Wednesday, April 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબંગાળના મોમીનપુરમાં કટ્ટરવાદીઓના ત્રાસથી રડી પડી હિંદુ મહિલાઓ, આક્રંદ કરતા કહ્યું: 'જોવો...

    બંગાળના મોમીનપુરમાં કટ્ટરવાદીઓના ત્રાસથી રડી પડી હિંદુ મહિલાઓ, આક્રંદ કરતા કહ્યું: ‘જોવો અમારું ઘર સળગાવી નાખ્યું, બધું લુંટી ગયા’

    નોંધનીય છે કે બંગાળમાં આ હિંસા 9 ઓક્ટોબર 2022ના રોજ ફાટી નીકળી હતી. ત્યાં, પયગંબર મોહમ્મદના જન્મદિવસ નિમિત્તે, હિન્દુઓના ઘરો અને દુકાનો પર ઇસ્લામિક ધ્વજ લગાવવામાં આવ્યા હતા, જે કથિત રીતે હિન્દુઓ દ્વારા ખોલવામાં આવ્યા હતા. આ પછી, કટ્ટરપંથીઓ 700 થી વધુ લોકોની ભીડમાં એકઠા થયા અને હિન્દુઓના ઘરમાં તોડફોડ કરવાનું શરૂ કર્યું.

    - Advertisement -

    કલકત્તામાં મોમીનપુરમાં કટ્ટરવાદીઓના ત્રાસથી હિંદુ મહિલાઓ રડી પડી હતી, મોમીનપુરમાં હિંદુઓ પર થયેલા હુમલા બાદ મહિલાઓએ રડતા રડતા પોતાની વ્યથા જણાવી હતી, એક મહિલાએ જાણાવ્યું હતું કે, “અમે પરમદિવસ રાતથી ડરના ઓથા હેઠળ જીવીએ છીએ, તે લોકોએ બોમ્બ ફેંકીને ડરનો માહોલ ઉભો કરી દીધો, અમારા છોકરાઓને ઘરેથી ભગાડી મુક્યા, અમારા ઘર સળગાવી દેવામાં આવ્યાં, અમારે અમારા આશારા છોડવા મજબુર થવું પડ્યું”, કલકત્તામાં મોમીનપુરમાં કટ્ટરવાદીઓના ત્રાસથી બચાવનાર કોઈ નથી.

    પીડિતાએ કહ્યું હતું કે આ વિસ્તારના લોકોને ઘર છોડીને રસ્તાઓ પર રહેવા મજબૂર કરવામાં આવ્યા છે. પોલીસ પણ ઘટનાના 4 કલાક પછી આવી. હિંદુ રહેવાસીઓએ સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા કોઈ મદદ ન કરવા બદલ દુઃખ વ્યક્ત કર્યું હતું. જ્યારે કોલકાતાના મેયર અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આ વિસ્તારની ખૂબ નજીક રહેતા હતા. પરંતુ તેમાંથી કોઈ સ્થાનિક હિંદુઓની મદદે ન આવ્યું. ત્યાં રહેતા એક વ્યક્તિએ જણાવ્યું કે અહીંથી પોલીસ સ્ટેશન માત્ર 15 મિનિટના અંતરે છે.

    મોમીનપુર હિંસામાં ઇસ્લામવાદીઓએ હિંદુઓનો ઘરવખરીનો તમામ સામાન બાળીને રાખ કરી દીધો છે. પરંતુ પોલીસ હજુ પણ મુસ્લિમ બહુમતી પ્રત્યે નરમ હોવાનું જણાય છે. વીડિયોમાં એક વ્યક્તિ પાછળથી કહે છે, “જુઓ, મારું ઘર સંપૂર્ણપણે બળી ગયું છે.” પીડિતોએ ફરિયાદ કરી હતી કે તેમના ઘરો પણ ઇસ્લામવાદીઓ દ્વારા લૂંટાયા હતા. પીળી સાડી પહેરેલી એક મહિલા ખૂબ જ ઉદાસ દેખાતી હતી. “આ બોમ્બ ધડાકામાં મને સૌથી વધુ નુકસાન થયું,” તેણે કહ્યું.

    - Advertisement -

    વીડિયોમાં તમે જોઈ શકો છો કે બોમ્બ ધડાકામાં તેમનો પલંગ બળીને રાખ થઈ ગયો છે. વીડિયોમાં મહિલા કહી રહી છે, “દાદા, જુઓ, તેઓએ મારો બધો સામાન લૂંટી લીધો. કંઈ બાકી નથી રહ્યું. જે દિવાલ પર ટીવી લગાવવામાં આવ્યું છે તે પણ બોમ્બ ધડાકામાં ઉડી ગયું હતું. પંખાની હાલત જોવો. અમને રક્ષણ મળવું જોઈએ.”

    અન્ય એક હિંદુ પીડિતાએ કહ્યું, “અમારા ઘર પર બારીઓમાંથી પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. બારીનો કાચ તૂટ્યો હતો અને પલંગ પર કાચ વેરવિખેર પડ્યો હતો. પથ્થરમારાના કારણે બધી જગ્યાએ ઇંટો વેર વિખેર છે. સવારે અમારે ગંદકી સાફ કરવી હતી પણ અમને ડર હતો કે કદાચ છત પડી જશે. અમારી બધી વસ્તુઓ પથારી પર હતી.”

    મોમીનપુર હિંદુ વિરોધી રમખાણો

    અગાઉ ઑપઈન્ડિયાએ અહેવાલ આપ્યો હતો કે કેવી રીતે ઇસ્લામવાદીઓએ રવિવારે (9 ઓક્ટોબર) સાંજે મોમીનપુરના મેલા ડેપોમાં હિન્દુઓ પર હુમલો કર્યો હતો. અહીં લક્ષ્મી પૂજાની સાંજે તોફાનીઓએ હિંદુઓની દુકાનો અને ઘરોમાં તોડફોડ કરી હતી. આ દરમિયાન હિન્દુઓના ઘરો પર પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યા, તેમની ઝૂંપડીઓને આગ લગાડવામાં આવી, તેમના સામાનમાં તોડફોડ કરવામાં આવી. આ પછી આ કટ્ટરવાદી ટોળું ઈસ્લામિક ઝંડા સાથે ઈકબાલપુર પોલીસ સ્ટેશનમાં ઘૂસી ગયું અને ત્યાં પણ ભારે અશાંતિ સર્જાઈ.

    પશ્ચિમ બંગાળના બીજેપીના પ્રમુખ સુકાંત મજુમદારના જણાવ્યા અનુસાર, કોલકાતા બંદર વિસ્તારમાં મયુરભંજમાં તેમના ઘરો પર હુમલા બાદ હિંદુઓને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. દરમિયાન બીજેપી નેતા પ્રિતમ સૂરે પણ આ ભયાનક ઘટનાનો વીડિયો શેર કર્યો હતો, જેમાં બદમાશો શેરીઓમાં ઝપાઝપી કરતા જોવા મળ્યા હતા.

    હિંસાના પગલે રાજ્યના ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ બંગાળના રાજ્યપાલ અને ગૃહ પ્રધાન અમિત શાહને પત્ર લખીને મોમીનપુરમાં સેન્ટ્રલ ફોર્સ (CAPF) તૈનાત કરવા વિનંતી કરી હતી કારણ કે રાજ્ય સરકાર તોફાનીઓને તેમના ધર્મને જોઈને કંઈપણ કહેવાનું ટાળી રહી છે.

    નોંધનીય છે કે બંગાળમાં આ હિંસા 9 ઓક્ટોબર 2022ના રોજ ફાટી નીકળી હતી. ત્યાં, પયગંબર મોહમ્મદના જન્મદિવસ નિમિત્તે, હિન્દુઓના ઘરો અને દુકાનો પર ઇસ્લામિક ધ્વજ લગાવવામાં આવ્યા હતા, જે કથિત રીતે હિન્દુઓ દ્વારા ખોલવામાં આવ્યા હતા. આ પછી, કટ્ટરપંથીઓ 700 થી વધુ લોકોની ભીડમાં એકઠા થયા અને હિન્દુઓના ઘરમાં તોડફોડ કરવાનું શરૂ કર્યું. પોલીસને વારંવાર ફોન કરવા છતાં કોઈ સુનાવણી થઈ ન હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં