Thursday, May 2, 2024
More
    હોમપેજગુજરાતઅયોધ્યા પહોંચી ગુજરાત સરકાર, CM ભૂપેન્દ્ર પટેલે મંત્રીમંડળ સાથે કર્યા પ્રભુ રામલલાના...

    અયોધ્યા પહોંચી ગુજરાત સરકાર, CM ભૂપેન્દ્ર પટેલે મંત્રીમંડળ સાથે કર્યા પ્રભુ રામલલાના દર્શન: રામાયણના ઐતિહાસિક પ્રસંગનું ચિત્ર પણ ટ્રસ્ટને ભેટ કર્યું

    CM ભૂપેન્દ્ર પટેલે અયોધ્યામાં ભગવાન રામલલાના દર્શન બાદ શબરી માતા અને ભગવાન રામના ઐતિહાસિક પ્રસંગની પ્રતિકૃતિ સમું પેઈન્ટીંગ અયોધ્યા રામ મંદિર જન્મભૂમિ ટ્રસ્ટના ટ્રસ્ટીઓને ભેટ આપ્યું હતું.

    - Advertisement -

    22 જાન્યુઆરી 2024માં રામ મંદિર અયોધ્યામાં ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. જે બાદથી દેશ અને દુનિયાના અનેક રામભક્તો ભગવાન શ્રી રામલલાના દર્શન કરવા માટે અયોધ્યા પહોંચી રહ્યા છે. તેવામાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમણત્રી મંત્રીમંડળ સહિત અયોધ્યા પણ પહોંચી રહ્યા છે. તે જ અનુક્રમે હવે ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ અને તેમના મંત્રીમંડળે અયોધ્યામાં રામલલાના દર્શન કર્યા છે. મુખ્યમંત્રીની સાથે ગુજરાત સરકારના તમામ મંત્રીઓ, વિધાનસભા અધ્યક્ષ અને શાસક પક્ષના દંડક પણ ઉપસ્થિત હતા.

    શનિવારે (2 માર્ચ) ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે તેમના તમામ મંત્રીઓ સાથે અયોધ્યામાં રામલલાના દર્શન કર્યા છે. ભગવાન રામના દર્શન કર્યા બાદ આખું મંત્રીમંડળ સરયૂ ઘાટ પાસે આવેલા ટેન્ટ સિટીની મુલાકાતે પણ પહોંચ્યું હતું. CM ભૂપેન્દ્ર પટેલે અયોધ્યામાં ભગવાન રામલલાના દર્શન બાદ શબરી માતા અને ભગવાન રામના ઐતિહાસિક પ્રસંગની પ્રતિકૃતિ સમું પેઈન્ટીંગ અયોધ્યા રામ મંદિર જન્મભૂમિ ટ્રસ્ટના ટ્રસ્ટીઓને ભેટ આપ્યું હતું.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વિશેની માહિતી તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આપી હતી. તેમણે રામરક્ષા સ્તોત્રના એક મંત્રથી પોસ્ટની શરૂઆત કરી હતી. તેમણે લખ્યું કે, “પાવન નગરી અયોધ્યાજીમાં ભવ્ય અને દિવ્ય શ્રીરામ મંદિરમાં રામલલાના દર્શનની આ અનુભૂતિ હ્રદયને સ્વર્ગીય આનંદથી ભરી દેનારી છે.. અવર્ણનીય છે. ભગવાનના દિવ્ય સ્વરૂપ સમક્ષ ભારતના સર્વોત્તમ વિકાસ અને સનાતન મૂલ્યોના જયકારની પ્રાર્થના કરી.”

    - Advertisement -

    તેમણે વધુમાં લખ્યું કે, “માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અયોધ્યાજી ખાતે ભગવાન શ્રીરામના મંદિરનું નિર્માણનું કરોડો દેશવાસીઓનું સ્વપ્ન પૂરું થયું છે. શ્રીરામ મંદિરના દર્શન માટે પ્રત્યેક ભક્ત આતુર છે. ત્યારે આજે મને આ પુનિત અવસર મળ્યો એ ભગવાનની પરમ કૃપા છે. ભગવાનના ચરણોમાં આસ્થા અને ભક્તિપૂર્વક શીશ નમાવું છું.”

    ભાજપ શાસિત રાજ્યોની કેબિનેટે કર્યા રામલલાના દર્શન

    નોંધનીય છે કે, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી તેમના સમગ્ર મંત્રીમંડળ સાથે ભગવાન શ્રીરામના દર્શન કરવા જઈ શકે તે માટેનું એક શિડ્યુલ બનાવવામાં આવ્યું હતું. તમામ મુખ્યમંત્રીઓ અલગ-અલગ તારીખે અયોધ્યા પહોંચ્યા હતા અને ભગવાન શ્રીરામના દર્શન કર્યા હતા. સૌપ્રથમ ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાએ કેબિનેટ સાથે ભગવાન રામલલાના દર્શન કર્યા હતા. તે બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંત્રીમંડળ સાથે ભગવાનના દર્શન કર્યા હતા.

    તે સિવાય ઉત્તરાખંડના CM પુષ્કર સિંઘ ધામી, મહારાષ્ટ્રના CM એકનાથ શિંદે, અરુણાચલના મુખ્યમંત્રી પ્રેમા કંડૂ, હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, ગોવાના CM પ્રમોદ સાવંત, આસામના મુખ્યમંત્રી હેમંતા બિસ્વા સરમા પણ કેબિનેટ સાથે અયોધ્યા ભગવાન રામલલાના દર્શને પહોંચ્યા હતા. જ્યારે હવે ગુજરાત સરકાર પણ ભગવાનના દરબારમાં પહોંચી છે. તે પછી હવે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ પણ કેબિનેટ સાથે અયોધ્યા જશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં