Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટખાલિસ્તાન સમર્થકો દ્વારા પટિયાલાના કાલી મંદિરમાં પેટ્રોલ બોમ્બ ફેંકાયા, હિંદુ સંગઠનોએ કહ્યું-...

    ખાલિસ્તાન સમર્થકો દ્વારા પટિયાલાના કાલી મંદિરમાં પેટ્રોલ બોમ્બ ફેંકાયા, હિંદુ સંગઠનોએ કહ્યું- પંજાબમાં જે ક્યારેય નહોતું થયું તે AAP સરકારમાં થયું

    પંજાબના પતિયાલામાં આજે ખાલિસ્તાન સમર્થકો અને વિરોધીઓ વચ્ચે આજે હિંસા ફાટી નીકળી હતી જેમાં અહીંના કાલી મંદિરને નિશાન પર લેવામાં આવ્યું હતું.

    - Advertisement -

    પંજાબના પટિયાલામાં ખાલિસ્તાનીઓએ પ્રસિદ્ધ કાલી માતા મંદિર પર હુમલો કર્યો અને ખાલિસ્તાન સમર્થક નારા લગાવ્યા.આજની એક તાજી ઘટનામાં પંજાબના પટિયાલામાં ખાલિસ્તાન સમર્થકો અને હિન્દુ સંગઠનો વચ્ચે હિંસક અથડામણના સમાચાર છે. આ અથડામણ રોકવા આવેલા SHO પર ખાલિસ્તાન સમર્થકો દ્વારા તલવાર વડે હુમલો કર્યો હતો. કાલીમાતા મંદિર પર હુમલો કરી પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. પથ્થરમારાનો પણ આરોપ છે. હુમલામાં ઘણા લોકો ઘાયલ થયા હતા. સ્થળ પર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

    ધ સિટી હેડલાઇન દ્વારા બહાર પાડવામાં આવેલા વિડીયો ફૂટેજ મુજબ, ઘણા પોલીસકર્મીઓ મંદિરના દરવાજા પર બદમાશોના ટોળાને મંદિરમાં પ્રવેશતા અટકાવવા માટે ઉભા હતા. હિન્દુ સુરક્ષા સમિતિનો આરોપ છે કે ખાલિસ્તાન સમર્થકોએ મંદિરની બહાર આગ લગાડવાનો પણ પ્રયાસ કર્યો હતો. મંદિરના મુખ્ય દરવાજાને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પેટ્રોલ ભરેલી બોટલો મુખ્ય ગેટ પર ફેંકવામાં આવી હતી. પોલીસે કેટલાક હુમલાખોરોની અટકાયત પણ કરી છે. હિન્દુ પક્ષના આશુતોષ ગૌતમ નામના વ્યક્તિ પણ ઘાયલ થયા છે. આ દરમિયાન હુમલાખોરોએ કથિત રીતે ખાલિસ્તાનના સમર્થનમાં નારા પણ લગાવ્યા હતા.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હિંદુ સંગઠનોએ ‘ખાલિસ્તાન મુર્દાબાદ’ના નામથી રેલી કાઢી હતી. ગુરપતવંત સિંહ પન્નુ દ્વારા જાહેર કરાયેલા ખાલિસ્તાનને સમર્થનના વીડિયોના વિરોધમાં આ કૂચ કરવામાં આવી હતી. આ પછી કેટલાક ખાલિસ્તાન સમર્થકોએ રેલીનો વિરોધ શરૂ કર્યો હતો. તેઓએ શિવસૈનિકોને બંદર સેના બોલાવી અને મુર્દાબાદના નારા લગાવ્યા. આ તણાવ કાલી માતા મંદિર પાસે અથડામણમાં ફેરવાઈ ગયો અને તોફાનીઓએ કાલીમાતા મંદિર પર હુમલો પણ કર્યો હતો.

    - Advertisement -

    બંને બાજુથી પથ્થરો પડવા લાગ્યા હતા. આ દરમિયાન ખાલિસ્તાન સમર્થકોના હાથમાં તલવારો દેખાવા લાગી. ખાલિસ્તાન સમર્થકોની ભારે ભીડ કાલી માતાના મંદિરને ઘેરી વળી હતી. તેમને કાબૂમાં લેવા માટે પોલીસે 15 રાઉન્ડ ગોળીબાર કરવો પડ્યો હતો. કાલી માતાના મંદિરમાં ઘૂસેલા બદમાશોના ફૂટેજ પણ સામે આવ્યા છે. હિંસા પર કાબૂ મેળવવાના પ્રયાસમાં તલવારના હુમલામાં SHO ત્રિપદી કરમવીર સિંહ ઘાયલ થયા હતા.

    પંજાબમાં જે પહેલા ક્યારેય નતું થયું એ આપની સરકાર આવ્યા બાદ થયું.

    OpIndiaએ આ ઘટના વિશે શિવસેના હિન્દુસ્તાનના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પટિયાલા નિવાસી પવન ગુપ્તા સાથે વાત કરી હતી. પવન ગુપ્તાએ કહ્યું, “ખાલિસ્તાનીઓ દ્વારા જે મંદિર પર હુમલો કરવામાં આવ્યો છે તે ઉત્તર ભારતમાં હિન્દુઓનું સૌથી મહત્વપૂર્ણ તીર્થસ્થાન છે. ખાલિસ્તાનનું જોર ચરમસીમાએ હતું ત્યારે પણ અહીં કોઈ હુમલો થયો ન હતો. પરંતુ આમ આદમી પાર્ટીની સરકારમાં ખાલિસ્તાની વિચારધારાના લોકોને એટલો છૂટો હાથ મળ્યો છે કે આજે આટલી મોટી બેફામ ઘટના બની છે. મંદિરના દરવાજા પર તલવારનો ઘા થયો છે. બહારની પ્રસાદની દુકાનો વગેરેને નુકસાન થયું છે. દર્શન કરવા આવેલા ભક્તોને માર મારવામાં આવ્યો છે. હિન્દુ પક્ષના 2-3 લોકો ઘાયલ થયા છે. એસએસપી પટિયાલા પોતે ઘટનાસ્થળે હાજર હતા. બદમાશો તેની સામે તલવારો લહેરાવતા નાચતા હતા.”

    મુખ્યમંત્રીએ ઘટનાને દુઃખદ ગણાવી અને ડીજીપીને સૂચના આપી

    પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આ ઘટનાને દુઃખદ ગણાવી છે. પોતાની ટ્વિટમાં માને કહ્યું, “પટિયાલાની ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. મેં ડીજીપી સાથે વાત કરી અને તેમને જરૂરી સૂચનાઓ આપી. અમે પોતે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. પંજાબની શાંતિને અસર થવા દેવામાં આવશે નહીં.”

    AAPએ કોંગ્રેસ અને અકાલી વચ્ચેના વિવાદને કારણ કહ્યું.

    ટ્વિટર પર પોતાને આનંદપુર સાહિબમાં આમ આદમી પાર્ટીના લોકસભા પ્રભારી ગણાવતા ડૉ. સની આહલુવાલિયાએ તેને રાજકીય વિવાદ ગણાવ્યો છે. તેમણે કહ્યું, “એક તરફ શિવસેના અને કોંગ્રેસ છે અને બીજી તરફ અકાલી દળ છે. તેઓ આમને સામને લડી રહ્યા છે જેથી પંજાબનું વાતાવરણ બગડે. પરંતુ ભગવંત માનની સરકારે એક કલાકમાં જ પરિસ્થિતિને કાબૂમાં કરી લીધી હતી. પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર ઝીરો ટોલરન્સ પર કામ કરશે. આ ઘટનામાં સામેલ દરેક વ્યક્તિને જેલમાં મોકલવામાં આવશે. કાયદો અને વ્યવસ્થા પંજાબ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.”

    નોંધનીય છે કે આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસના વડા ગુરપતવંત સિંહ પન્નુએ 29 એપ્રિલને ખાલિસ્તાનનો સ્થાપના દિવસ મનાવવાની જાહેરાત કરી હતી. આ જાહેરાતના વીડિયોમાં તેણે ખાલિસ્તાનના નકશામાં માત્ર પંજાબ જ નહીં પરંતુ હરિયાણાને પણ દર્શાવ્યું હતું. આ સાથે પન્નુએ 29 એપ્રિલે પંજાબ અને હરિયાણાના તમામ જિલ્લા મુખ્યાલયો પર ખાલિસ્તાનનો ધ્વજ ફરકાવવાની પણ જાહેરાત કરી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં