Wednesday, April 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકર્ણાટકના મૈસુરમાં નન દ્વારા પોતાના પર ત્રાસ ગુજારવાની ફરિયાદ કરી તો ચર્ચે...

    કર્ણાટકના મૈસુરમાં નન દ્વારા પોતાના પર ત્રાસ ગુજારવાની ફરિયાદ કરી તો ચર્ચે તેને પાગલખાનામાં ધકેલી દીધી!

    કર્ણાટકના મૈસુરમાં રહેતી એક મલયાલી નને ચર્ચ વિરુદ્ધ પોતાને પ્રતાડિત કરવાના આક્ષેપ મુક્યા તો ચર્ચે તેને પાગલખાનામાં ધકેલી દીધી હતી.

    - Advertisement -

    મૈસુરના શ્રીરામપુરામાં મર્સી કોન્વેન્ટની એક સાધ્વીએ અશોકાપુરમ પોલીસ સ્ટેશનમાં મૈસૂરના ચર્ચમાં થતી ગેરરીતિઓ સામે અવાજ ઉઠાવવા બદલ તેના સાથીદારો દ્વારા શારીરિક હુમલો કરવાનો આરોપ મૂકીને ફરિયાદ નોંધાવ્યાના એક દિવસ પછી, ડોટર્સ ઑફ અવર લેડી ઑફ મર્સી સંસ્થાનું સંચાલન કરતી મુખ્ય સંચાલિકાએ દાવો કર્યો હતો કે સાધ્વીનું કૃત્ય ગેરવાજબી છે અને તે મંડળને બદનામ કરવા માટે કરવામાં આવ્યું હતું.

    ડોટર્સ ઑફ અવર લેડી ઑફ મર્સી સંસ્થાનું સંચાલન કરતી મુખ્ય સંચાલિકા માર્ગરેટએ બુધવારે જાહેર કરેલા પોતાના પ્રેસ નિવેદનમાં જણાવ્યું હતું કે, “સાધ્વી સુધા કે વી ઉર્ફે એલ્સિના છેલ્લા 24 વર્ષથી ધાર્મિક મંડળની સભ્ય છે. પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી, તેણી આક્રમક વર્તન કરી રહી છે અને અન્ય સાધ્વીઓ સામે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરી રહી છે, આત્મહત્યા કરવાની ધમકી આપી રહી છે.”

    “તેના વર્તનને કારણે એલ્સિનાને સેન્ટ મેરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ એલ્સિનાએ બહારના વ્યક્તિની ઉશ્કેરણી પર મંડળના સભ્યો સામે ખોટા `આરોપો સાથે એક વીડિયો ક્લિપ બનાવી અને તેને સોશિયલ મીડિયા દ્વારા ફેલાવી,” ચર્ચની મુખ્ય સંચાલિકાએ કહ્યું. “ડૉક્ટરોની સલાહ વિરુદ્ધ, તેને રજા મળી અને પોલીસની પરવાનગી લીધા પછી તે પોતાના પિતા સાથે ગઈ હતી. 6 જૂનના રોજ, તે કોન્વેન્ટમાં પાછી આવી અને નન્સને ધમકી આપી કે તે તેમને કોર્ટમાં ખેંચી જશે,” માર્ગારેટે જણાવ્યું હતું.

    - Advertisement -

    માર્ગારેટે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, “મંડળીએ આ બાબતની તપાસ માટે પગલાં લીધાં છે અને અમે આવા ગેરવાજબી કૃત્યોની નિંદા કરીએ છીએ જેનો હેતુ મંડળ અને તેના સભ્યોને બદનામ કરવાનો છે.” દરમિયાન, સાધ્વી પર શારીરિક હુમલાનો કેસ નોંધનાર પોલીસે આ કેસની તપાસ હાથ ધરી છે.

    આ પહેલા બુધવારના દિવસે અહેવાલો આવ્યા હતા કે મૈસૂરના શ્રીરામપુરામાં ડોટર્સ ઑફ અવર લેડી ઑફ મર્સી ચર્ચ સાથે કામ કરતી એક મલયાલી સાધ્વીએ આરોપ મૂક્યો છે કે મૈસૂરના ચર્ચમાં થતી ગેરરીતિઓ દર્શાવવા બદલ તેને બળજબરીથી મનોચિકિત્સક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને તે જ કારણસર તેને કોન્વેન્ટની બહાર ફેંકી દેવામાં આવી હતી. સાધ્વી સિસ્ટર એલ્સિનાએ કર્ણાટક મહિલા આયોગને કોન્વેન્ટમાં ભ્રષ્ટાચારની ફરિયાદ કરી હતી.

    એલ્સિનાએ આક્ષેપ કર્યો હતો કે કોન્વેન્ટે તેને ફરિયાદ પાછી ખેંચી લેવા કહ્યું હતું, પરંતુ તેણે ના પાડી હતી અને ત્યારબાદ તેને કથિત રીતે ત્રાસ આપવામાં આવ્યો હતો અને બળજબરીથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આખરે, સાધ્વીના સંબંધીઓ અને પોલીસે દરમિયાનગીરી કરી અને તેને હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ કોન્વેન્ટમાંથી બહાર કાઢવામાં આવી હતી. સિસ્ટર મેરી એલ્સિનાએ વધુમાં આરોપ લગાવ્યો છે કે નન્સ દ્વારા ચલાવવામાં આવતી કોન્વેન્ટ અને હોસ્પિટલમાં તેના પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં