Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'પ્લેસ ઑફ વર્શિપ એક્ટ' વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી, કાયદાને ધર્મનિરપેક્ષતાની વિરુદ્ધ ગણાવ્યો

    ‘પ્લેસ ઑફ વર્શિપ એક્ટ’ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી, કાયદાને ધર્મનિરપેક્ષતાની વિરુદ્ધ ગણાવ્યો

    સેવાનિવૃત્ત સૈન્ય અધિકારી અનિલ કબોત્રા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં પ્લેસ ઑફ વર્શીપ (સ્પેશિયલ પ્રોવિઝન્સ) એક્ટ 1991ની કલમ 2, 3 અને 4ની બંધારણીય માન્યતાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે.

    - Advertisement -

    પ્લેસ ઓફ વર્શીપ એક્ટ એટલે કે પૂજાના સ્થળો (વિશેષ જોગવાઈઓ) અધિનિયમ 1991ના અમુક વિભાગોની બંધારણીય માન્યતાને પડકારવામાં મંગળવારે (7 જૂન, 2022) સુપ્રીમ કોર્ટમાં બીજી અરજી દાખલ કરવામાં આવી હતી. સર્વોચ્ચ અદાલતમાં દાખલ કરાયેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ પ્લેસ ઓફ વર્શીપ એક્ટ ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે. તે વિદેશી આક્રમણકારો દ્વારા બાંધવામાં આવેલી ‘ગેરકાયદે ઇમારતો’ને કાયદેસર બનાવે છે અને હિંદુઓ, શીખો, જૈનો, બૌદ્ધોને તેમના મંદિરોમાં પૂજા કરવા પર પ્રતિબંધ મૂકે છે. અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પર્સનલ લોનું અપમાન કરીને બનાવવામાં આવેલી ઈમારતને પૂજા સ્થળ ન કહી શકાય.

    સમાચાર એજન્સી ANI અનુસાર, સેવાનિવૃત્ત સૈન્ય અધિકારી અનિલ કબોત્રા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં પ્લેસ ઑફ વર્શીપ (સ્પેશિયલ પ્રોવિઝન્સ) એક્ટ 1991ની કલમ 2, 3 અને 4ની બંધારણીય માન્યતાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે. તેણે કહ્યું કે તે કલમ 14, 15, 21, 25, 26, 29 અને ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે, જે પ્રસ્તાવના અને બંધારણના મૂળભૂત માળખાનો અભિન્ન ભાગ છે.

    ભાજપ અને જમણેરી સંગઠનો માટે આ કાયદો શરૂઆતથી જ ચર્ચાનો વિષય રહ્યો છે. ભાજપે કાયદાના પહેલા દિવસથી જ તેનો વિરોધ કર્યો છે. ભાજપના નેતા અને સુપ્રીમ કોર્ટના એડવોકેટ અશ્વિની ઉપાધ્યાયે આ કાયદાને રદ્દ કરવા માટે સર્વપ્રથમ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ સિવાય લખનૌના વિશ્વ ભદ્ર પૂજારી પુરોહિત મહાસંઘ, વારાણસીના રહેવાસી સ્વામી જીતેન્દ્રનંદ સરસ્વતી, મથુરાના રહેવાસી દેવકીનંદન ઠાકુર જી અને ધાર્મિક ગુરુએ આ કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.

    - Advertisement -

    પૂજાના સ્થળો (વિશેષ જોગવાઈઓ) અધિનિયમ, 1991 શું છે

    પીવી નરસિમ્હા રાવની આગેવાની હેઠળની કોંગ્રેસ સરકાર દ્વારા લાવવામાં આવેલ પૂજા સ્થાનો (વિશેષ જોગવાઈઓ) અધિનિયમ જણાવે છે કે 15 ઓગસ્ટ, 1947 સુધીના કોઈપણ ધર્મના પૂજા સ્થળને અન્ય ધર્મના પૂજા સ્થાનમાં રૂપાંતરિત કરી શકાશે નહિ. કાયદામાં એકથી ત્રણ વર્ષની જેલ અને દંડની જોગવાઈ છે. આ કાયદામાં અયોધ્યાને અલગ રાખવામાં આવી છે, કારણ કે તે સમયે તે મામલો કોર્ટમાં હતો.

    આ કાયદાની કલમ 2 જણાવે છે કે જો 15 ઓગસ્ટ 1947 ના રોજ અસ્તિત્વમાં રહેલા કોઈપણ ધાર્મિક સ્થાનમાં ફેરફાર અંગે કોઈપણ કોર્ટ, ટ્રિબ્યુનલ અથવા અન્ય સત્તામંડળમાં કોઈ અરજી પેન્ડિંગ હોય તો તેને રદ કરવામાં આવશે. અધિનિયમની કલમ 3 જણાવે છે કે કોઈપણ પૂજા સ્થળને સંપૂર્ણ અથવા આંશિક રીતે પણ અન્ય ધર્મના પૂજા સ્થાનમાં રૂપાંતરિત કરી શકાતું નથી.

    સાથે જ આ કાયદાની કલમ-4(1)માં કહેવામાં આવ્યું છે કે કોઈપણ ધર્મસ્થળનું ચરિત્ર દેશની આઝાદીના દિવસ જે હતું તે જ હોવું જોઈએ. આ અધિનિયમની કલમ 4(2) પૂજા સ્થળ અધિનિયમની શરૂઆતની તારીખે પેન્ડિંગ મુકદ્દમા, અપીલ અને કાનૂની કાર્યવાહીને પ્રતિબંધિત કરે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં