Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરાષ્ટ્રપતિ ચૂંટણી માટે સીએમ મમતા બેનર્જીની બેઠકને આંચકો, વિપક્ષી એકતાનો પરપોટો ફૂટ્યો:...

    રાષ્ટ્રપતિ ચૂંટણી માટે સીએમ મમતા બેનર્જીની બેઠકને આંચકો, વિપક્ષી એકતાનો પરપોટો ફૂટ્યો: ફારુક અબ્દુલ્લાને રાષ્ટ્રપતિ બનાવવા કવાયદ ચાલી રહી છે?

    રાષ્ટ્રપતિ પદ માટે વિપક્ષનો ઉમેદવાર નક્કી કરવા માટે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ વિપક્ષી પાર્ટીઓની બેઠક બોલાવી હતી પરંતુ તેનો ફિયાસ્કો થતાં હવે મામલો વધુ ગૂંચવાયો છે.

    - Advertisement -

    દેશમાં રાષ્ટ્રપતિ ચૂંટણી યોજાવાનું બ્યુગલ વાગી ગયું છે. આ ક્રમમાં, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે (15 જૂન, 2022) સંયુક્ત વ્યૂહરચના તૈયાર કરવા માટે દિલ્હીમાં ‘કોન્સ્ટિટ્યુશન ક્લબ ઑફ ઈન્ડિયા’ ખાતે વિપક્ષની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં સૌપ્રથમ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે NCP ચીફ શરદ પવારના નામનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. જો કે, જ્યારે તેમણે ઓફર ઠુકરાવી દીધી, ત્યારે વિપક્ષે એક સર્વસંમત ઉમેદવારને ઉભા રાખવાની જાહેરાત કરી.

    બેઠક બાદ મમતા બેનર્જીએ કહ્યું કે, “આજે ઘણી પાર્ટીઓ અહીં હતી. અમે નક્કી કર્યું છે કે અમે એક જ સર્વસંમતિથી ઉમેદવાર પસંદ કરીશું. દરેક વ્યક્તિ આ ઉમેદવારને પોતાનું સમર્થન આપશે. અમે અન્ય લોકો સાથે સલાહ લઈશું. આ એક સારી શરૂઆત છે. ઘણા મહિનાઓ પછી અમે સાથે બેઠા અને અમે તે ફરીથી કરીશું.” સૂત્રોના જણાવ્યા અનુસાર મમતા બેનર્જીએ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે વિપક્ષી ઉમેદવાર તરીકે ફારુક અબ્દુલ્લા અને ગોપાલકૃષ્ણ ગાંધીના નામ સૂચવ્યા હતા.

    બેઠકમાં આ પક્ષો સંમેલિત રહ્યા

    આ બેઠકમાં ઓછામાં ઓછા 16 પક્ષોના નેતાઓએ હાજરી આપી હતી. તેમાં કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, NCP, DMK, RJD, શિવસેના, CPI, CPI(M), CPI(ML), નેશનલ કોન્ફરન્સ, PDP, JD(S), RSP, IUML, RLD અને JMM સામેલ હતા. આ બેઠકમાં પવાર ઉપરાંત એનસીપીના નેતા પ્રફુલ પટેલ, મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસના જયરામ રમેશ અને રણદીપ સુરજેવાલા, જેડી(એસ)ના એચડી દેવગૌડા અને એચડી કુમારસ્વામી, સપાના અખિલેશ યાદવ, પીડીપીના મહેબૂબા મુફ્તી, ઓમર અબ્દુલ્લા સહિતના અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં નેશનલ કોન્ફરન્સ પણ સામેલ હતી.

    - Advertisement -

    નોંધનીય છે કે આ બેઠકનું આમંત્રણ મળવા છતાં, AAP, ચંદ્રશેખર રાવની તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS) અને ઓડિશાની સત્તારૂઢ BJD આ બેઠકથી દૂર રહી હતી. આ સિવાય શિરોમણી અકાલી દળે પણ આ બેઠકમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો છે. પીટીઆઈના અહેવાલ મુજબ ટીઆરએસ કોંગ્રેસ સાથે સ્ટેજ શેર કરવા માંગતી નથી. બીજી તરફ AAPએ કહ્યું કે, “આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારની જાહેરાત થયા બાદ જ આ મુદ્દા પર વિચારણા કરશે.”

    મમતાની બેઠકનું ફૂસફૂસિયું

    ઉલ્લેખનીય છે કે ઈલેક્ટોરલ કોલેજમાં NDAની વોટ ટકાવારી અડધાથી વધુ છે. આ ચૂંટણીમાં BJD, YSRCP, TRS કિંગ મેકરની ભૂમિકામાં છે. આ પક્ષોએ મમતાની સભાથી અંતર બનાવી લીધું છે. આવી સ્થિતિમાં મમતા બેનર્જીનો ફરી એકવાર ભાજપ વિરુદ્ધ મંચ ઊભો કરવાનો પ્રયાસ વ્યર્થ ગયો છે. તેને આ રીતે પણ સમજી શકાય છે કે ગયા અઠવાડિયે મમતા બેનર્જીએ દેશભરની 22 પાર્ટીઓને બેઠક માટે આમંત્રણ મોકલ્યું હતું, પરંતુ તેમાં માત્ર 16 પાર્ટીઓએ જ ભાગ લીધો હતો.

    દરમિયાન, સૂત્રોને ટાંકીને, અહેવાલ છે કે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે બુધવારે મલ્લિકાર્જુન ખડગે, મમતા બેનર્જી અને અખિલેશ યાદવ સહિત ઘણા વિપક્ષી નેતાઓને બોલાવ્યા અને તેમને રાષ્ટ્રપતિની ચૂંટણી માટે નામ સૂચવવા વિનંતી કરી. સૂત્રોએ જણાવ્યું કે જ્યારે તેમને રાષ્ટ્રપતિની ચૂંટણી માટે સરકાર દ્વારા પ્રસ્તાવિત નામ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જવાબ આપ્યો ન હતો અને તેથી વિપક્ષી નેતાઓએ તેમના જવાબમાં કોઈ પ્રતિબદ્ધતા દર્શાવી ન હતી.

    ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિ ચૂંટણી 2022 માટે મતદાનની પ્રક્રિયા 18 જુલાઈથી શરૂ થશે. આ પછી 21 જુલાઈએ મતગણતરી થશે. વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં દેશના નવા રાષ્ટ્રપતિ 25 જુલાઈના રોજ શપથ લેશે. પરંતુ આ ચૂંટણી સત્તાધારી ભાજપ માટે પણ કસોટીથી ઓછી નથી.

    યાદ રહે કે 2019ની લોકસભાની ચૂંટણી પહેલા ચંદ્રાબાબુ નાયડુ પણ વિપક્ષને એક કરવા માટે બહાર આવ્યા હતા અને બેઠકો પર બેઠકો યોજી રહ્યા હતા, પરંતુ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં તેમને એવી હાર મળી કે તેઓ હવે રાષ્ટ્રીય તેમજ રાજ્યના રાજકારણ માટે અપ્રસ્તુત બની ગયા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં