Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબીજુ એક 'કાંતારા'!: કેરળમાં ભગવાન અયપ્પા પર બનેલી ફિલ્મ 'મલીકપ્પુરમ'એ ₹50 કરોડની...

    બીજુ એક ‘કાંતારા’!: કેરળમાં ભગવાન અયપ્પા પર બનેલી ફિલ્મ ‘મલીકપ્પુરમ’એ ₹50 કરોડની કમાણી કરી, હવે તમિલ-તેલુગુ અને હિન્દીમાં રિલીઝ થવા માટે છે તૈયાર

    'મલિકપ્પુરમ' સહિત, ઉન્ની મુકુન્દને ત્રણ બેક-ટુ-બેક હિટ ફિલ્મો આપી છે. આ પહેલા તેણે 'મેપ્પડિયન' અને 'શફીકિન્તે સંતોષમ' જેવી ફિલ્મોમાં પોતાની અભિનય કુશળતા સાબિત કરી હતી.

    - Advertisement -

    મલયાલમ હીરો ઉન્ની મુકુંદનની ફિલ્મ મલિકપ્પુરમ બ્લોકબસ્ટર સાબિત થઈ છે. માત્ર 3.5 કરોડમાં બનેલી આ ફિલ્મે 50 કરોડથી વધુની કમાણી કરી છે. આ ફિલ્મ હવે તમિલ અને તેલુગુમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ હિન્દીમાં પણ રિલીઝ થશે. આ ફિલ્મમાં ભગવાન અયપ્પા પ્રત્યે 8 વર્ષની બાળકીની ભક્તિ દર્શાવવામાં આવી છે.

    50 કરોડની ક્લબમાં સામેલ ‘મલીકપ્પુરમ’ 30 ડિસેમ્બર, 2022ના રોજ મલયાલમ ભાષામાં મોટા પડદા પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મે બે અઠવાડિયા સુધી સારો દેખાવ કર્યો પરંતુ પોંગલના અવસર પર થલાપથી વિજયની વારીસુ અને અજિત કુમારની થુનીવુની રજૂઆત સાથે સ્પર્ધાનો સામનો કરવો પડ્યો હતો. જો કે, ‘મલીકપ્પુરમ’ની વાર્તા અને વિષ્ણુ શશિ શંકરના શાનદાર દિગ્દર્શનને કારણે લોકો ‘મલીકપ્પુરમ’ જોવાનું વધુ વલણ ધરાવે છે.

    હવે આ ફિલ્મ 26 જાન્યુઆરી, 2023ના રોજ તમિલ અને તેલુગુમાં રિલીઝ થવા જઈ રહી છે. ઉન્ની મુકુન્દને પોતે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી.

    - Advertisement -

    ફિલ્મની વાર્તા સબરીમાલા અને ભગવાન અયપ્પાની આસપાસ ફરે છે

    ફિલ્મની સફળતાથી ખુશ મુકુન્દને ઈન્ડિયા ટુડે સાથેની ખાસ વાતચીતમાં એ પણ માહિતી આપી હતી કે એક અઠવાડિયા પછી આ ફિલ્મ હિન્દીમાં પણ રિલીઝ થશે. તેમણે કહ્યું, “હું ઈચ્છું છું કે આખો દેશ આ ફિલ્મ જુએ.” ફિલ્મની સફળતા અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં મુકુન્દને કહ્યું હતું કે તેમને સ્ક્રિપ્ટ અંગે ઘણો વિશ્વાસ છે. “ફિલ્મની વાર્તા સબરીમાલા અને ભગવાન અયપ્પાની આસપાસ ફરે છે. હું જાણતો હતો કે સબરીમાલા મુદ્દાને કારણે તે કેરળમાં સારું કરશે.” તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે મલિકપ્પુરમમાં વિવાદાસ્પદ કંઈ નથી.

    નોંધનીય છે કે મલિકપ્પુરથમ્મા અથવા મંજમથા, સબરીમાલા ખાતે ભગવાન અયપ્પા સમકક્ષ દેવતા, લોકો પર અયપ્પનની સમાન ભાવનાત્મક અસર કરે છે. ફિલ્મની વાર્તા દેવી મલિકપ્પુરમની વાર્તા અને કોન્સેપ્ટ પર આધારિત છે.

    આ પહેલા દક્ષિણ ભારતની કન્નડ ભાષાની ફિલ્મ કાંટારાએ પણ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી. કાંટારા પણ ઓછા બજેટ (16 કરોડ)ની ફિલ્મ હતી જેણે 400 કરોડથી વધુની કમાણી કરી હતી. મલિકપ્પુરમ માત્ર 3.5 કરોડમાં બનેલી ફિલ્મ છે, જેણે અત્યાર સુધીમાં 50 કરોડથી વધુની કમાણી કરી છે.

    ‘મલીકપ્પુરમ’ સહિત, ઉન્ની મુકુન્દને ત્રણ બેક ટુ બેક હિટ ફિલ્મો આપી છે. આ પહેલા તેણે ‘મેપ્પડિયન’ અને ‘શફીકિન્તે સંતોષમ’ જેવી ફિલ્મોમાં પોતાની અભિનય કુશળતા સાબિત કરી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં