Sunday, May 5, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટભરૂચ ધર્માંતરણ કેસ: વધુ બે આરોપીઓ સરફરાઝ અને રમીઝ રાજાની ધરપકડ, અત્યાર...

    ભરૂચ ધર્માંતરણ કેસ: વધુ બે આરોપીઓ સરફરાઝ અને રમીઝ રાજાની ધરપકડ, અત્યાર સુધી કુલ 16 પકડાયા

    આ બંને આરોપીઓ ઉપર ધર્મપરિવર્તન કરાયેલા લોકો માટે અનાજ, કપડાં, દવાની વ્યવસ્થા કરવા તેમજ આર્થિક રીતે નબળા લોકોને પૈસા, નોકરીની લાલચ આપી ધર્માંતરણ કરાવવાનો આરોપ લાગ્યો છે.

    - Advertisement -

    ભરૂચના આમોદ તાલુકાના કાંકરિયા ગામમાં હિંદુ આદિવાસી પરિવારોના ધર્માંતરણ કેસ મામલે વધુ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ભરૂચ એસઓજી દ્વારા આ બંનેને પકડતાંની સાથે જ આ કેસમાં પકડાયેલા આરોપીઓની કુલ સંખ્યા 16 જેટલે પહોંચી છે. 

    ધર્માંતરણ કેસમાં પકડાયેલા બંને આરોપીઓની ઓળખ સરફરાઝ ઉર્ફે જાવેદ ખુજી ઉર્ફે જાવેદ મુફ્તી સલીમ હસન યુસુફ ઇબ્રાહિમ પટેલ (રહે. અછોડ) અને રમીઝ રાજા ઉર્ફે ઓવેશ અબ્દુલગની અબ્દુલરહીમ ખાનજી તરીકે થઇ છે. પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ મેળવવા માટે તજવીજ હાથ ધરી હતી. 

    આ બંને આરોપીઓ ઉપર ધર્મપરિવર્તન કરાયેલા લોકો માટે અનાજ, કપડાં, દવાની વ્યવસ્થા કરવા તેમજ આર્થિક રીતે નબળા લોકોને પૈસા, નોકરીની લાલચ આપી ધર્માંતરણ કરાવવાનો આરોપ લાગ્યો છે. આ બંનેએ લંડનથી અબ્દુલ ફેફડવાલાનને બોલાવીને ધર્માંતરણ કેસમાં મોટી ભૂમિકા ભજવી હોવાનું કહેવાય છે. 

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે ભરૂચ ધર્માંતરણ કેસ મામલે ભરૂચ પોલીસે અત્યાર સુધી કુલ 16 આરોપીઓની ધરપકડ કરી છે. આ તમામ વિરુદ્ધ આમોદના કાંકરિયાના 150 હિંદુ આદિવાસી પરિવારોને લોભ-લાલચ આપી ઇસ્લામમાં પરિવર્તિત કરાવવાનો આરોપ છે. કોર્ટે અગાઉ તમામ 14 આરોપીઓના જામીન ફગાવી દીધા હતા, જેથી હાલ તમામ જેલમાં બંધ છે. આ કેસમાં કુલ 21 આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં મૂળ નબીપુરના અને હાલ લંડન રહેતા અબ્દુલ ફેફડવાલા સામે રેડ કોર્નર નોટીસ પણ જારી કરવામાં આવી છે. 

    ગત 30 એપ્રિલે જ આ કેસમાં વધુ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલા આરોપીઓની ઓળખ અબ્દુલ સમદ દાઉદ પટેલ, શાબિર ઉર્ફે શબ્બીર દાઉદ પટેલ, હસન ઈસા ઇબ્રાહિમ પટેલ અને ઈસ્માઈલ યાકુબ મુસા પટેલ ડેલાવાલા તરીકે થઇ હતી. 

    ગત નવેમ્બર 2021માં આ કેસ નોંધાયો હતો. ભરૂચના આમોદ તાલુકાના કાંકરિયા ગામના પ્રવીણ વસાવા દ્વારા અબ્દુલ્લા ફેફડાવાલા, સલાહુદ્દીન શેખ સહિત અન્ય ઘણા લોકો વિરુદ્ધ વસાવા સમુદાયના લોકોના સામૂહિક ધર્માંતરણનો આરોપ લગાવીને ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે, અનુસૂચિત જનજાતિના લોકોને નોકરી, ઘર, લગ્ન અને પૈસાની લાલચ આપી ધર્મપરિવર્તન કરવાવવામાં આવ્યું હતું. આ સાથે આ ધર્માંતરણ માટે વિદેશથી ફંડિંગ થયું હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો. 

    ફરિયાદના આધારે ભરૂચ પોલીસે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમની કલમ 4,5, 4-G અને આઇપીસી ધારા 120 (B) 153(B) (C) , 506 (2), 153A (1), 295 (K), 466, 467, 468, 471 અને એટ્રોસિટી એક્ટની કલમ 3 (2), (5-A), 3 (2) (5) તેમજ આઇટી એક્ટ 2000 ની કલમ 84-C હેઠળ આરોપીઓ સામે કેસ દાખલ કર્યો હતો. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં