Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘હું મરી જાઉં તો બ્રિજેશને કંઈ ન કરતા’: સહિસ્તાની સ્યુસાઈડ નોટ મળી...

    ‘હું મરી જાઉં તો બ્રિજેશને કંઈ ન કરતા’: સહિસ્તાની સ્યુસાઈડ નોટ મળી પરંતુ આત્મહત્યા કરી હોવા છતાં પોલીસને જાણ કર્યા વગર કેમ દફનાવી તેનું રહસ્ય હજી પણ અકબંધ

    ખેરગામનો બ્રિજેશ અને અબ્રામા ગામની સહિસ્તા છેલ્લા પાંચ વર્ષથી પ્રેમમાં હતા. સહિસ્તા 20 એપ્રિલે તેના ઘરેથી નીકળી ગઈ હતી અને ત્યારબાદ તેના પરિવારના સભ્યો બ્રિજેશના ઘરે જઈને સહિસ્તાને શોધવા લાગ્યા હતા. તેમણે બ્રિજેશને માર મારવાની ધમકી આપી અને સહિસ્તાને લઈ આવવા જણાવ્યું હતું.

    - Advertisement -

    નવસારી પ્રેમ પ્રકરણ હાલ રાજ્યભરમાં ચર્ચાસ્પદ બન્યું છે. નવસારીના ખેરગામમાં રહેતા બ્રિજેશ પટેલની પ્રેમિકા સહિસ્તાનું ગત દિવસોમાં મૃત્યુ થયું હતું. બ્રિજેશે સુરત રેન્જ આઇજીને ફરિયાદ કરી હતી કે, સહિસ્તાની હત્યા કર્યા બાદ તેના પરિવારજનોએ તેને દફનાવી દીધી છે. બાદમાં પોલીસને સહિસ્તાનો મૃતદેહ મળી આવ્યો હતો. તેને કબરમાં દફનાવવામાં આવી હતી. બ્રિજેશની માંગણી પ્રમાણે સહિસ્તાનું પોસ્ટ મોર્ટમ પણ કરવામાં આવ્યું હતું.

    બ્રિજેશે સહિસ્તાના પરિવાર પર લગાવ્યો ઓનર કિલિંગનો આરોપ

    નવસારી પ્રેમ પ્રકરણ ત્યારે ચર્ચામાં આવ્યું જ્યારે બ્રિજશે તેની પ્રેમિકા સહિસ્તાના પરિવાર પર ઓનર કિલિંગનો આરોપ લગાવ્યો હતો. બ્રિજેશે એવી માંગણી કરી હતી કે સહિસ્તાને પોસ્ટમોર્ટમ વગર દફનાવી દેવામાં આવી હોવાથી તેના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવે. બ્રિજેશે સુરત રેન્જ આઇજીને કરેલી ફરિયાદના આધારે નવસારી પોલીસે કબરમાં દફનાવવામાં આવેલા સહિસ્તાના મૃતદેહને સુરત સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો.

    પિતાએ પોલીસને કહ્યું: ‘સહિસ્તાએ આત્મહત્યા કરી છે’

    બ્રિજેશનું કહેવું હતું કે સહિસ્તાના પરિવારે તેની હત્યા કરીને કબરમાં દફનાવી દીધી છે. જોકે, સહિસ્તાના પિતા સઈદ શેખે પોલીસને જણાવ્યું હતું કે, દીકરીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી છે અને સ્યુસાઈડ નોટ પણ લખી છે. સહિસ્તાની આત્મહત્યા અંગે પરિવારે પોલીસને જાણ કર્યા વગર જ મૃતદેહને કલથાણ ગામના કબ્રસ્તાનમાં દફનાવી દીધો હતો. નવસારી પોલીસ હાલ સ્યુસાઈડ નોટની પણ તપાસ કરી રહી છે.

    - Advertisement -

    સહિસ્તાના પરિવારે બ્રિજેશને ધમકી આપી હતી

    ખેરગામનો બ્રિજેશ અને અબ્રામા ગામની સહિસ્તા છેલ્લા પાંચ વર્ષથી પ્રેમમાં હતા. સહિસ્તા 20 એપ્રિલે તેના ઘરેથી નીકળી ગઈ હતી અને ત્યારબાદ તેના પરિવારના સભ્યો બ્રિજેશના ઘરે જઈને સહિસ્તાને શોધવા લાગ્યા હતા. તેમણે બ્રિજેશને માર મારવાની ધમકી આપી અને સહિસ્તાને લઈ આવવા જણાવ્યું હતું.

    બ્રિજેશના જણાવ્યા અનુસાર, સહિસ્તા તેને મળ્યા બાદ વલસાડ પહોંચી હતી અને જ્યારે તેના પરિવારના સભ્યો બ્રિજેશ સાથે હતા ત્યારે જ તેને કોલ કર્યો હતો. સહિસ્તાએ ફોન કોલમાં બ્રિજેશને કહ્યું હતું કે તે તેને લઈ જાય. પરંતુ સહિસ્તાના પરિવારે બ્રિજેશને સૂચના આપી કે તે સહિસ્તાને લઈ આવે, પણ તલવાડા તળાવ પાસે અમને સોંપી દે.

    બ્રિજેશે આ સૂચનાનું પાલન પણ કર્યું, પરંતુ બીજા દિવસે સહિસ્તાના મૃત્યુના સમાચાર જાણીને તે આઘાતમાં સરી પડ્યો હતો. તેણે સહિસ્તાના પરિવાર વિરુદ્ધ કાર્યવાહીની માંગણી કરી હતી. જોકે, સ્યુસાઈડ નોટ અને પોસ્ટમોર્ટમને ધ્યાનમાં રાખીને પોલીસે જણાવ્યું છે કે, મૃતકે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

    ‘હું મરી જાઉં તો બ્રિજેશને કંઈ કરતા નહીં’

    સહિસ્તાએ સ્યુસાઈડ નોટમાં લખ્યું છે કે, “મમ્મા પપ્પા સોરી. મને માફ કરી દો, પણ મારી તો કંઈ ભૂલ જ નથી. મેં તો ખાલી મોહબ્બત કરી. બ્રિજેશને કહેજો કે, સોરી એણે મને કસમ આપીને રોકી હતી પણ મારે જીવવાથી કંઈ ફાયદો નથી. બ્રિજેશે મને કીધું હતું કે, હું જે દિવસે પૈસા કમાતો થઈ જઈશ ત્યારે તને લઈ જઈશ. હું મરી જાઉં તો બ્રિજેશને કંઈ કરતા નહીં. એને મારી મૈય્ય્ત પર બોલાવજો અને મારો ચહેરો બતાવજો.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં