Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટભારતનું નવું સંસદ ભવન જાન્યુઆરીના અંત સુધીમાં તૈયાર થઈ જશે: આગામી બજેટ...

    ભારતનું નવું સંસદ ભવન જાન્યુઆરીના અંત સુધીમાં તૈયાર થઈ જશે: આગામી બજેટ સત્ર અહીં યોજવા અંગેનો નિર્ણય લેવાઈ શકે

    એક સરકારી સૂત્રએ જણાવ્યું કે સંસદનું નવું ભવન આ મહિનાના અંત સુધીમાં તૈયાર થઈ જશે. ઈન્ટિરિયરનું ફિનિશિંગ કામ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે.

    - Advertisement -

    દેશનું નવું સંસદ ભવન જાન્યુઆરીના અંત સુધીમાં તૈયાર થઈ જશે. તેના ઈન્ટિરિયરને ઝડપથી ફાઈનલ કરવામાં આવી રહ્યું છે. સરકારી સૂત્રોએ સોમવારે આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે સંસદનું આગામી બજેટ સત્ર નવા બિલ્ડિંગમાં યોજાશે કે હાલના બિલ્ડિંગમાં તે અંગે નિર્ણય લેવાનો બાકી છે. નવું સંસદ ભવન સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનો એક ભાગ છે.

    રાષ્ટ્રપતિ ભવનથી ઈન્ડિયા ગેટ સુધીના ત્રણ કિલોમીટર લાંબા રાજપથનો કાયાકલ્પ, એક સામાન્ય કેન્દ્રીય સચિવાલય, વડાપ્રધાનનું નવું કાર્યાલય અને નિવાસસ્થાન, નવા ઉપરાષ્ટ્રપતિ એન્ક્લેવનું નિર્માણ પણ CPWD દ્વારા ચલાવવામાં આવી રહેલા આ પ્રોજેક્ટનો એક ભાગ છે. આ તમામ કાર્ય કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના વિભાગ મંત્રાલય હેઠળ આવે છે. એક સરકારી સૂત્રએ જણાવ્યું કે સંસદનું નવું ભવન આ મહિનાના અંત સુધીમાં તૈયાર થઈ જશે. ઈન્ટિરિયરનું ફિનિશિંગ કામ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે.

    2020માં PM નરેન્દ્ર મોદીએ કર્યો હતો શિલાન્યાસ

    નવા સંસદ ભવનનું નિર્માણ કાર્ય બે વર્ષ પહેલા શરૂ થયું હતું. અન્ય એક સૂત્રએ જણાવ્યું કે સરકાર ટૂંક સમયમાં સંસદની નવી ઇમારત ખોલવા અંગે નિર્ણય લેવાઈ શકે છે. કેન્દ્રીય હાઉસિંગ અને અર્બન અફેર્સ મિનિસ્ટર હરદીપ સિંહ પુરીએ ગયા વર્ષે નવેમ્બરમાં કહ્યું હતું કે બિલ્ડિંગના ઉદ્ઘાટન માટેની તારીખ પસંદ કરવી તે સરકાર પર નિર્ભર છે.

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિસેમ્બર 2020માં નવાં સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો હતો. આ બિલ્ડીંગમાં અનેક આધુનિક સુવિધાઓ હશે. ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડ દ્વારા બનાવવામાં આવી રહેલી નવાં સંસદ ભવન, ભારતના લોકતાંત્રિક વારસાને દર્શાવવા માટે એક ભવ્ય સંવિધાન હોલ, સંસદના સભ્યો માટે એક લાઉન્જ, એક પુસ્તકાલય, અનેક સમિતિ રૂમ, ભોજન વિસ્તાર અને પૂરતી પાર્કિંગ જગ્યા હશે. પ્રોજેક્ટ પૂર્ણ કરવાની મૂળ સમયમર્યાદા ગયા વર્ષે નવેમ્બર હતી.

    આ પ્રોજેક્ટ અંતર્ગત રાજપથનું નામ બદલીને કર્તવ્યપથ કરવામાં આવ્યું

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગત વર્ષે સપ્ટેમ્બરમાં સુધારેલા સેન્ટ્રલ વિસ્ટા એવન્યુ અને કર્તવ્ય પથનું ઉદ્ઘાટન કર્યું, જેનું નામ રાજપથથી બદલવામાં આવ્યું છે. વડાપ્રધાને ઈન્ડિયા ગેટ હેક્સાગોન ખાતે સ્થાપિત નેતાજી સુભાષ ચંદ્ર બોઝના સ્ટેચ્યુનું પણ અનાવરણ કર્યું હતું. જેટ-બ્લેક ગ્રેનાઈટની પ્રતિમા ઈન્ડિયા ગેટ અને નેશનલ વોર મેમોરિયલની વચ્ચે હેક્સાગોનની મધ્યમાં સ્થિત ગ્રાન્ડ કેનોપી હેઠળ મૂકવામાં આવી છે.

    ત્યારે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું, “રાજાનો માર્ગ જેને રાજપથ પણ કહેવામાં આવતો હતો તે ગુલામીનું પ્રતીક હતું અને હવે તે ભૂતકાળ બની ગયો છે. કર્તવ્ય પથના રૂપમાં એક નવો ઈતિહાસ રચાયો છે. આઝાદીનું 75મું વર્ષ અમૃતકાળમાં ગુલામીના બીજા પ્રતીકમાંથી મુક્તિ મેળવવા માટે હું તમામ દેશવાસીઓને અભિનંદન પાઠવું છું.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં