહ્યા છે, અને તમે તેમના માટે મંદિરો બનાવી રહ્યા છો. વાહ, શરમ આવે છે જેઓએ આ મંદિરના નિર્માણને મંજૂરી આપી છે અને ફંડ આપ્યું છે”

    - Advertisement -

    બીજા એક યુઝરે લખ્યું કે,”શું થઈ રહ્યું છે? તેઓ ભારતમાં મસ્જિદને તોડી રહ્યા છે અને મુસ્લિમને મારી નાખે છે. શું તમને શરમ આવે છે #UAEના બેશરમ લોકો?”

    બીજા એક યુઝરે હિંદુઓને કટ્ટર ગણાવતા જ્ઞાન આપ્યું કે, “પ્રતિષ્ઠિત હિંદુ મંદિરનું ઉદ્ઘાટન કરવા માટે અબુ ધાબીના શાસકનો હૃદયપૂર્વક આભાર. હિંદુ કટ્ટરપંથીઓએ પણ પોતાનો અંતરાત્મા શોધવો જોઈએ અને ધર્માંધતાને ખતમ કરવા આગળ આવવું જોઈએ. મુસ્લિમોની મસ્જિદોને તોડવાની કોઈ જરૂર નથી. આ વલણ બંધ થવું જોઈએ.”

    એક યુઝરે તો UAE અને તેની સરકારને શેતાન સાથે સરખાવી દીધી, તેણે લખ્યું, “એટલા માટે કોઈ પણ મુસ્લિમ આરબ નેતા તરફથી આર્જેન્ટિનાના નેતા પર કોઈ નિવેદન આવ્યું નથી, જે અલ અક્સા મસ્જિદને તોડી પાડવાની વાત કરી રહ્યો છે. આ કહેવાતા મુસ્લિમ આરબ નેતાઓ શેતાનની પૂજા કરે છે, ઝિઓનિસ્ટનો એક ભાગ, દજ્જાલ જૂથના છે.”

    ઉલ્લેખનીય છે કે, દેશમાં રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા સમયે પણ કટ્ટરપંથીઓ અને વામપંથીઓએ ખુબ વિરોધ કર્યો હતો. ત્યારે ફરી એકવાર ઇસ્લામિક દેશમાં નિર્માણ પામેલા હિંદુ મંદિરને લઈને કટ્ટરપંથીઓ ઝેર ફેલાવી રહ્યા છે. પીએમ જે મંદિરનું ઉદ્ઘાટન કરવાના છે તે અબુ ધાબીનું પહેલું હિંદુ મંદિર છે. આ મંદિર સંયુક્ત આરબ અમીરાતના અમીર વ્યક્તિ દ્વારા ભેટમાં આપવામાં આવેલી 27 એકર જમીન પર બનાવવામાં આવ્યું છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં