Saturday, July 27, 2024
More
    હોમપેજક્રાઈમરોહિંગ્યા અને બાંગ્લાદેશીઓ માટે નકલી આધાર કાર્ડ બનાવતી હતી PFI: ભારતીય મુસ્લિમો...

    રોહિંગ્યા અને બાંગ્લાદેશીઓ માટે નકલી આધાર કાર્ડ બનાવતી હતી PFI: ભારતીય મુસ્લિમો જ પૈસા માટે ઘુષણખોરોને પરિવારના સભ્ય બતાવતા, પોલીસનો પર્દાફાશ

    એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે પીએફઆઈ રોહિંગ્યાઓ માટે બનાવટી આધાર કાર્ડ બનાવવા માટે ભારતીય મુસ્લિમ પરિવારોનો ઉપયોગ કરે છે. PFI તેમને તેના માટે નાણાં અને અન્ય વિવિધ પ્રોત્સાહનો આપે છે. આ પરિવારો પછી દાવો કરે છે કે રોહિંગ્યા અને બાંગ્લાદેશી મુસ્લિમ ઘૂસણખોરો તેમના પરિવારના સભ્યો છે.

    - Advertisement -

    ઉગ્રવાદી સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)માં ભરતીની નવી પદ્ધતિઓનો પર્દાફાશ થયો છે. પટના પોલીસની કાર્યવાહી બાદ આ ષડયંત્રનો ખુલાસો થયો છે. પોલીસે જણાવ્યું કે પીએફઆઈના લોકો એવી રીતો અપનાવીને રોહિંગ્યાઓ માટે બનાવટી આધાર કાર્ડ બનાવી રહ્યા છે, જેને પકડવી સરળ નથી.

    પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે જેહાદી સંગઠન PFI એ રોહિંગ્યા અને બાંગ્લાદેશી મુસ્લિમ ઘૂસણખોરો માટે બનાવટી આધાર કાર્ડ બનાવ્યા છે અને તેમની સંસ્થામાં ભારતીય તરીકે ભરતી કરી છે. આધાર કાર્ડ બનાવવા માટે બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવે છે.

    ત્યારબાદ મુસ્લિમોને કર્ણાટક અને અન્ય રાજ્યોમાં મજૂર તરીકે મોકલવામાં આવે છે. PFI તેમના માટે એક નવી ઓળખ ઉભી કરી રહ્યું છે. આ બનાવટી દસ્તાવેજો કિશનગંજ, દરભંગા, કટિહાર, મધુબની, સુપૌલ અને પૂર્ણિયા જિલ્લાઓમાં બિહારની નેપાળ સરહદ પર બનાવાઈ રહ્યા છે.

    - Advertisement -

    ભારતીય મુસ્લિમો આધાર કાર્ડ બનાવી આપતા હતા

    એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે પીએફઆઈ રોહિંગ્યાઓ માટે બનાવટી આધાર કાર્ડ બનાવવા માટે ભારતીય મુસ્લિમ પરિવારોનો ઉપયોગ કરે છે. PFI તેમને તેના માટે નાણાં અને અન્ય વિવિધ પ્રોત્સાહનો આપે છે. આ પરિવારો પછી દાવો કરે છે કે રોહિંગ્યા અને બાંગ્લાદેશી મુસ્લિમ ઘૂસણખોરો તેમના પરિવારના સભ્યો છે.

    જે વ્યક્તિનું આધાર કાર્ડ બનવાનું હોય છે તેના વિશે ભારતીય મુસ્લિમો એમ કહે છે કે તે વ્યક્તિને નાની ઉંમરમાં કોઈ સંબંધીને મોકલવામાં આવ્યો હતો, તેથી તે આધાર કાર્ડ બનાવી શક્યો નહીં. હવે તેઓ પાછા આવ્યા છે, અમને કાર્ડ જોઈએ છે.

    બિહાર બાદ ઉત્તર પ્રદેશ અને ઝારખંડમાં પણ PFI એજન્ટો ઝડપાયા

    બિહારમાં PFI સક્રિય થતાં એજન્સીઓની ચિંતા વધી ગઈ છે. ઝારખંડના નિવૃત્ત પોલીસ અધિકારી મોહમ્મદ જલાલુદ્દીન અને અતહર પરવેઝની 13 જુલાઈએ રાજધાની પટનાના ફુલવારી શરીફ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ત્રણ દિવસ બાદ ઉત્તર પ્રદેશ એટીએસે બિહાર પોલીસની વિનંતી પર લખનૌથી નૂરુદ્દીન જાંગીની ધરપકડ કરી હતી.

    પટના પોલીસે કહ્યું હતું કે જલાલુદ્દીન અને પરવેઝ સ્થાનિક લોકોને તલવારો અને છરીઓનો ઉપયોગ કરવાનું શીખવી રહ્યા હતા અને તેમને સાંપ્રદાયિક હિંસામાં સામેલ કરવા માટે પણ ઉશ્કેરતા હતા. આ બંને લોકો PFI સાથે સંબંધ ધરાવે છે. પોલીસે જણાવ્યું હતું કે તેમના કબજામાંથી ઇસ્લામિક ઉગ્રવાદ સાથે સંબંધિત ઘણા ગુનાહિત દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે.

    બંગાળ અને આસામથી નહીં, નેપાળ મારફતે ઘૂસણખોરી

    અધિકારીએ વધુમાં કહ્યું કે આ ઘૂસણખોરો નેપાળ દ્વારા ભારતમાં ઘૂસણખોરી કરી રહ્યા છે કારણ કે બંગાળ અને આસામની સરહદ પર હવે કડક સુરક્ષા છે. તેઓ ભારત-નેપાળ સરહદે ઘણી જગ્યાએ મોટી સંખ્યામાં રહે છે.

    ભારત-નેપાળ સરહદે બની ગયા 700 નવા મદરેસા અને મસ્જિદો

    2018 થી, નેપાળ સરહદ પર 500 કરોડ રૂપિયા ખર્ચીને 700 નવા મદરેસા અને મસ્જિદો બનાવવામાં આવ્યા છે. આ પોલીસ અધિકારીએ એમ પણ કહ્યું કે સંયુક્ત આરબ અમીરાત, કતાર અને તુર્કીએ તેને ફંડ આપ્યું હોવાની શંકા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં