Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકન્નૌજમાં હિંસા અને આગચંપી: હનુમાન મંદિરના હવન કુંડમાં ફેંકી દેવાયું ઢોરનું કપાયેલું...

    કન્નૌજમાં હિંસા અને આગચંપી: હનુમાન મંદિરના હવન કુંડમાં ફેંકી દેવાયું ઢોરનું કપાયેલું માથું, ટોળાએ મૂર્તિ પણ તોડી

    ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ આગ ઓલવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. બપોર પછી સ્થિતિ કાબૂ બહાર જવા લાગી અને હિંસા ફાટી નીકળી હતી.

    - Advertisement -

    કન્નૌજના તાલગ્રામમાં હનુમાન મંદિરમાં એક ઢોરનું કપાયેલું માથું હવન કુંડમાં ફેંકી દેવાયા બાદ કન્નૌજમાં હિંસા ફાટી નીકળી હતી. આ ઘટના શનિવારે (16 જુલાઈ, 2022) ના રોજ તાલગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના રસુલાબાદ ગામમાં બની હતી. સવારે મંદિરમાં સફાઈ કરવા અને પ્રાર્થના કરવા આવેલા વૃદ્ધ પૂજારીએ હવન કુંડ પાસે ઢોરનું કપાયેલું માથું જોયું તો તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. તેણે આ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે તેને તરત જ ત્યાંથી હટાવી દીધું હતું.

    જે બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી. આ ઘટનાને લઈને હિન્દુ સંગઠનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. તેઓએ રસ્તા પર બેસીને પ્રદર્શન કર્યું. આસપાસની દુકાનો પણ બંધ હતી. સવારથી જ જિલ્લામાં તણાવ પ્રવર્તી રહ્યો હતો, ત્યારબાદ આઈજી રેન્જ પ્રશાંત કુમાર પોતે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું કે હવે સ્થિતિ નિયંત્રણમાં છે. પૂજારી જગદીશ ચંદ્રે જણાવ્યું કે આ મંદિર તેમણે પોતે બનાવ્યું છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં હિન્દુઓ પણ ઉમટી પડ્યા હતા. પોલીસે જણાવ્યું કે આગ લગાડવા અને દુકાનોમાં તોડફોડની તપાસ ચાલી રહી છે.

    આ પછી, કેટલાક અરાજક તત્વોએ મંદિરની મૂર્તિને નુકસાન પહોંચાડ્યું હોવાના સમાચાર પણ આવ્યા હતા. ઢોરનું કપાયેલું માથું ફેંકી દેવાની ઘટના રાત્રીના સમયે બની હતી. પોલીસે તેમની હાજરીમાં મંદિરની સફાઈ કરાવી હતી. કેટલાક લોકોએ આક્ષેપ કર્યો હતો કે માંસની દુકાનો સળગાવી દેવામાં આવી છે. ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ આગ ઓલવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. બપોર પછી સ્થિતિ કાબૂ બહાર જવા લાગી અને કન્નૌજમાં હિંસા ફાટી નીકળી.

    - Advertisement -

    જોકે, SDM અને COના આશ્વાસન બાદ હિંદુ સંગઠનોએ રોડ જામ મોકૂફ રાખ્યો હતો. જગદીશ જાટવે તેમના ઘરથી અડધો કિલોમીટર દૂર આવેલા તેમના ખેતરમાં આ મંદિર બનાવ્યું છે. હવન કુંડની આસપાસ અન્ય માંસના ટુકડા પણ હતા. વિરોધ સ્થળથી લગભગ 1 કિમી દૂર સ્થિત મકબરાની બહાર કેટલીક દુકાનોને સળગાવી દેવામાં આવી હતી. આ પછી ટોળાએ મંદિરમાં ઘૂસીને તોડફોડ કરી હતી. ડીએમ-એસપી પોતે સ્થળ પર છે અને તાલગ્રામ બંધ કરીને પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં