Wednesday, April 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજામા મસ્જિદને નોટિસ મોકલનાર SHOને હટાવાયા, કેરળની વામપંથી સરકારે કહ્યું- મસ્જિદોમાંથી સાંપ્રદાયિક...

    જામા મસ્જિદને નોટિસ મોકલનાર SHOને હટાવાયા, કેરળની વામપંથી સરકારે કહ્યું- મસ્જિદોમાંથી સાંપ્રદાયિક પ્રચાર નથી થઈ રહ્યો

    કેરળમાં મસ્જીદમાંથી ભડકાઉ ભાષણ ન કરવાની ચેતવણી આપનાર પોલીસ અધિકારીને અહીંની વામપંથી સરકારે પોતાના પદ પરથી હટાવી દીધા છે. પોલીસ અધિકારીએ હાલના સંજોગોને ધ્યાનમાં લઈને આ ચેતવણી આપી હતી.

    - Advertisement -

    જામા મસ્જિદને નોટિસ મોકલનાર SHOને કેરળ સરકારે સાંપ્રદાયિક ભાષણ પર પ્રતિબંધ મૂકતી નોટિસને અયોગ્ય ગણાવીને તેમના પદ પરથી હટાવી દીધા છે. પિનરાઈ વિજયન સરકારે બુધવારે (15 જૂન, 2022) સ્પષ્ટતા કરી કે તેમને નથી લાગતું કે રાજ્યની મસ્જિદોમાં કોઈ સાંપ્રદાયિક પ્રચાર કરવામાં આવી રહ્યો હોય. તેણે કન્નુર જિલ્લાની જામા મસ્જિદને પોલીસ દ્વારા જારી કરાયેલી નોટિસને પણ અયોગ્ય ગણાવી હતી, જેમાં મસ્જિદને શુક્રવારની નમાજ દરમિયાન “કોમી રીતે વિભાજનકારી” તકરીર કરવાથી દૂર રહેવા કહ્યું હતું. જામા મસ્જિદને નોટિસ મોકલનાર SHOનું નામ બીજુ પ્રકાશ હતું, જેમને પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા.

    મુખ્યમંત્રી કાર્યાલય (CMO) દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આવી નોટિસ સંપૂર્ણપણે અયોગ્ય છે અને લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF) સરકારની નીતિઓ વિરુદ્ધ છે. સીએમઓએ કહ્યું કે માયિલ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જે સરકારી નીતિને સમજ્યા વિના ખોટી નોટિસ જારી કરી], તેથી ડીજીપી (પોલીસ મહાનિર્દેશક)એ તેમને પદ પરથી હટાવ્યા છે.

    વાસ્તવમાં, બીજુ પ્રકાશે આ નોટિસ દેશના વિવિધ ભાગોમાં ઇસ્લામવાદીઓ દ્વારા તાજેતરના હિંસક વિરોધ અને પયગંબર મુહમ્મદ વિશેની ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા દ્વારા કથિત અપમાનજનક ટિપ્પણીને કારણે થયેલા તોફાનોને ધ્યાનમાં રાખીને જારી કરી હતી. બીજુ પ્રકાશે (SHO) વિસ્તારની જામા મસ્જિદ સમિતિને એક નોટિસ મોકલીને તેમને શુક્રવારની નમાજ દરમિયાન ભડકાઉ ભાષણો કરવાથી દૂર રહેવા કહ્યું હતું. તેમણે મસ્જિદ સમિતિને કહ્યું કે મસ્જિદમાં શુક્રવારની નમાઝનો ઉપયોગ સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવા અને નફરત ફેલાવવા માટે ન થવો જોઈએ. નોટિસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જેઓ આ એડવાઈઝરીનું ઉલ્લંઘન કરશે અને અપશબ્દોનો ઉપયોગ કરશે તેમની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

    - Advertisement -

    જોકે, મસ્જિદને નોટિસ મળતાં જ SHO વિરુદ્ધ આક્રોશ ફેલાઈ ગયો હતો. મુસ્લિમ લીગ અને SDPI જેવા પક્ષો સહિત મુસ્લિમ સમુદાયે પરિપત્રનો વિરોધ કર્યો હતો. મુસ્લિમ લીગ કન્નુર જિલ્લાના મહાસચિવ અબ્દુલ કરીમ ચેલેરીએ મુખ્ય પ્રધાનને આ મુદ્દે સરકારનું વલણ સ્પષ્ટ કરવા જણાવ્યું હતું. એટલું જ નહીં, મુસ્લિમ નેતાઓએ પોલીસ અધિકારી વિરુદ્ધ કન્નુર શહેરના પોલીસ કમિશનરને ફરિયાદ પણ કરી હતી.

    નોટિસનો વિરોધ થયા બાદ તેને પાછી ખેંચી લેવામાં આવી હતી અને SHO તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. સરકારી કાર્યવાહી બાદ અધિકારીએ કહ્યું કે તે માત્ર મસ્જિદ કમિટીની સલાહ હતી. પરિપત્ર પાછો ખેંચી લેતા પોલીસ કમિશનરે SHO બિજુ પ્રકાશ પાસે સ્પષ્ટતા પણ માંગી છે.

    કેરળ પ્રદેશ કોંગ્રેસ કમિટી (KPCC)ના ઉપાધ્યક્ષ વીટી બલરામે તાજેતરમાં જ એક મંદિરમાં વરિષ્ઠ નેતા પીસી જ્યોર્જના કથિત દ્વેષપૂર્ણ ભાષણનો ઉલ્લેખ કરીને પ્રશ્ન પૂછ્યો હતો કે શું એલડીએફ સરકારે મંદિર સમિતિઓને પણ નોટિસો જારી કરી છે? નોંધનીય છે કે સીએમઓએ પોતાના નિવેદનમાં દાવો કર્યો છે કે નોટિસના સંબંધમાં સરકાર વિરુદ્ધ દુષ્પ્રચાર કરવામાં આવી રહ્યો છે, સ્વાર્થી લોકો રાજ્યમાં સાંપ્રદાયિક તણાવ પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેવા સમયે વિવિધ ધર્મો, ધાર્મિક સંસ્થાઓ અને સામાન્ય લોકો જનતા વચ્ચે મિત્રતા અને શાંતિ જાળવવી મહત્વપૂર્ણ છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં