Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'હું NCP સાથે છું અને રહીશ': અજિત પવારે ભાજપમાં જોડાવાની અટકળો પર...

    ‘હું NCP સાથે છું અને રહીશ’: અજિત પવારે ભાજપમાં જોડાવાની અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું, કહ્યું- ‘કોઈ ધારાસભ્યની સહી લીધી નથી’

    "કોઈ પણ અફવામાં કોઈ સત્ય નથી. હું એનસીપી સાથે છું અને હું એનસીપી સાથે રહીશ," અજિત પવારે એનસીપી અને મહારાષ્ટ્રના વિપક્ષી ગઠબંધનમાં તિરાડની વાતને નિંદા કરતા કહ્યું.

    - Advertisement -

    આજે એનસીપીના નેતા અને પાર્ટીના વડા શરદ પવારના ભત્રીજા અજિત પવારે પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ સાથે હાથ મિલાવવાની અટકળોને નકારી કાઢી હતી. તેમણે કહ્યું કે તેમના વિશે જે કંઈ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે, તેમાં કોઈ સત્ય નથી. અજિત પવાર હાલમાં મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા છે. તેમણે કહ્યું કે તેઓ એનસીપી સાથે છે અને સાથે જ રહેશે. પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે તેમણે કોઈ ધારાસભ્યની સહી લીધી નથી.

    અજિત પવારે કહ્યું કે હવે બધી અફવાઓ બંધ કરવી જોઈએ. તેમણે કહ્યું કે તેમની અને તેમના સાથીદારો વિરુદ્ધ ખોટા અહેવાલો શેર કરવામાં આવી રહ્યા છે. તેમના કાકા શરદ પવારે પણ એવી અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું હતું કે કોઈએ ધારાસભ્યોની બેઠક બોલાવી નથી અને અજિત પવાર પાર્ટીની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હતા. બીજી તરફ અજિત પવારે પ્રેસ કોન્ફરન્સમાં એમ પણ કહ્યું કે તેઓ તેમની પાર્ટી જે કહેશે તે કરશે. ચર્ચા છે કે તેઓ શરદ પવાર દ્વારા આપવામાં આવેલી ઈફ્તાર પાર્ટીમાં પણ હાજરી આપી શકે છે.

    બીજી તરફ, એવું પણ સામે આવ્યું છે કે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ તેમનો જાપાન પ્રવાસ અધવચ્ચે છોડીને મુંબઈ પરત ફરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે સ્પીકર રાહુલ નાર્વેકર જાપાનથી પરત ફરશે. NCP નેતા અનિલ પટાલે પણ અજિત પવાર સાથે મુલાકાત કર્યા બાદ કહ્યું છે કે ‘દાદા’ પાર્ટી સાથે છે અને કોઈની સાથે વાતચીત કરી નથી. બીજી તરફ મહારાષ્ટ્રના મંત્રી ઉદય સામંતાએ કહ્યું કે જો અજિત પવાર એનસીપી છોડે તો તેમની પાર્ટી તેમનું સ્વાગત કરવા તૈયાર છે.

    - Advertisement -

    ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના નેતા સંજય રાઉતે પણ અજિત પવારના ભાજપમાં જોડાવાની અટકળોને નકારી કાઢી છે. જો કે, તેમણે કહ્યું કે જો કેટલાક ધારાસભ્યો ભાજપ સાથે હાથ મિલાવે તો પણ ત્રણેય MVA પક્ષો સાથે રહેશે.

    જો કે, મીડિયાએ NCP નેતાઓને ટાંકીને કહ્યું કે કંઈપણ થઈ શકે છે, કારણ કે રાજકારણમાં કોઈ કાયમી મિત્ર કે શત્રુ હોતા નથી. કેટલાક ધારાસભ્યોનું કહેવું છે કે અંતિમ નિર્ણય શરદ પવાર જ લેશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં