શનિવારે (22 જુલાઈ, 2023) ભારે વરસાદના કારણે જૂનાગઢમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ. ગિરનાર પર્વત પર ભારે વરસાદના કારણે પાણી નીચે શહેરમાં ઉતરી આવ્યાં અને નીચાણવાળા વિસ્તારોમાં ભરાઈ ગયાં. અમુક વિડીયો પણ સોશિયલ મીડિયા પર ફરતા થયા, જેમાં વાહનો અને પશુઓ તણાઈ જતાં જોવા મળ્યાં હતાં. આમ આદમી પાર્ટીએ (AAP) આમાં રાજકારણ રમવાની તક શોધી કાઢી.
AAP રાષ્ટ્રીય પ્રવક્તાએ એક ટ્વિટ કર્યું હતું, જેમાં ધસમસતા પાણીમાં કેટલાંક પશુઓ તણાઈ જતાં જોવા મળે છે. વિડીયો જૂનાગઢમાં ભારે વરસાદ પડ્યા પછીનો છે. આ વિડીયો ટ્વિટ કરીને તેમણે પીએમ મોદી પર નિશાન સાધવા જતાં લખ્યું કે, ‘મોદી જી કી ભેંસ ગઈ પાની મેં…’
मोदी जी की भैंस गई पानी में। pic.twitter.com/HuXaN6XwtK
— Priyanka Kakkar (@PKakkar_) July 22, 2023
AAP નેતાએ આફત સમયે પણ આ પ્રકારે રાજકારણ રમવાનો અવસર શોધી કાઢતાં નેટિઝન્સે બરાબરની ઝાટકણી કાઢી અને આ કૃત્યને શરમજનક ગણાવ્યું હતું. લોકોએ કહ્યું કે, ટીકા કરવી જોઈએ પરંતુ સંવેદનશીલતા ગુમાવવી ન જોઈએ.
आलोचक बनो लेकिन संवेदनशील भी बनो
— Abhishek Kumar (@abhi795) July 22, 2023
Those who can make smart heartless comments using human tragedy of immense proportions in natural disaster, wonder why they are not preferred by Indians! https://t.co/rUSQ50tQ43
— Ratan Sharda 🇮🇳 रतन शारदा (@RatanSharda55) July 23, 2023
એક યુઝરે લખ્યું કે, મોદી પ્રત્યેની નફરતના કારણે આમ આદમી પાર્ટીના નેતાઓ હવે અબોલ જીવના પાણીમાં વહેવા પર વિષવમન કરી રહ્યા છે અને મોદી-ભાજપ પ્રત્યેની નફરતના કારણે આખા ગુજરાતને ઘૃણાથી જોતા થઇ ગયા છે. તેમણે આને રાક્ષસી વૃત્તિ ગણાવી.
मोदी से नफरत की पराकाष्ठा देखिये, जुबान रहित जीव के इसतरह पानी में बहने पर किस तरह विषवमन कर रही है। आलम ये है की मोदी भाजपा से नफ़रत करते करते ये पुरे गुजरात के भाइयों बहनों से भी करने लगे है। कोई राक्षसी प्रवृति हीं ऐसा सोच सकती है। आपिये सच में मन और हृदय हीन है। https://t.co/N0Zvy84zjY
— लंकेश (@Observer4s) July 22, 2023
યુઝર વિરલ પટેલે લખ્યું કે, એક તરફ રાજ્ય અતિભારે વરસાદનો સામનો કરી રહ્યું છે અને ખેડૂતોએ પોતાનાં પાલતુ પ્રાણી ગુમાવ્યાં છે ત્યારે આમ આદમી પાર્ટીનાં નેતા અસંવેદનશીલ ટિપ્પણી કરીને મજાક ઉડાવી રહ્યાં છે.
Such an insensitive remark made by Kejriwal protege… The state is going through unusual record high rains… Some farmer's cattle are flowing in flooding water and she thinks of making Hansi Thitholi https://t.co/CrVRYDn453
— Viral R Patel વિરલ પટેલ (@PatelViral) July 23, 2023
અન્ય એક વ્યક્તિએ લખ્યું કે, ભગવાન એટલા નીચ કોઈને ન બનાવે કે પ્રાકૃતિક આફતમાં પણ રાજકારણ રમવાની તક શોધી લે અને ઉત્સવ મનાવે.
भगवान इतना नीच किसी को न बनाए जो प्राकृतिक आपदा में भी राजनीतिक अवसर ढूंढ ले और जश्न मनाये, आपियों को सद्बुद्धि दे 🙏 https://t.co/nXK6N0lj8E
— Naweed (@Spoof_Junkey) July 22, 2023
ઘણા યુઝરોએ આ કૃત્યને શરમજનક ગણાવ્યું અને કહ્યું કે, આ પ્રકારની પરિસ્થિતિમાં આવી ટિપ્પણીઓ કરવી જોઈએ નહીં.
Pity your upbringing! Life in danger and all you can say is this! Shameful
— Tee 🇮🇳 (@tee2799) July 22, 2023
જનકરાજ અગ્રવાલે લખ્યું કે, વહેતા નિર્દોષ જાનવરોના વિડીયો પોસ્ટ કરીને મોદીને ટાર્ગેટ કરતા AAP નેતાએ શરમ કરવી જોઈએ.
कुछ तो शर्म कर ..या तेरे दिल्ली के मालिक ने तेरे को यही सिखाया है कि बहते हुए निर्दोष जानवरों का वीडियो पोस्ट कर और इसमें भी मोदी जी को ही कोसते रहो , घिन आती है तेरी सोच पे
— Janakraj Agrawal (@janakraj13) July 22, 2023
અનુપમ મિશ્રા લખે છે કે, વહેતા જાનવરો પ્રત્યે સંવેદના તો દૂરની વાત પરંતુ છીછરું રાજનીતિક નિવેદન આપવા માટે તેમની મજાક ઉડાવવી એ માત્ર કેજરીવાલની પાર્ટીના નેતા જ કરી શકે. તેમણે એ બાબત પર પણ ધ્યાન દોર્યું કે કઈ રીતે આમ આદમી પાર્ટીના નેતાઓ પોતે ભણેલા-ગણેલા હોવાના દાવા કરતા રહે છે પરંતુ તેમના આચરણમાં એ બાબત દેખાતી નથી.
बहते हुए जानवरों से संवेदना तो दूर, एक छिछोरा राजनीतिक बयान देने के लिए उनका मज़ाक़ उड़ाना सिर्फ़ केजरीवाल की पार्टी के नेता कर सकते हैं । पढ़े-लिखे होने का दावा करते “कट्टर फूहड़” लोग । https://t.co/IeAtKjDjAC
— ANUPAM MISHRA (@scribe9104) July 22, 2023
કેજરીવાલે કહ્યું હતું- પૂરના સમયે રાજકારણ રમવું જોઈએ નહીં
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ દિલ્હીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી અને યમુના નદીનું જળસ્તર ખૂબ વધી જવાના કારણે પાણી શહેરમાં ફરી વળ્યાં હતાં. આ સમયે અરવિંદ કેજરીવાલે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, આવી બાબતો પર રાજકારણ કરવું જોઈએ નહીં. તેમનો વિડીયો હાલ વાયરલ થઇ રહ્યો છે.
दिल्ली में बाढ़ पर राजनीति नहीं करनी चाहिए
— Ankur Singh (@iAnkurSingh) July 23, 2023
गुजरात पर राजनीति कर सकते हैं pic.twitter.com/IVTZpytEIx
કેજરીવાલે ત્યારે કહ્યું હતું કે, “આખા ઉત્તર ભારતમાં બહુ વધારે વરસાદ થયો છે. ક્યાંક 40 તો ક્યાં 50 વર્ષમાં પહેલી વખત આટલો વરસાદ પડ્યો છે. લોકો ખૂબ પરેશાન છે અને એવો સમય છે જ્યારે આપણે બધાએ મળીને એકબીજાની મદદ કરવાની છે. આ સમય આંગળી ચીંધવાનો નથી કે આણે આમ નથી કર્યું કે તેણે તેમ નથી કર્યું.