Wednesday, April 17, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટISROના રોકેટ સાયન્ટિસ્ટનો PM મોદીને પત્ર, કહ્યું- 'જાસૂસી કરવાનું કહ્યું, ના પાડતાં...

    ISROના રોકેટ સાયન્ટિસ્ટનો PM મોદીને પત્ર, કહ્યું- ‘જાસૂસી કરવાનું કહ્યું, ના પાડતાં ધમકી આપી’, કેરળ પોલીસ પર પણ આરોપ

    પ્રવીણ મૌર્યએ કેરળ પોલીસ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે કેવી રીતે અજીકુમાર સુરેન્દ્રનના કહેવા પર તેમને હેરાન કરવામાં આવ્યા અને ધમકી આપવામાં આવી.

    - Advertisement -

    ISROના રોકેટ સાયન્ટિસ્ટે જાસૂસી કરવાની ના પાડતા હત્યાની ધમકી આપી હોવાનો દાવો કર્યો છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) અને વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC)માં કામ કરતા રોકેટ સાયન્ટિસ્ટ પ્રવિણ મૌર્યએ આરોપ લગાવ્યો છે કે કેટલાક જાસૂસોએ તેમને ભારતના સ્પેસ પ્રોગ્રામ વિશેની ગોપનીય માહિતી શેર કરવા દબાણ કર્યું હતું અને ના પાડવા પર ધમકી આપી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે આ બધું ISRO અને કેરળ પોલીસના કેટલાક વરિષ્ઠ અધિકારીઓના મેળાપીપણામાં કરવામાં આવી રહ્યું છે.

    9 નવેમ્બર 2022 ના રોજ જાસૂસી કરવાની ના પાડનાર ISROના રોકેટ સાયન્ટિસ્ટે ટ્વિટર પર તેમની લિંક્ડઇન પોસ્ટની લિંક શેર કરી હતી, જેમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રની નકલ શેર કરી. તેમણે આ મામલે ગુપ્ત તપાસની માંગ કરી છે.

    મૌર્યએ 5 ઓગસ્ટ, 2022ના રોજ વડાપ્રધાનને લખેલા તેમના પત્રની નકલ 9 નવેમ્બર, 2022ના રોજ તેમની લિંક્ડઈન પોસ્ટમાં સામેલ કરી છે. તેમણે એ પણ શેર કર્યું કે તેમણે ફરિયાદની એક નકલ ગૃહપ્રધાન અમિત શાહ અને ઈસરોના અધ્યક્ષને મોકલી છે.

    - Advertisement -

    મૌર્યએ કહ્યું હતું કે તેઓ હાલમાં ભારતના પ્રથમ માનવ અંતરિક્ષ મિશન ‘ગગનયાન’ પર કામ કરી રહ્યા છે. અજીકુમાર સુરેન્દ્રન નામના વ્યક્તિએ જાસૂસી કરવા માટે તેમનો સંપર્ક કર્યો હતો. તેણે ઈસરોની કેટલીક ગોપનીય માહિતીના બદલામાં તેમને મોટી રકમ આપવાનું વચન આપ્યું હતું. મૌર્ય કહે છે કે સુરેન્દ્રન દુબઈમાં કેટલાક લોકો માટે કામ કરે છે.

    પ્રવીણ મૌર્યએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે અજીકુમાર સુરેન્દ્રને તેમને કાયમી જાસૂસ બનવાની ઓફર કરી હતી. જ્યારે તેમણે ના પાડી, ત્યારે સુરેન્દ્રને તેની પુત્રીનો ઉપયોગ તેને POCSO કેસમાં ખોટી રીતે ફસાવવા માટે કર્યો. મૌર્યનો આરોપ છે કે આ કેરળ પોલીસ સાથે મળીને કરવામાં આવ્યું હતું. ઈસરોના કેટલાક વરિષ્ઠ અધિકારીઓ પણ સુરેન્દ્રનને તેમની યોજનામાં મદદ કરી રહ્યા હતા. મૌર્યના જણાવ્યા અનુસાર, POCSO કેસ પાછો ખેંચવાને બદલે સુરેન્દ્રને તેમની માંગણીઓ સ્વીકારવાનું કહ્યું હતું.

    તેમની LinkedIn પોસ્ટમાં મૌર્યએ ISROના કેટલાક વરિષ્ઠ અધિકારીઓ પર તેમના પત્રો પર ધ્યાન ન આપવાનો આરોપ લગાવ્યો હતો. મૌર્યના જણાવ્યા અનુસાર, ઈસરોના અધિકારીઓ નીચેના કારણોસર ફરિયાદની સીબીઆઈ અથવા ઈન્ટેલિજન્સ તપાસ ઈચ્છતા નથી:

    -ઈસરોના કેટલાક વરિષ્ઠ અધિકારીઓ જાસૂસોને તેમની યોજના પાર પાડવામાં મદદ કરી રહ્યા હતા. આવી સ્થિતિમાં ઈસરોમાં હાજર આ દેશ વિરોધી અધિકારીઓનું સમગ્ર રેકેટ ઈન્ટેલિજન્સ બ્યુરોની તપાસમાં આવશે.

    -પોલીસ વિભાગના અધિકારીઓ પણ IBના દાયરા હેઠળ રહેશે.

    -ISROના વરિષ્ઠ અધિકારીઓમાંના એક ISROના ભૂતપૂર્વ અધ્યક્ષના સંબંધી છે. જો ઇન્ટેલિજન્સ તપાસને મંજૂરી મળશે તો તે ચોક્કસપણે સ્કેનર હેઠળ આવશે.

    તેમણે આગળ લખ્યું, “IB તપાસ માટે તૈયાર છે. તેને ફક્ત અવકાશ વિભાગની સત્તાવાર વિનંતીની જરૂર છે, જે તેઓ ઉપર જણાવેલ કારણોસર આપતા નથી.”

    ઈસરોના વૈજ્ઞાનિકે કેરળ પોલીસ પર રેકેટમાં સામેલ હોવાનો લગાવ્યો આરોપ

    પ્રવીણ મૌર્યએ કેરળ પોલીસ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે કેવી રીતે અજીકુમાર સુરેન્દ્રનના કહેવા પર તેમને હેરાન કરવામાં આવ્યા અને ધમકી આપવામાં આવી. આ કામગીરી કેરળ પોલીસે હાથ ધરી હતી. કેરળ પોલીસના કેટલાક વરિષ્ઠ અધિકારીઓ પણ આમાં સામેલ છે.

    વડાપ્રધાનને લખેલા તેમના પત્રમાં પ્રવીણ મૌર્યએ વિગતવાર જણાવ્યું છે કે કેવી રીતે તેમને કેરળ પોલીસ અને ISROના કેટલાક અધિકારીઓ દ્વારા ધમકી આપવામાં આવી હતી અને હેરાન કરવામાં આવ્યા હતા, તેમને ખોટા POCSO અને NDPS આરોપોમાં ફસાવ્યા હતા અને જાસૂસી કરવાનો ઇનકાર કર્યો હતો.

    મૌર્યએ દાવો કર્યો હતો કે કેરળ પોલીસ સમગ્ર રેકેટમાં સક્રિય રીતે સામેલ હતી અને માંગણીઓ સ્વીકારવા માટે સતત દબાણ કરી રહી હતી. તેથી તેને કેરળ છોડીને ઉત્તર પ્રદેશના પોતાના વતન શહેર પરત ફરવાની ફરજ પડી હતી. તેમણે ભારતના વડાપ્રધાનને આ મામલે તપાસ શરૂ કરવા વિનંતી કરી, જેથી સત્ય બહાર આવી શકે અને દેશના દુશ્મનોને સજા મળી શકે.

    ઈસરોના વૈજ્ઞાનિક તપન મિશ્રાએ ઝેર આપવાનો લગાવ્યો હતો આરોપ

    ઈસરોના ટોચના વૈજ્ઞાનિક તપન મિશ્રાએ 5 જાન્યુઆરી, 2021ના રોજ ખુલાસો કર્યો હતો કે ત્રણ વર્ષથી વધુ સમય પહેલા તેમને ઝેર આપીને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમની ફેસબુક પોસ્ટ ‘લોંગ કેપ્ટ સિક્રેટ’માં તેમણે ખુલાસો કર્યો કે 23 મે 2017ના રોજ બેંગલુરુમાં ISRO હેડક્વાર્ટર ખાતે પ્રમોશન ઇન્ટરવ્યુ દરમિયાન તેમને જીવલેણ આર્સેનિક ટ્રાયઓક્સાઇડ સાથે ઝેર આપીને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

    મિશ્રાએ આશંકા વ્યક્ત કરી હતી કે તેમને ઢોસાની ચટણીમાં ઝેર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમને તણાવ અને પીડામાંથી બહાર આવતાં બે વર્ષ લાગ્યાં હતાં. તેમની પોસ્ટમાં તેમણે તેમની હત્યાના પ્રયાસોમાં અમેરિકાની સંડોવણીનો ઉલ્લેખ કર્યો. તપને લખ્યું કે વર્ષ 2019માં અચાનક એક ભારતીય અમેરિકન પ્રોફેસર તેમની ઓફિસમાં દેખાયા અને તેમને ઝેરની આ ઘટના પર મૌન રહેવા માટે કહેવામાં આવ્યું.

    નામ્બી નારાયણન: કોંગ્રેસના દમનનો ભોગ

    અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે વર્ષ 1994માં ઈસરોના વૈજ્ઞાનિક નામ્બી નારાયણન પણ કોંગ્રેસ પાર્ટીના અત્યાચારનો શિકાર બન્યા હતા. કેરળ કોંગ્રેસ પાર્ટીના બે જૂથો વચ્ચેની રાજકીય દુશ્મનાવટને કારણે નવેમ્બર 1994માં અન્ય બે વૈજ્ઞાનિકો – ડી શશીકુમારન અને કે ચંદ્રશેખરની સાથે નારાયણનની ધરપકડ કરવામાં આવી હતી. કેરળ પોલીસે આ વૈજ્ઞાનિકો વિરુદ્ધ સત્તાવાર રહસ્ય અધિનિયમની કલમ 3, 4 અને 5 હેઠળ જાસૂસીનો આરોપ મૂક્યો હતો.

    વર્ષ 2018 માં, સુપ્રીમ કોર્ટે નામ્બી નારાયણન સંબંધિત જાસૂસી કેસમાં દોષિત પોલીસ અધિકારીઓની ભૂમિકાની તપાસ કરવા માટે ઉચ્ચ સ્તરીય તપાસનો આદેશ આપ્યો હતો. આ વર્ષે એપ્રિલમાં કોર્ટે સીબીઆઈને તપાસ હાથમાં લેવા અને મામલાની વધુ તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં