Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમુસ્લિમ મહિલાએ તલાક-એ-હસન પર સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી, કહ્યું- દરેક ધર્મો...

    મુસ્લિમ મહિલાએ તલાક-એ-હસન પર સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી, કહ્યું- દરેક ધર્મો માટે સમાન નિયમ હોવા જોઈએ

    સુપ્રિમ કોર્ટમાં એક મુસ્લિમ મહિલાએ તલાક-એ-હસન પર પ્રતિબંધ મુકવાની માંગણી કરતા યાચિકા કરી છે. હાલમાં દેશમાં તલાક-એ-બિદ્દ્ત પર પ્રતિબંધ છે.

    - Advertisement -

    તલાક-એ-હસન અને અન્ય તમામ પ્રકારના એકપક્ષીય તલાકને ગેરબંધારણીય અને ગેરકાયદે જાહેર કરવાની માંગ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. આ અરજી ગાઝિયાબાદની રહેવાસી બેનઝીર હીનાએ દાખલ કરી છે. તેણે દાવો કર્યો છે કે તે તલાક-એ-હસનનો શિકાર બની છે. આ સાથે, તેમના દ્વારા કેન્દ્રને તમામ નાગરિકો માટે સમાન ધોરણે અને સમાન પ્રક્રિયા માટે માર્ગદર્શિકા તૈયાર કરવા નિર્દેશ આપવા વિનંતી કરવામાં આવી છે. અરજદારે તમામ માટે છૂટાછેડાની સમાન પ્રક્રિયા માટે માર્ગદર્શિકા જારી કરવા માટે કોર્ટને નિર્દેશ આપવાની માંગ કરી છે.

    અરજદાર બેનઝીર હીનાનું કહેવું છે કે તલાક-એ-હસન બંધારણની વિરુદ્ધ છે અને મુસ્લિમ મેરેજ એક્ટ 1939 હેઠળ માત્ર પુરુષોને જ એકપક્ષીય છૂટાછેડા લેવાનો અધિકાર છે. બેનઝીરે માંગ કરી છે કે કેન્દ્ર સરકાર તમામ ધર્મો, મહિલાઓ અને પુરુષો માટે સમાન તલાકનો કાયદો બનાવે. તલાક-એ-હસનનો શિકાર હોવાનો દાવો કરતી બેનઝીર હીનાએ આરોપ લગાવ્યો કે તેના પતિએ તેને દહેજ માટે હેરાન કરી અને જ્યારે તેણે વિરોધ કર્યો ત્યારે એકપક્ષીય તલાકની જાહેરાત કરી હતી.

    એડવોકેટ અશ્વિની ઉપાધ્યાય દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં બેનઝીરે જણાવ્યું છે કે તેના લગ્ન 2020માં દિલ્હીના રહેવાસી યુસુફ નકી સાથે થયા હતા. તેમની પાસે 7 મહિનાનું બાળક પણ છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં ઘરેલુ વિવાદ બાદ પતિએ તેને ઘરની બહાર કાઢી મુકી હતી. છેલ્લા 5 મહિનાથી તેની સાથે કોઈ સંપર્ક થયો નથી. હવે અચાનક એણે વકીલ મારફત ટપાલ દ્વારા પત્ર મોકલ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે તે તલાક-એ-હસન હેઠળ પ્રથમ તલાક આપી રહ્યો છે.

    - Advertisement -

    અરજદારે સુપ્રીમ કોર્ટ પાસે મુસ્લિમ પર્સનલ લો (શરિયત) એક્ટ 1937ની કલમ 2ને ગેરબંધારણીય જાહેર કરવાની પણ માંગ કરી છે. એવો દાવો કરવામાં આવે છે કે આ કલમ ભારતના બંધારણની કલમ 14, 15, 21 અને 25નું ઉલ્લંઘન કરે છે.

    તલાક-એ-હસન એટ્લે શું ?

    આ પ્રકારના તલાકમાં પતિ દ્વારા પત્નીને એક મહિનાના અંતરાળમાં ત્રણ અલગ-અલગ પ્રસંગોએ તલાક કહીને અથવા લખીને તલાક આપી શકે છે. આમાં, મુદ્દતની સમાપ્તિ પહેલા તલાક પરત કરવાની તક છે. લગ્ન ત્રીજી વખત છૂટાછેડા ઉચ્ચારવામાં આવે ત્યાં સુધી અમલમાં રહે છે પરંતુ બોલ્યા પછી તરત જ સમાપ્ત થાય છે.

    આ છૂટાછેડા પછી, પતિ અને પત્ની ફરીથી લગ્ન કરી શકે છે. પણ એમાં પત્નીએ હલાલાની વિધિમાંથી પસાર થવાનું હોય છે.

    સુપ્રીમ કોર્ટે માત્ર તલાક-એ-બિદ્દત (ટ્રીપલ તલાક) પર પ્રતિબંધ મૂક્યો હતો

    22 ઓગસ્ટ 2017ના રોજ સુપ્રીમ કોર્ટે ટ્રિપલ તલાકને ગેરબંધારણીય ગણાવીને લગ્ન રદ કરવાની જાહેરાત કરી હતી. કેટલાક મુસ્લિમ ઉલેમાઓ પણ માનતા હતા કે તલાક-એ-બિદ્દત નામની આ વ્યવસ્થા કુરાન અનુસાર નથી. કોર્ટના નિર્ણય બાદ સરકારે ટ્રિપલ તલાકને ગુનો જાહેર કરવા માટે કાયદો પણ બનાવ્યો છે. પરંતુ તલાક-એ-હસન અને તલાક-એ-અહેસાન જેવી કુપ્રથાઓ હજુ પણ અકબંધ છે.

    આ હેઠળ, પતિ 1 મહિનાના અંતરાલમાં લેખિત અથવા મૌખિક રીતે ત્રણ વાર તલાક કહીને લગ્નને રદ કરી શકે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં