Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટશ્રી કૃષ્ણ જન્મભૂમિ-ઈદગાહ કેસ: અલ્હાબાદ હાઈકોર્ટે મુસ્લિમ પક્ષને આંચકો આપ્યો, વક્ફ બોર્ડની...

    શ્રી કૃષ્ણ જન્મભૂમિ-ઈદગાહ કેસ: અલ્હાબાદ હાઈકોર્ટે મુસ્લિમ પક્ષને આંચકો આપ્યો, વક્ફ બોર્ડની અરજી ફગાવી, મથુરાની 13.37 એકર જમીન માટે નવેસરથી સુનવણીનો આપ્યો આદેશ

    શ્રી કૃષ્ણ જન્મભૂમિ ઇદગાહ કેસમાં હાઇકોર્ટે શાહી ઇદગાહ ટ્રસ્ટ અને યુપી સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડની અરજીને ફગાવી દીધી છે. બીજી તરફ હાઈકોર્ટના આદેશ બાદ હવે મથુરાના જિલ્લા ન્યાયાધીશ નવેસરથી સુનાવણી કરીને આદેશ આપશે. તમામ પક્ષકારોએ મથુરા જિલ્લા ન્યાયાધીશ સમક્ષ તેમની દલીલો નવેસરથી રજૂ કરવી પડશે.

    - Advertisement -

    અલ્હાબાદ હાઈકોર્ટે સોમવારે મથુરાના શાહી ઈદગાહ ટ્રસ્ટ અને યુપી સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડની અરજી પરત કરી દીધી છે. જસ્ટિસ પ્રકાશ પડિયાની કોર્ટે મથુરાના જિલ્લા ન્યાયાધીશને સમગ્ર કેસની નવેસરથી સુનાવણી કરવાનો આદેશ આપ્યો હતો. આને શ્રી કૃષ્ણ વિરાજમાન પક્ષની મોટી જીત તરીકે જોવામાં આવી રહ્યું છે.

    કોર્ટે શાહી ઇદગાહ ટ્રસ્ટ, ઉત્તર પ્રદેશ સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ અને ભગવાન કૃષ્ણ વિરાજમાન કેસ પર દલીલો પૂર્ણ કર્યા પછી 17 એપ્રિલે ચુકાદો અનામત રાખ્યો હતો. આ પછી નિર્ણય 24મી એપ્રિલે આવવાનો હતો, પરંતુ તે દિવસે પણ આગામી તારીખ બદલીને 1લી મે કરવામાં આવી હતી.

    શું હતી મુસ્લિમ પક્ષની યાચિકા

    શ્રી કૃષ્ણ વિરાજમાન વતી મથુરા કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. શ્રી કૃષ્ણ વિરાજમાન પક્ષના વકીલ શ્રી હરિ શંકર જૈને જણાવ્યું કે મથુરા કોર્ટમાં તેમણે ભગવાન કૃષ્ણની 13.37 એકર જમીન મુક્ત કરવાની માંગ કરી હતી. આ દાવા સામે શાહી ઈદગાહ પક્ષ હાઈકોર્ટમાં ગયો હતો.

    - Advertisement -

    ભગવાન શ્રી કૃષ્ણ વિરાજમાન વતી, સિવિલ જજની કોર્ટમાં 20 જુલાઈ, 1973ના નિર્ણયને રદ કરવા અને કટરા કેશવ દેવની 13.37 એકર જમીન શ્રી કૃષ્ણ વિરાજમાનના નામે જાહેર કરવાની માંગણી કરવામાં આવી હતી. વાદી વતી એવું કહેવામાં આવ્યું હતું કે 1973માં જમીન અંગે બે પક્ષકારો વચ્ચેના કરારના આધારે આપેલો નિર્ણય વાદીને લાગુ પડશે નહીં, કારણ કે તે તેમાં પક્ષકાર નથી.

    હાઇકોર્ટે હટાવી સુનવણી પરની રોક

    આ પહેલા મુસ્લિમ પક્ષની અરજી પર સુનાવણી કરતી વખતે ખુદ અલ્હાબાદ હાઈકોર્ટે મથુરા કોર્ટમાં ટ્રાયલ પર રોક લગાવી દીધી હતી. જેને હવે અલ્હાબાદ હાઈકોર્ટે હટાવી દીધી છે. શ્રી કૃષ્ણ વિરાજમાન વતી દાખલ કેસ પર મથુરા કોર્ટમાં નવેસરથી સુનાવણી થશે.

    એડવોકેટ ગરિમા પ્રસાદે સ્ટે હટાવવાની માંગ કરતા કહ્યું કે મૂળ દાવા પર સમન્સ જારી કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી વચગાળાના આદેશને લગતી છે. કાઉન્ટર ક્લેઈસ કાઉન્ટર ક્લેઈમ બંને પક્ષો દ્વારા દાખલ કરવામાં આવ્યા છે. હાઈકોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં