Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘અગ્નિપથ’ને મુસ્લિમોના ‘નરસંહાર’ માટેની યોજના ગણાવતા હતા PFIના આતંકીઓ: મહારાષ્ટ્ર ATSની ચાર્જશીટમાં...

    ‘અગ્નિપથ’ને મુસ્લિમોના ‘નરસંહાર’ માટેની યોજના ગણાવતા હતા PFIના આતંકીઓ: મહારાષ્ટ્ર ATSની ચાર્જશીટમાં ખુલાસો, બંધારણની જગ્યાએ ‘શરિયા’ લાગુ કરવા માંગતા હતા

    PFI દ્વારા કઈ રીતે કાવતરાં ઘડવામાં આવી રહ્યાં હતાં અને તેને સફળ બનાવવા માટે કઈ રીતે તેની સાથે જોડાયેલા લોકો કૃત્યોને અંજામ આપી રહ્યા હતા, તેની વિગતવાર માહિતી આ ચાર્જશીટમાં આપવામાં આવી છે. 

    - Advertisement -

    ગત 2 ફેબ્રુઆરીના રોજ મહારાષ્ટ્ર એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે (ATS) પ્રતિબંધિત કટ્ટરપંથી ઇસ્લામી સંગઠન PFIના પાંચ આતંકવાદીઓ સામે ચાર્જશીટ દાખલ કરી હતી. આ આતંકવાદીઓ PFI સામેની રાષ્ટ્રવ્યાપી કાર્યવાહી દરમિયાન પકડાયા હતા. જેમની ઓળખ મઝહર ખાન, સાદિક શેખ, મોહમ્મદ ઇકબાલ ખાન, મોમિન મિસ્ત્રી અને આસિફ હુસૈન ખાન તરીકે થઇ હતી. મહારાષ્ટ્ર ATSના મુંબઈ યુનિટે આ તમામની ધરપકડ કરી હતી. આ તમામની ધરપકડ અને તપાસ બાદ સામે આવ્યું છે કે કઈ રીતે તેઓ અગ્નિપથ યોજનાને લઈને દુષ્પ્રચાર ફેલાવી રહ્યા હતા.

    પાંચ આરોપીઓ સામે મહારાષ્ટ્ર એટીએસે દાખલ કરેલી 600 પાનાંની ચાર્જશીટમાં ભારતને 2047 સુધીમાં ઇસ્લામી દેશ બનાવવા માટે ઘડવામાં આવી રહેલાં કાવતરાંનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ‘વિઝન 2047’ ડોક્યુમેન્ટ, જેની ઉપર ગત જુલાઈ 2022માં ઑપઇન્ડિયાએ વિગતવાર એક્સક્લુઝિવ રિપોર્ટ આપ્યો હતો, તેને પણ આ ચાર્જશીટમાં સાથે જોડવામાં આવ્યું હતું. આ ડોક્યુમેન્ટ પોલીસને દરોડાની કાર્યવાહી દરમિયાન આરોપીઓ પાસેથી મળ્યું હતું. 

    PFI દ્વારા કઈ રીતે કાવતરાં ઘડવામાં આવી રહ્યાં હતાં અને તેને સફળ બનાવવા માટે કઈ રીતે તેની સાથે જોડાયેલા લોકો કૃત્યોને અંજામ આપી રહ્યા હતા, તેની વિગતવાર માહિતી આ ચાર્જશીટમાં આપવામાં આવી છે. 

    - Advertisement -

    PFIના સભ્યો અને પકડાયેલા પાંચ આરોપીઓને લઈને ચાર્જશીટમાં આ ખુલાસાઓ કરવામાં આવ્યા છે. 

    -PFI અને આતંકવાદી સંગઠનો માટે કામ કરતા ઇસ્લામીઓ દેશ સામે ષડ્યંત્ર રચી રહ્યા હતા. 

    -PFIના સભ્યો દ્વારા મહારાષ્ટ્રના ચેમ્બુર, ધારાવી, કુરલા, થાણે, નેરુલ, પનવેલ અને મુંબ્રામાં ગુપ્ત બેઠકો યોજવામાં આવી હતી અને જેમાં તેમણે દેશવિરોધી કૃત્યોને અંજામ આપવાની અને મુસ્લિમોને કટ્ટરપંથી બનાવીને ભારતને વર્ષ 2047 સુધીમાં ઇસ્લામિક દેશ બનાવવાની ચર્ચા કરી હતી. 

    -PFIએ આ કૃત્યોમાં મુસ્લિમોને સામેલ કરીને તેમને સરકાર ઇસ્લામ વિરુદ્ધ કામ કરતી હોવાનું કહીને હિંદુઓ સામે એકજૂટ કરવા માટેની યોજના ઘડી હતી. 

    -PFIનો ઉદ્દેશ્ય ભારતના બંધારણની જગ્યાએ ઇસ્લામિક શરિયા લાગુ કરવાનો પણ હતો. 

    -તેઓ ભારતને ઇસ્લામિક રાષ્ટ્ર બનાવવા માંગતા હતા. 

    -તેઓ ઇચ્છતા હતા કે મુસ્લિમોને ‘મુસ્લિમો’ તરીકે જ ઓળખવામાં આવે અને ભારતીયો તરીકે નહીં. 

    -મુસ્લિમો જોખમમાં છે અને તેમની ઉપર અત્યાચાર કરવામાં આવી રહ્યો હોવાના પ્રોપેગેન્ડાને આગળ ધપાવવામાં PFIએ ભૂમિકા ભજવી હતી અને આમ કરીને તેઓ મુસ્લિમોના હાથમાં હથિયારો પકડાવવા માંગતા હતા. 

    -ભારતને ઇસ્લામિક દેશ બનાવવા માટે અને લોકશાહીનો તખ્તાપલટ કરવા માટે PFIએ વિદેશી સંગઠનોની મદદ લેવાની અને ભંડોળ એકઠું કરવાની યોજના બનાવી હતી. 

    -આરોપીઓમાંથી એકને કાયદાકીય બાબતોનું પણ જ્ઞાન હતું અને જે બાકીનાને મદદ કરતો હતો. 

    -એક આરોપી મુસ્લિમ યુવકોને ભરતી કરવાની વિરુદ્ધમાં હતો. 

    અગ્નિપથ વિશે દુષ્પ્રચાર ફેલાવ્યો, કહ્યું- યોજના ‘મુસ્લિમોના નરસંહાર’ માટે લાવવામાં આવી 

    તપાસ દરમિયાન ATSને આરોપીઓની ચેટ પણ હાથ લાગી હતી, જેમાં અગ્નિપથ યોજનાને ‘મુસ્લિમોના નરસંહાર’ માટે લાવવામાં આવી હોવાનું ગણાવવામાં આવ્યું છે. આ મેસેજ એક દાનિશ મલિક નામના શખ્સે મોકલ્યો હતો. ત્યારબાદ આ પ્રોપેગેન્ડાની મદદથી PFIએ મુસ્લિમોને ભારત સરકાર સામે ભડકાવવાનું કામ કર્યું હતું. 

    મેસેજનું શીર્ષક હતું, ‘અગ્નિપથ કે સંઘીઓની વાનરસેના.’ મેસેજમાં કહેવામાં આવું કે અગ્નિપથ યોજનામાં 17થી 21 વર્ષના હિંદુ યુવાનોને ભરતી કરવામાં આવશે અને તેમને હથિયારો અને અન્ય સૈન્ય તાલીમ આપવામાં આવશે. 5 વર્ષ સેનામાં સેવા આપ્યા બાદ તેઓ બહાર આવી જશે. અગ્નિપથ યોજનાને ‘ઇઝરાયેલ જેવી નીતિ’ ગણાવીને કહેવામાં આવ્યું કે દેશના દરેક ભાગમાં હથિયારોની તાલીમ મેળવેલા હિંદુઓ પોતાનાં જૂથ બનાવી દેશે અને તાલીમ મેળવેલા હોવાના કારણે તેઓ ડરીને ભાગી જશે નહીં.

    PFI આતંકીઓ પાસેથી મળી આવેલી ચેટ્સ

    આ મેસેજમાં એવો પણ દાવો કરવામાં આવ્યો કે આ અગ્નિપથ યોજના RSS મોડ્યુલનો જ એક ભાગ છે જ્યાં તેઓ હિંદુઓને શસ્ત્રોની તાલીમ આપે છે. આગળ કહેવામાં આવ્યું કે, ઇઝાયેલી પોલિસીની જેમ મુસ્લિમોના નરસંહાર માટેની યોજના શરૂ કરી દેવામાં આવી છે અને અગ્નિપથ તેનો જ ભાગ છે. 

    મેસેજમાં ભારતીય સેના દ્વારા અગ્નિપથ યોજના લાવવા પાછળનાં કારણો પણ જણાવવામાં આવ્યાં છે. 

    -સંઘીઓ (હિંદુઓ) મુસ્લિમો સામે ભારતીય સેના તહેનાત કરી શકતા નથી.

    -તેઓ તેમ કરે તો સરહદીય સુરક્ષાને અસર પહોંચશે. 

    -મુસ્લિમો સામે સેના ઉતારી દે તો જે રીતે રોહિંગ્યા મુસ્લિમોના ‘નરસંહાર’ના કારણે આખા વિશ્વમાં તેમણે શરમજનક સ્થિતિમાં મૂકાવું પડ્યું હતું તેવી જ સ્થિતિ હિંદુઓ (સંઘીઓ)ની પણ થશે. 

    -હિંદુઓ મુસ્લિમો સામે સેના ઉતારી શકે નહીં કારણ કે સેના સંગઠિત થઇ જાય તો તેઓ પીએમ મોદીને સત્તા પરથી ઉતારીને પોતે મેળવી લેશે અને આ નવું નથી અને ઘણા દેશોમાં પહેલાં થઇ ચૂક્યું છે. 

    PFI અનુસાર, આ કારણોસર ‘સંઘીઓ’એ મુસ્લિમો સામે સીધી રીતે સેના નથી ઉતારી પરંતુ અગ્નિપથ યોજના લાવવામાં આવી છે જેથી મુસ્લિમોના ‘નરસંહાર’ માટે તેઓ હિંદુઓને તાલીમ આપી શકે. 

    મેસેજમાં આગળ જણાવવામાં આવ્યું કે, તમામ મુસ્લિમો, સુન્નીઓ, શિયાઓ, વહાબીઓએ એક થઈને અગ્નિપથ યોજનામાં ભરતી થવું જોઈએ. મેસેજમાં આગળ લખવામાં આવ્યું છે કે, મુસ્લિમો કદાચ અગ્નિપથમાં જોડાય તોપણ તેમને સામેલ કરવામાં આવે તેવી સંભાવનાઓ ઓછી છે કારણ કે આ યોજના ઇસ્લામના વિરોધીઓ માટે જ લાવવામાં આવી છે. 

    PFIનો એકમાત્ર ઉદ્દેશ્ય 2047 સુધીમાં ભારતને ઇસ્લામિક રાષ્ટ્રમાં બદલવાનો છે, એ જ રીતે આ મેસેજ પાછળનો ઈરાદો પણ સ્પષ્ટ છે. આતંકી સંગઠનોનો સંદર્ભ આપીને PFI મુસ્લિમોને એ જણાવવા માંગતું હતું કે અગ્નિપથ યોજના ઇસ્લામના વિરોધીઓ દ્વારા હિંદુઓને તાલીમ આપવા માટે બનાવવામાં આવી છે, જેથી જ્યારે જરૂર પડે ત્યારે હિંદુઓ ભાગે નહીં અને સામનો કરે. તેઓ આગળ ઈચ્છે છે કે વધુને વધુ મુસ્લિમો આ યોજના માટે ભરતી થાય જેથી તેઓ પોતાની પણ એક સેના બનાવી શકે. 

    અહીં નોંધવું જરૂરી છે કે 24 જૂન, 2022ના રોજ ઇસ્લામિક સંગઠન ‘ધ એસોશિએશન ઑફ મુસ્લિમ પ્રોફેશનલ્સ’ દ્વારા મુસ્લિમ યુવાનોને વધુને વધુ સંખ્યામાં અગ્નિપથ યોજનામાં જોડાવા માટે અપીલ કરવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, તેઓ કેન્દ્ર સરકારની આ યોજનાનું સમર્થન કરે છે અને આ સંદેશ વિવિધ શહેરોની મસ્જિદોના મૌલવીઓ અને ઇમામો દ્વારા દરેક યુવાનો સુધી પહોંચાડવામાં આવવો જોઈએ. 

    અહીં એ પણ ઉલ્લેખ જરૂરી છે કે આ સંગઠનના અધ્યક્ષ આમિર ઈદ્રિસી ભૂતકાળમાં ભારતીય સેના વિરુદ્ધ આક્ષેપો લગાવી ચૂક્યા છે અને ઇસ્લામવાદી વિચારોના સમર્થક છે. 2015માં તેમણે ડાબેરી પ્રોપેગેન્ડા ન્યૂઝ આઉટલેટ ‘ધ હિંદુ’ના એક લેખનું સમર્થન કર્યું હતું, જેમાં આતંકવાદી યાકુબ મેમણની ફાંસીને ‘અમાનવીય’ અને ‘અયોગ્ય’ ગણાવવામાં આવી હતી. 

    ઉપરાંત, ઓગસ્ટ 2015માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત બાદ યુએઈ દ્વારા પહેલા હિંદુ મંદિર માટે જમીન ફાળવવામાં આવ્યા બાદ તેઓ બાબરી મસ્જિદ વિવાદ વચ્ચે લઇ આવ્યા હતા. 

    વધુ રસપ્રદ બાબત એ છે કે, ઇસ્લામવાદીઓએ જ્યાં ઇશનિંદાના નામે ઉત્પાત મચાવ્યો હતો એવા કાનપુરમાં પણ 300થી વધુ મસ્જિદોમાંથી મુસ્લિમ યુવાનોને અગ્નિવીરમાં સામેલ થવા માટે અપીલ કરવામાં આવી હતી. 

    મિશન 2047 ડોક્યુમેન્ટ 

    PFIના આ ડોક્યુમેન્ટનો મૂળ ઉદ્દેશ્ય ભારતમાં અસ્થિરતા સર્જીને ‘કાયર હિંદુઓ’ને હરાવીને તેમની ઉપર ઇસ્લામી પ્રભુત્વ સ્થાપિત કરીને તેમને પોતાને આધીન કરવાનો છે. સંગઠનનું લક્ષ્યાંક હતું કે દેશ સ્વતંત્રતાના 100 વર્ષ પૂર્ણ કરે ત્યાં સુધીમાં ભારતમાં ઇસ્લામનું શાસન સ્થાપિત થઇ ગયું હોવું જોઈએ. તેમનો ઉદ્દેશ્ય હિંદુઓ અને તેમના નેતાઓ ઉપર હુમલો કરીને નિયંત્રણ મેળવવાનો હતો, જે સામાન્યતઃ ‘ગઝવા-એ-હિંદ’ તરીકે પણ ઓળખાય છે. 

    ગઝવા-એ-હિંદનો અર્થ થાય છે હિંદુસ્તાન ઉપર હુમલો કરીને બિનમુસ્લિમો ઉપર હુમલા કરીને તેમને મારી નાંખવા અથવા ઇસ્લામમાં પરિવર્તિત કરી નાંખવા. આ પ્રકારનાં યુદ્ધ ‘કાફિરો’ સામે થાય છે, જેને ગઝવા કહેવાય છે. 

    (આ ડોક્યુમેન્ટને લઈને ઑપઇન્ડિયાનો વિસ્તૃત લેખ અહીં ક્લિક કરીને વાંચી શકાશે.)

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં