Tuesday, April 30, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટએક તરફ કોંગ્રેસ નેતાએ અતીક અહેમદને ભારત રત્ન આપવાની માંગ કરી, તો...

    એક તરફ કોંગ્રેસ નેતાએ અતીક અહેમદને ભારત રત્ન આપવાની માંગ કરી, તો બીજી તરફ મુંબઈમાં માફિયાને “શહીદ” કહી પોસ્ટર લગાવવામાં આવ્યાં

    આશ્ચર્ય ત્યારે ઉભું થયું જયારે ઉત્તર પ્રદેશના એક કોંગ્રેસ નેતાએ અતીક અહેમદને ભારત રત્ન આપવાની માંગ કરી. આટલું જ નહી, મહારાષ્ટ્રમાંતો અતીકને શહીદમાં ખપાવીને તેના નામના પોસ્ટર પણ લગાવવામાં આવ્યાં.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના સહુથી મોટા માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યા બાદ સતત તેમને મહાન બનાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. એક તરફ અખિલેશ યાદવે માફિયાની હત્યા પર સવાલો ઉભા કર્યા છે તો બીજી તરફ બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે અતીકને “જી” કહી માનવાચક સંબોધન કર્યું હતું. આ બધા વચ્ચે આશ્ચર્ય ત્યારે ઉભું થયું જયારે ઉત્તર પ્રદેશના એક કોંગ્રેસ નેતાએ અતીક અહેમદને ભારત રત્ન આપવાની માંગ કરી. આટલું જ નહી, મહારાષ્ટ્રમાંતો અતીકને શહીદમાં ખપાવીને તેના નામના પોસ્ટર પણ લગાવવામાં આવ્યાં.

    ઉત્તર પ્રદેશના એક કોંગ્રેસ નેતાએ અતીક અહેમદને “શહીદ” કહીને ભારત રત્ન આપવાની માંગ કરી હતી. કોંગ્રેસના ઉમેદવાર રાજકુમાર ઉર્ફે રજ્જુ ભૈયાએ આ માંગ કરી છે. તેમની આ માંગનો એક વિડીયો પણ સામે આવ્યો છે. આ વિડીયોમાં તેમણે દાવો કર્યો છે કે અતીક અહેમદે “શહીદી” વહોરી છે. જે બદલ તેના મૃતદેહ પર ભારતનો રાષ્ટ્રધ્વજ ઓઢાડીને તેને રાજકીય સન્માન આપવું જોઈતું હતું. સાથે જ કોંગ્રેસના આ ઉમેદવારે આરોપ લગાવ્યો હતો કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વ વાળી ભાજપ સરકારે માફિયા અતીક અહેમદની હત્યા કરાવી છે.

    કોંગ્રેસના આ નેતાએ સમાજવાદી પાર્ટીના સંસ્થાપક, ભારતના પૂર્વ રક્ષામંત્રી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહી ચુકેલા મુલાયમસિંહ યાદવનું નામ લઈને કહ્યું કે, જો તેમણે “પદ્મ વિભૂષણ” મળી શકે તો અતીક અહેમદને “ભારત રત્ન” કેમ ન આપી શકાય? પ્રયાગરાજ શહેરના જુના નેતા રાજકુમાર નગર નિગમના વોર્ડ નંબર 34 સાઉથ મલાકાના કોર્પોરેટર પદના ઉમેદવાર છે. તેમનો આ વ્દીયો વાયરલ થયા બાદ તેમને પોલીસ સ્ટેશને પણ લઈ જવામાં આવ્યાં હતા. રાજકુમાર પહેલા પણ કોર્પોરેટરની ચૂંટણી લડી ચુક્યા છે. તાજી માહિતી મુજબ કોંગ્રેસે તેમને 6 વર્ષ માટે પાર્ટી માંથી હાંકી કાઢ્યા છે.

    - Advertisement -

    મહારાષ્ટ્રમાં અતીક અહેમદને “શહીદ” કહેતા પોસ્ટર લાગ્યાં

    આ ઘટનાઓ આટલેથી જ નથી અટકી, બીજી તરફ મહારાષ્ટ્રમાં અતીક અહેમદને શહીદ ગણાવીને તેના નામના પોસ્ટરો લાગવાની પણ ઘટના સામે આવી હતી. આ પોસ્ટરોમાં અતીક અને તેના ભાઈ અશરફને શહીદ બતાવવામાં આવ્યાં છે. આ મામલે ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમો 293, 294 અને 153 અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે. આ વાંધાજનક પોસ્ટરોમાં અતીક અને અશરફની જાહેરમાં હત્યાની નિંદા કરવામાં આવી છે. આ પોસ્ટર માજલગાંવ વિસ્તારમાં લગાવવામાં આવ્યાં હતા.

    આ પ્રકારના પોસ્ટર લાગવાની માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જે બાદ આ પોસ્ટરોને તાત્કાલિક ધોરણે હટાવી લેવામાં આવ્યાં હતા. આ પોસ્ટર મોહસીન પટેલના “મોહસીન ભૈયા મિત્ર મંડળ” દ્વારા લગાવવામાં આવ્યાં હોવાનું સામે આવ્યું હતું. જે બાદ પોલીસ અતીક ગેંગ સાથે આ લોકોના સબંધો વિષે ઊંડાણમાં તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યા પહેલા અતીકનો પુત્ર અસદ પોલીસ અથડામણમાં ઠાર મરાયો હતો. તો બીજી તરફ અતીકની પત્ની શાઈસ્તા હજુ સુધી ફરાર છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં