Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપીએમ મોદી સામાન્ય રીતે રાત્રે શા માટે વિદેશ પ્રવાસ કરે છે: આ...

    પીએમ મોદી સામાન્ય રીતે રાત્રે શા માટે વિદેશ પ્રવાસ કરે છે: આ રહી એક રસપ્રદ જાણકારી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી દરેક વિદેશ પ્રવાસ માટે શા માટે કાયમ રાત્રીનો જ સમય પસંદ કરે છે? જાણીએ આ સમાચાર દ્વારા.

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહત્વપૂર્ણ ક્વાડ સમિટ બેઠકમાં ભાગ લેવા માટે આજે જાપાન પહોચ્યા છે. વડાપ્રધાન અન્ય એક મહત્વપૂર્ણ સત્તાવાર પ્રવાસની શરૂઆત કરી રહ્યા છે, ત્યારે તેમની પ્રવાસ યોજનાઓ અંગેની એક રસપ્રદ વિગતો બહાર આવી છે.

    પીએમ મોદીએ, જેઓ ચુસ્ત કાર્ય શેડ્યૂલ ધરાવતા હોવાનું જાણવામાં આવે છે, તેમણે સમય બચાવવા માટે મોટાભાગે રાત્રિ દરમિયાન મુસાફરી કરવાનું નક્કી કર્યું છે. વડાપ્રધાન મોદી 22 મેની રાત્રે જાપાન જવા રવાના થયા હતા અને આજે વહેલી સવારે ટોક્યો પહોંચશે.

    “PM મોદી 22 મેની રાત્રે ટોક્યો જવા રવાના થશે, આગલી સવારે વહેલા પહોંચશે અને સીધા કામ પર જશે. એકંદરે, તેમણે આ મહિને 5 દેશોની મુલાકાત લીધી છે જ્યારે આ દેશોમાં કુલ 3 રાત અને સમય બચાવવા માટે 4 રાત વિમાનમાં વિતાવી છે.” બીજેપી આઈટી-સેલના વડા અમિત માલવિયાએ ટ્વિટ કર્યું હતું.

    - Advertisement -

    અહેવાલ મુજબ, PM મોદી સમય અને સંસાધનોને બચાવવા માટે તેમની વિદેશ મુલાકાતો દરમિયાન નિયમિત પેટર્નને અનુસરે છે. વડા પ્રધાન મોટે ભાગે રાત્રે ફ્લાઈટ્સમાં બોર્ડ કરે છે જેથી તેઓ વહેલી સવારે ત્યાં પહોંચી શકે અને પછી બીજા દિવસે મીટિંગમાં હાજરી આપી શકે.

    પીએમ મોદી 23 અને 24 મેના રોજ જાપાનની મુલાકાત પર છે, જ્યાં તેઓ ટોક્યોમાં ક્વાડ સમિટ બેઠકમાં ભાગ લેશે. ક્વાડ સમિટ એ ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા વચ્ચે વ્યૂહાત્મક સુરક્ષા સંવાદ છે.

    જાપાન પ્રવાસ દરમિયાન પીએમ મોદી યુએસ પ્રમુખ જો બિડેન, જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા અને નવા ચૂંટાયેલા ઓસ્ટ્રેલિયન પીએમ એન્થોની અલ્બેનીઝ સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે.

    એ જ રીતે, પીએમ મોદીએ તેમના તાજેતરના બંને દેશોના પ્રવાસ દરમિયાન જર્મની અને ડેનમાર્કમાં માત્ર એક રાત વિતાવી હતી. તે જાપાનમાં પણ સમાન દિનચર્યાનું પાલન કરશે, જ્યાં તેઓ તેમની મુલાકાત દરમિયાન ટોક્યોમાં એક જ રાત વિતાવવાના છે.

    પીએમઓના સૂત્રોએ જણાવ્યું કે વડાપ્રધાન મોદી ઘણા વર્ષોથી આવું કરી રહ્યા છે. નેવુંના દાયકાની શરૂઆતમાં, જ્યારે પીએમ મોદીએ તેમની વિદેશ યાત્રાઓ શરૂ કરી, ત્યારે તેમણે દિવસ દરમિયાન સ્થળોની મુલાકાત લીધી અને પરત આવવા હમેશા છેલ્લી ફ્લાઇટ લીધી જેથી હોટેલ રોકાણના નાણાં બચાવી શકાય. તેઓ ઘણી વાર પ્લેન અને એરપોર્ટ પર સૂતા હતા, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

    પીએમ મોદી ક્વાડ સમિટ માટે જાપાનમાં 40 કલાકના રોકાણમાં 23 કાર્યક્રમોમાં ભાગ લેશે

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનમાં લગભગ 40 કલાકના રોકાણમાં ત્રણ વિશ્વ નેતાઓ સાથેની બેઠકો સહિત 23 કાર્યક્રમો કરશે જ્યાં તેઓ 24 મેના રોજ ટોક્યોમાં ક્વાડ સમિટમાં યુએસ પ્રમુખ જો બાઇડન અને ઓસ્ટ્રેલિયા અને જાપાનના વડા પ્રધાનો સાથે જોડવાના છે.

    સૂત્રો મુજબ મોદી પોતાની મુલાકાત દરમિયાન વેપાર, રાજદ્વારી અને સામુદાયિક વાતચીત કરશે. તેઓ લગભગ 3 ડઝન જાપાનીઝ સીઈઓ અને સેંકડો ભારતીય ડાયસ્પોરા સભ્યો સાથે વાર્તાલાપ કરવાના છે. સૂત્રોએ જણાવ્યું કે વડાપ્રધાન ટોક્યોમાં એક રાત અને વિમાનમાં બે રાત વિતાવશે.

    યુક્રેન પર રશિયાના આક્રમણ વચ્ચે આયોજિત ક્વાડ સમિટ દરમિયાન મોદી બિડેન અને તેમના જાપાની સમકક્ષ ફ્યુમિયો કિશિદા સાથે દ્વિપક્ષીય વાતચીત કારવાના છે. તેઓ પોતાના ઓસ્ટ્રેલિયન સમકક્ષ સાથે પણ દ્વિપક્ષીય બેઠક પણ કરવાના છે.

    સમિટમાં વડાપ્રધાનની સહભાગિતાની જાહેરાત કરતી વખતે, વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, “જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદાના આમંત્રણ પર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 મે 2022 ના રોજ યુએસના પ્રમુખ જોસેફ આર બિડેન જુનિયર અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથે ટોક્યોમાં ત્રીજા ક્વોડ લીડર્સ સમિટમાં ભાગ લેશે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં