Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટનારાજ રાજ ઠાકરેએ પોતાની ઔરંગાબાદ રેલી દરમિયાન રાજ્યમાં જાતિના રાજકારણ માટે શરદ...

    નારાજ રાજ ઠાકરેએ પોતાની ઔરંગાબાદ રેલી દરમિયાન રાજ્યમાં જાતિના રાજકારણ માટે શરદ પવારને આડા હાથે લીધા

    મહારાષ્ટ્રના ઔરંગાબાદની પોતાની જનસભામાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ શરદ પવાર દ્વારા ચલાવવામાં આવતા જાતિવાદી રાજકારણની આકરી ટીકા કરી હતી.

    - Advertisement -

    1લી મે 2022 ના રોજ મહારાષ્ટ્રના સ્થાપના દિવસે, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરે દ્વારા મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે NCPના વડા શરદ પવાર પર આરોપ લગાવ્યા હતા. પોતાની જાહેર સભા દરમિયાન, તેમણે મહારાષ્ટ્રમાં જાતિનું ઝેરી રાજકારણ આગળ કરવા બદલ NCP પ્રમુખ શરદ પવારની આકરી ટીકા કરી હતી.

    સભાને સંબોધતા રાજ ઠાકરે બોલ્યા, “અહીં કેવું રાજકારણ ચાલી રહ્યું છે? મહારાષ્ટ્રે રાષ્ટ્રને ચોક્કસ વિચારો આપ્યા. અમે સમાજવાદ આપ્યો, અમે બૌદ્ધ ધર્મને ફેલાવવામાં મદદ કરી, અહીં સામ્યવાદીઓ પણ હતા અને હિન્દુત્વ પણ. અને હવે રાજકીય નેતાઓ અપશબ્દોનો ઉપયોગ કરે છે. શું આપણે આ આદર્શ આપણા બાળકો સમક્ષ મુકીશું? શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ પોતાના ચૂંટણી લાભ ખાતર લોકોના મનમાં ઝેર ઓક્યું. આ ઝેર શાળા-કોલેજ જતા બાળકોમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે.”

    શરદ પવાર પર તેમના ધાર્મિક ફોટો-ઓપ્સ અંગે પ્રહાર કરતા MNS વડાએ કહ્યું, “શરદ પવાર નાસ્તિક છે. મારા ભાષણ પછી દેવતાઓને પ્રાર્થના કરતી અને પૂજા વિધિ કરતાં તેમના ફોટા વાયરલ કરવામાં આવ્યા હતા. નાટક ન કરો, અભિનય ન કરો. તમારી પોતાની દીકરીએ સંસદમાં કહ્યું કે તેના પિતા નાસ્તિક છે. શું મારે કોઈ અલગ પુરાવા આપવાની જરૂર છે?”

    - Advertisement -

    વધુમાં, રાજ ઠાકરે દ્વારા જણાવાયું, “શરદ પવારે મને મારા દાદા પ્રબોધંકર કેશવ સીતારામ ઠાકરેના પુસ્તકો વાંચવાનું કહ્યું હતું. મેં તેમને સંપૂર્ણ રીતે વાંચ્યા છે, પરંતુ શરદ પવાર જે કંઈ કરે છે તે ચેરી-પિક છે. શરદ પવાર મારા દાદાને ત્યારે જ ટાંકે છે જ્યારે તેમના અવતરણો શરદ પવારની જાતિના રાજકારણને અનુકૂળ આવે. મારા દાદા હિંદુ હતા. તેઓ ધર્મના વિરોધી નહોતા પરંતુ તેમના વિચારો ધર્મના તે દિવસોમાં જરૂરી સામાજિક સુધારા માટે હતા. તેમના લખાણો તે સમયના સંદર્ભમાં હતા.”

    શરદ પવાર અને તેમની પાર્ટી પર તેમનો હુમલો ચાલુ રાખતા, ઠાકરેએ કહ્યું, “આ NCP લોકોએ છત્રપતિ શિવાજી મહારાજ વિશે જેમ્સ લેન દ્વારા લખેલા પુસ્તકને લઈને જાતિના આધારે મહારાષ્ટ્રને વિભાજિત કર્યું. તેઓ (એનસીપીના લોકો) કહે છે કે બ્રિટિશ લેખકે આદરણીય શિવાજી મહારાજ વિશે ખોટી અને અપમાનજનક વાતો લખી હતી અને તે લેખકને આવી માહિતી શિવ શાહીર બાબાસાહેબ પુરંદરે નામના બ્રાહ્મણે આપી હતી. શરદ પવાર આટલા વર્ષો સુધી સત્તામાં હતા, તેઓ કેન્દ્રીય મંત્રી હતા, તેમણે તે લેખકને ભારત કેમ ન પકડી લાવ્યા? તેમણે તેને કેમ ન પૂછ્યું? તે લેખક જેમ્સ લેનનો ઈન્ડિયા ટુડેનો ઈન્ટરવ્યુ આ રહ્યો. આ ઈન્ટરવ્યુમાં તેણે સ્પષ્ટપણે કહ્યું કે બાબાસાહેબ પુરનદરેએ તેમને કોઈ માહિતી આપી નથી અને તેમણે ક્યારેય તેમની સાથે વાત કરી નથી. તેણે કહ્યું કે તેણે વાર્તાઓ લખી છે જે તે અન્ય સ્ત્રોતોથી જાણતો હતો, તેણે ઇતિહાસ લખ્યો નથી.”

    રાજ ઠાકરેએ શરદ પવારને આગળ પૂછ્યું, “તમે રાજ્યમાં બ્રાહ્મણો અને મરાઠાઓને લડાઈના માર્ગે કેમ ઊભા કર્યા? રામદાસ સ્વામી શિવાજી મહારાજના ગુરુ હતા કે સંત તુકારામ એ મુદ્દો નથી, બધા મહાન હતા. પણ શું આપણે તેમને જ્ઞાતિની લેન્સથી જોઈશું? શું રામદાસ સ્વામીને બ્રાહ્મણ તરીકે જોવામાં આવશે? શું શિવાજી મહારાજની સમાધિ બાંધનાર લોકમાન્ય તિલકને બ્રાહ્મણ તરીકે જોવામાં આવશે જ્યારે તેમના પ્રથમ અખબારનું નામ મરાઠા હતું? મહારાષ્ટ્રમાં હવે આ જાતિય રાજકારણ સહન કરવામાં આવશે નહીં.”

    રાજ ઠાકરેએ એમ પણ કહ્યું કે એનસીપીની તાજેતરની જાહેર સભાઓ લોકો દ્વારા નોંધવામાં આવી છે. “મહારાષ્ટ્રના લોકો જાણે છે કે અમોલ મિતકારીએ આપણા ધર્મ વિશે શું કહ્યું છે. એનસીપી પ્રમુખ શરદ પવાર પણ કહેતા હતા કે આ શાહુ-ફૂલે-આંબેડકરનું મહારાષ્ટ્ર છે. હા, હું પણ કહું છું કે તે તેમનું મહારાષ્ટ્ર છે, પરંતુ તેમના પહેલા છત્રપતિ શિવાજી મહારાજનું છે. એવું લાગે છે કે શરદ પવારને હિંદુ શબ્દથી એલર્જી છે. મારી ટીકા પછી જ NCPના લોકો તેમના મંચ પર શિવાજી મહારાજની મૂર્તિ મૂકે છે. તે પહેલાં, તેઓએ સ્ટેજ પર તેની તસવીર પણ મૂકી ન હતી. તેઓ ફક્ત આપણા મરાઠા ભાઈ-બહેનોને ગેરમાર્ગે દોરવા માટે તેનું નામ લે છે.’

    રાજ ઠાકરે મહારાષ્ટ્રના હાલના શાસક મહા વિકાસ આઘાડી ગઠબંધન સાથે યુદ્ધના માર્ગે છે, જેમાં શરદ પવારની એનસીપી મુખ્ય ભાગીદાર છે, તાજેતરના દિવસોમાં મસ્જિદોમાં લાઉડસ્પીકરોના મુદ્દાને લઈને, અને તેમણે સરકારને આપેલી સમયમર્યાદા આગામી ઈદ પર સમાપ્ત થઈ રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં