Thursday, May 9, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટભગવાન રામ-હનુમાનજીનું અપમાન, મંદિરો વિશે અભદ્ર ટિપ્પણી: વડોદરાના પોલીસ અધિકારીએ ફેસબુક પર...

    ભગવાન રામ-હનુમાનજીનું અપમાન, મંદિરો વિશે અભદ્ર ટિપ્પણી: વડોદરાના પોલીસ અધિકારીએ ફેસબુક પર કરી આપત્તિજનક પોસ્ટ્સ, સોશિયલ મીડિયા પર વિરોધ થતાં સસ્પેન્ડ

    આ મામલો પોલીસ બેડામાં પણ ચર્ચાનો વિષય બન્યો હતો અને ત્યારબાદ રાજ્યના ગૃહ વિભાગના ધ્યાને પણ આવતાં વડોદરા શહેર પોલીસ કમિશનર પાસે રિપોર્ટ માંગવામાં આવ્યો હતો.

    - Advertisement -

    સોશિયલ મીડિયા ઉપર હિંદુદ્વેષી પોસ્ટ કરવા બદલ વડોદરાના એક પોલીસ અધિકારી સસ્પેન્ડ થયા છે. પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા અધિકારી નિશાંત સોલંકીએ ફેસબુક ઉપર અમુક વાંધાજનક પોસ્ટ્સ કરી હતી, જેને લઈને સોશિયલ મીડિયા પર ભારે વિરોધ થઇ રહ્યો હતો તો આ મામલે ફરિયાદ પણ અપાઈ હતી. ત્યારબાદ ગૃહ વિભાગના આદેશથી વડોદરાના પોલીસ કમિશનરે અધિકારીને સસ્પેન્ડ કરી દીધા હતા.

    મળતી માહિતી અનુસાર છેલ્લા એક વર્ષ ઉપરાંતથી વડોદરા શહેર પોલીસમાં એન્ટી હ્યુમન ટ્ર્ફિક યુનિટમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા નિશાંત સોલંકીએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર હિંદુ ધર્મ અને દેવી દેવતાઓ પર અભદ્ર પોસ્ટ કરી હતી. પોસ્ટમાં લખવામાં આવ્યું કે, ‘રામ ભગવાન થે, હનુમાન બંદર થે, રામ પૈદલ ચલતે થે ઔર હનુમાન ઉડતે થે. ક્યોંકિ હનુમાન કે પાસ આરક્ષણ થા.’ આ સિવાની એક પોસ્ટમાં તેમણે તેમ પણ લખ્યું કે, ‘જિસ દેશ મેં….પૂજા હોતી હૈ, ઉસ દેશ કે મંદિરો મેં બલાત્કારી નહીં બેઠેંગે તો ક્યાં સંસ્કારી બેઠેંગે…!” તેમની આ બંને પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગઈ હતી.

    આ પોસ્ટ વાયરલ થતાંની સાથે જ બજરંગદળના રાષ્ટ્રીય સંયોજક અને હિમાચલ વિહિપના પૂર્વ પ્રાંત સંગઠન મંત્રી નીરજ દોનેરીયાના ધ્યાને આવતાં તેમણે મંગળવારે (11 એપ્રિલ 2023) પોતાના આધિકારિક ટ્વિટર હેન્ડલ પરથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ગુજરાત પોલીસ, ગુજરાત પોલીસના સાઈબર સેલ અને ડીજીપી ગુજરાતને ટાંકીને આ મુદ્દે ધ્યાન દોરતું ટ્વિટ કરીને આ પોલીસ અધિકારી વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી હતી. ત્યારબાદ સોશિયલ મીડિયા પર અનેક લોકોએ આ પોસ્ટને લઈને વિરોધ નોંધાવીને કડક કાર્યવાહીની માંગ કરી હતી.

    - Advertisement -

    ગૃહમાત્રલયે લીધાં ત્વરિત પગલાં

    આ મામલો પોલીસ બેડામાં પણ ચર્ચાનો વિષય બન્યો હતો અને ત્યારબાદ રાજ્યના ગૃહ વિભાગના ધ્યાને પણ આવતાં વડોદરા શહેર પોલીસ કમિશનર પાસે રિપોર્ટ માંગવામાં આવ્યો હતો. જે મામલે વડોદરા સાયબર સેલે પીઆઈના અકાઉન્ટની ખરાઈ કર્યા બાદ રિપોર્ટ સુપરત કર્યો હતો. ત્યારબાદ વડોદરાના ઇન્ચાર્જ પોલીસ કમિશનર મનોજ નિનામાએ અધિકારીને સસ્પેન્ડ કરી દીધા હતા.

    અમદાવાદમાં અપાઈ હતી PI વિરુદ્ધ પોલીસ અરજી

    ઉલ્લેખનીય છે કે આ મામલે અમદાવાદના ઘાટલોડિયામાં પણ PI સોલંકી વિરુદ્ધ એક અરજી પણ દાખલ કરવામાં આવી હતી. અમદાવાદના વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ ગત ફેબ્રુઆરીમાં પોલીસ અધિકારીની આ વિવાદાસ્પદ પોસ્ટને લઈને પોલીસ મથકે અરજી નોંધાવી હતી. જે મામલે અમદાવાદ શહેર બજરંગ દળ સંયોજક હિરેન રબારીએ ઑપઇન્ડિયા સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું કે, તેમને ફેસબુક પર આ પોસ્ટ જોવા મળી હતી, જે હિંદુ સમાજની લાગણી દુભાવે તે પ્રકારની હોવાના કારણે તેમણે પોલીસ મથકે અરજી નોંધાવી હતી. તેમણે કહ્યું કે, આ સિવાય વિહિપના પરિષદના સોશિયલ મીડિયા ગ્રુપે પણ આ મામલે જાગૃતિ લાવવા પ્રયત્નો કરી ગૃહ મંત્રાલય અને CMOને ટાંકીને કાર્યવાહીની માંગ કરી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં