Friday, May 17, 2024
More
    હોમપેજદેશમિશન ગગનયાનનાં મંડાણ, સફળતાપૂર્વક લૉન્ચ થઈ પહેલી ટેસ્ટ ફ્લાઇટ: પ્રથમ પ્રયાસે પ્રક્ષેપણ...

    મિશન ગગનયાનનાં મંડાણ, સફળતાપૂર્વક લૉન્ચ થઈ પહેલી ટેસ્ટ ફ્લાઇટ: પ્રથમ પ્રયાસે પ્રક્ષેપણ ન થઈ શક્યા બાદ ગણતરીની મિનીટોમાં ખામી પકડી પાડીને ઈસરો વૈજ્ઞાનિકોએ પાર પાડ્યું મિશન 

    9:30 વાગ્યે ઈસરો તરફથી જણાવવામાં આવ્યું કે મિશનમાં ખામી ક્યાં સર્જાઇ તે જાણી લેવામાં આવ્યું છે અને ભૂલ પણ સુધારી લેવાઈ છે. ત્યારબાદ ઈસરોએ લૉન્ચિંગ 10:00 કલાકે કરવાનો નિર્ણય લીધો. જ્યારે 10:00 વાગ્યે લૉન્ચિંગ કર્યું તો સફળતાપૂર્વક પાર પડ્યું હતું. 

    - Advertisement -

    આખરે ઈસરોએ મિશન ગગનયાન માટેની પહેલી ફ્લાઇટ ટેસ્ટ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. શનિવારે (21 ઓક્ટોબર) પ્રથમ ઉડાન પરીક્ષણ શિડ્યુલ કરવામાં આવ્યું હતું, પરંતુ તકનીકી ખામી સર્જાતાં પ્રક્ષેપણ સ્થગિત કરી દેવું પડ્યું. પરંતુ પછીથી ગણતરીની મિનિટોમાં જ ભૂલ પકડી પાડવામાં આવી અને ફરીથી પ્રક્ષેપણ કરવાની તૈયારી શરૂ કરવામાં આવી. બીજા પ્રયાસે સફળતાપૂર્વક ફ્લાઇટ ટેસ્ટ કરી દેવામાં આવી અને જેની સાથે ઈસરોએ મિશન ગગનયાનનો એક મહત્વપૂર્ણ તબક્કો પાર કરી લીધો. 

    ‘ટેસ્ટ ફ્લાઇટ અબોર્ટ મિશન’ શનિવારે આયોજિત કરવામાં આવ્યું હતું અને પ્રક્ષેપણનો સમય 8:00 વાગ્યાનો નક્કી કરવામાં આવ્યો હતો. જોકે, અંતિમ ક્ષણે તેમાં ફેરફાર કરવામાં આવ્યો અને પ્રક્ષેપણ 8:30 વાગ્યે શિડ્યુલ કરવામાં આવ્યું. પરંતુ જ્યારે 8:30 વાગ્યે પ્રક્ષેપણનો પ્રયાસ કરવામાં આવ્યો તો ઈગ્નિશનમાં ખામી સર્જાઇ અને ફ્લાઇટ ટેસ્ટ થઈ શકી ન હતી, જેથી મિશન સ્થગિત કરવું પડ્યું. 

    9:30 વાગ્યે ઈસરો તરફથી જણાવવામાં આવ્યું કે મિશનમાં ખામી ક્યાં સર્જાઇ તે જાણી લેવામાં આવ્યું છે અને ભૂલ પણ સુધારી લેવાઈ છે. ત્યારબાદ ઈસરોએ લૉન્ચિંગ 10:00 કલાકે કરવાનો નિર્ણય લીધો. જ્યારે 10:00 વાગ્યે લૉન્ચિંગ કર્યું તો સફળતાપૂર્વક પાર પડ્યું હતું. 

    - Advertisement -

    મિશન સફળ થયા બાદ ઇસરોએ જાણકારી આપી કે TV D1 ટેસ્ટ ફ્લાઇટ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી અને ક્રૂ એસ્કેપ સિસ્ટમે પણ બરાબર કામ કર્યું હતું. જેની સાથે મિશન ગગનયાનની સફળ શરૂઆત થઈ હોવાનું પણ ઇસરોએ જણાવ્યું. 

    શું છે મિશન ગગનયાન? આ ફ્લાઇટ ટેસ્ટ શું? 

    મિશન ગગનયાન એ ભારતનું પ્રથમ માનવમિશન હશે, જેના થકી ઈસરો સ્પેસમાં અંતરિક્ષયાત્રીઓને મોકલશે. આ મિશન હેઠળ 3 અંતરિક્ષયાત્રીઓ પૃથ્વીની 400 કિલોમીટરની કક્ષામાં જઈને અભ્યાસ અને પરીક્ષણ કરીને પરત પૃથ્વી પર ફરશે. મિશનના ફાઇનલ લૉન્ચિંગ પહેલાં અનેક પરીક્ષણો કરવાં જરૂરી છે અને તેના જ ભાગરૂપે આ પરીક્ષણ કરવામાં આવનાર હતું. આ પ્રકારનાં હજુ 3 પરીક્ષણ કરવામાં આવશે. 

    આ ફ્લાઇટ ટેસ્ટ મિશનને નામ આપવામાં આવ્યું હતું- ટેસ્ટ વેહિકલ ડેવલપમેન્ટ ફ્લાઇટ મિશન- (TV D1 Flight test.) આ ફ્લાઇટ ટેસ્ટ વેહિકલ એબોર્ટ મિશન થકી ગગનયાન મિશનની ક્રૂ એસ્કેપ સિસ્ટમનું પરીક્ષણ કરવાનો ઉદ્દેશ્ય હતો. જેથી અંતરિક્ષયાત્રીઓની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.

    આ મિશન માટે ઈસરોએ સિંગલ સ્ટેજ લિક્વિડ રૉકેટ વિકસાવ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત, પેલોડ્સમાં ક્રૂ એસ્કેપ સિસ્ટમ, ક્રૂ મોડ્યુલ અને ફાસ્ટ એક્ટિંગ સોલિડ મોટર અને CM ફેરિંગ અને ઇન્ટરફેસ એડપ્ટરનો સમાવેશ થાય છે. મિશન ગગનયાનમાં જે યાનમાં બેસીને અવકાશયાત્રીઓ સ્પેસમાં જશે તેને ‘ક્રૂ મોડ્યુલ’ કહેવામાં આવે છે. જ્યારે ક્રૂ એસ્કેપ સિસ્ટમનો ઉદ્દેશ્ય કોઈ ખામી સર્જાય ત્યારે ઝડપથી ક્રૂ મોડ્યુલને રૉકેટથી અલગ કરવાનો છે.

    ફ્લાઇટ ટેસ્ટ દરમિયાન એક રૉકેટ મારફતે ક્રૂ મોડ્યુલને પ્રક્ષેપિત કરવામાં આવ્યું હતું. પૃથ્વીથી લગભગ 17 કિલોમીટર દૂર ગયા બાદ ક્રૂ એસ્કેપ સિસ્ટમ (CES) અને ક્રૂ મોડ્યુલ (CM) છૂટાં પડી ગયાં અને ધીમેધીમે CMએ પૃથ્વી તરફ અવરોહણ શરૂ કરીને સપાટી તરફ આગળ વધ્યું. આગલા તબક્કામાં CES પણ છૂટું પડ્યું અને CM પેરાશૂટની મદદથી દરિયામાં લેન્ડ થઈ ગયું, જ્યાં ભારતીય નેવી દ્વારા તેને રિકવર કરી લેવામાં આવ્યું. હાલ આ ક્રૂ મોડ્યુલ ખાલી જ ગયું હતું, પરંતુ જ્યારે મિશન લૉન્ચ થશે ત્યારે તેમાં 3 અંતરિક્ષયાત્રીઓને મોકલવામાં આવશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં