Friday, April 26, 2024
More
    હોમપેજદુનિયાશ્રીલંકામાં રાજકીય કટોકટી: શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ રાજીનામું આપ્યું

    શ્રીલંકામાં રાજકીય કટોકટી: શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ રાજીનામું આપ્યું

    નોંધનીય છે કે આ પહેલ આજે રાષ્ટ્રપતિનાં નિવાસ પર પ્રદર્શનકારીઓએ હુમલો કરતાં રાષ્ટ્રપતિ રાજપક્ષેને પોતાનું ઘર છોડીને નીકળી જવાની ફરજ પડી હતી જે બાદ તેઓ અજ્ઞાત સ્થળે ચાલ્યા ગયા હતા.

    - Advertisement -

    શ્રીલંકામાં આર્થિક કટોકટી બાદ હવે રાજકીય કટોકટી પણ ઘેરી બનતી જાય છે. રાષ્ટ્રપતિએ પોતાનું ઘર છોડ્યા બાદ હવે મળતી જાણકારી મુજબ શ્રીલંકાના પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંઘે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

    આ માહિતી પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંઘે પોતાના ટ્વિટર દ્વારા આપી હતી. જેમાં તેઓએ કહ્યું હતું કે, “તમામ નાગરિકોની સલામતી સહિત સરકાર ચાલુ રહે તે સુનિશ્ચિત કરવા માટે, સર્વપક્ષીય સરકાર માટે માર્ગ બનાવવા માટે હું આજે પક્ષના નેતાઓની શ્રેષ્ઠ ભલામણને સ્વીકારું છું. આને સરળ બનાવવા માટે હું વડાપ્રધાન પદેથી રાજીનામું આપીશ.”

    વિક્રમસિંઘેએ 12 મેના રોજ વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા અને શ્રીલંકા 1948 પછીની તેની સૌથી ખરાબ આર્થિક કટોકટીમાં ડૂબી ગયું હતું. દવાઓ, દૂધ પાવડર, રાંધણ ગેસ, કેરોસીન અને અન્ય આવશ્યક ચીજોની અછત સાથે ફુગાવાનો દર 40% સુધી વધતા રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા.

    - Advertisement -

    શનિવારે સાંસદોના એક જૂથે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેને પત્ર લખ્યા બાદ વિક્રમસિંઘેના રાજીનામાની માંગ વધી હતી. પીટીઆઇના અહેવાલ મુજબ તેમના પત્રમાં, સાંસદોએ માત્ર વિક્રમસિંઘેને રાજીનામું આપવાની માગણી કરી ન હતી પરંતુ રાજપક્ષેને પદ છોડવા અને સર્વપક્ષીય સરકારની નિમણૂક કરવા પણ કહ્યું હતું.

    નોંધનીય છે કે આ પહેલ આજે રાષ્ટ્રપતિનાં નિવાસ પર પ્રદર્શનકારીઓએ હુમલો કરતાં રાષ્ટ્રપતિ રાજપક્ષેને પોતાનું ઘર છોડીને નીકળી જવાની ફરજ પડી હતી જે બાદ તેઓ અજ્ઞાત સ્થળે ચાલ્યા ગયા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં