Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટનુપુરને નેપાળનો સાથ: અનેક શહેરોમાં વિશાળ રેલીઓ, હજારોની જનમેદનીએ પૂછ્યું ભારતના હિંદુઓ...

    નુપુરને નેપાળનો સાથ: અનેક શહેરોમાં વિશાળ રેલીઓ, હજારોની જનમેદનીએ પૂછ્યું ભારતના હિંદુઓ ક્યાં છે?

    નુપુરના કથિત ટિપ્પણી બાદ આખા વિશ્વમાં ઈસ્લામિક દેશોએ વિરોધ નોધાવ્યો હતો.

    - Advertisement -

    નુપુર શર્માના સમર્થનમાં નેપાળ વસતા હિંદુઓ અને હિંદુ સંગઠનો દ્વારા વિશાળ રેલી કાઢવામાં આવી હતી નુપુર શર્માના સમર્થનમાં નેપાળ માં રાજધાની કાઠમંડુ સહીત બીરગંજ, પીરગંજ, અને અન્ય ઘણા શહેરોમાં હજારોની સંખ્યામાં હિંદુઓ નુપુર શર્માના સમર્થનમાં રસ્તાઓ ઉપર ઉતરી આવ્યાં હતા.

    આ દરમિયાન ‘જય હિન્દુ’, ‘જય હિન્દુત્વ’ અને ‘જય શ્રી રામ’ જેવા નારા લગાવવામાં આવ્યા હતા. રેલીમાં ‘જો હિન્દુ શિવ અને રામની નહીં, કોઈ કામ કા નહીં’ જેવા પોસ્ટર પણ જોવા મળ્યા હતા. બીરગંજમાં એક રેલી દરમિયાન એક હિંદુ સંતને એમ કહેતા સાંભળી શકાય છે કે જ્યારે હિંદુ આસ્થા દાવ પર હશે ત્યારે તેઓ પણ મૌન બેસી રહેશે નહીં. તેમણે કહ્યું કે અગાઉ પણ હિંદુ ધર્મનું અપમાન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં જ પાકિસ્તાનમાં એક શિવ મંદિરને તોડી પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ ભારતમાં બનેલી ઘટનાને લઈને મુસ્લિમોએ ગુંડાગીરી કરી. હવે તે શાંતિપૂર્ણ સરઘસ કાઢીને પોતાના ધર્મની રક્ષા કરી રહ્યો છે. કેટલાક જેહાદીઓ આમાં પણ અવરોધો મૂકી રહ્યા છે. હિન્દુ સમર્થકોએ ‘પાકિસ્તાન મુર્દાબાદ’ના નારા પણ લગાવ્યા હતા.

    રેલીનો વીડિયો સામે આવ્યા બાદ નેટીઝન્સ પણ તેના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “આ આપણો પાડોશી દેશ નેપાળ છે, તેથી નાના ભાઈની જેમ ફરજ બજાવે છે. આપણા ભારતમાં મોટા ભાઈની જેમ જુઓ, નૂપુર શર્માજીના પક્ષમાં કોઈએ રેલી નથી કાઢી પણ નેપાળના આપણા ભાઈઓએ નુપુર શર્માજીના પક્ષમાં રેલીઓ કાઢવાનું શરૂ કર્યું. નેપાળના તમામ ભાઈ-બહેનોને જય શ્રી રામ વંદન.

    - Advertisement -

    અન્ય એક યુઝરે લખ્યું, “નૂપુર શર્માના સમર્થનમાં નેપાળના કાઠમંડુમાં શાનદાર પ્રદર્શન. નેપાળના હિંદુઓ જાગી રહ્યા છે પણ ભારતના હિંદુઓ ઊંઘી રહ્યા છે.

    શિવચરણ સુદર્શન યાદવ લખે છે, “પડોશી દેશ નેપાળમાં હિન્દુ ભાઈઓએ નુપુર શર્માના સમર્થનમાં રેલી કાઢી. અમારી વચ્ચે સરહદ હોવા છતાં અમે બધા ભાઈઓ છીએ.

    એક યુઝરે લખ્યું, “નેપાળના બીરગંજ શહેરમાં હિન્દુ સમાજે ‘સત્યવાદી’ નુપુર શર્માના સમર્થનમાં વિશાળ સરઘસ કાઢ્યું. અફસોસની વાત એ છે કે આ ધર્મ અને અધર્મની લડાઈમાં પોતાના જ દેશના હિંદુઓ ક્યાંય રસ્તાઓ પર દેખાતા ન હતા.

    નોંધનીય છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા દ્વારા ઈસ્લામ ધર્મના પયગંબર મોહમ્મદના કથિત અપમાનના નામે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની પોલીસને સતર્ક રહેવા કહ્યું છે. મંત્રાલયે કહ્યું કે હિંસા દરમિયાન તેમને નિશાન બનાવી શકાય છે.

    જણાવી દઈએ કે શુક્રવારે (10 જૂન 2022) દેશના ઘણા શહેરોમાં વિરોધના નામે તોફાનો થયા હતા. આ દરમિયાન તોફાનીઓએ પોલીસ પર હુમલો કર્યો હતો. આ દરમિયાન તોડફોડ, આગચંપી અને પથ્થરમારાની ઘણી ગંભીર અને ચિંતાજનક ઘટનાઓ નોંધાઈ હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં