Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસલમાન રશ્દી પર હુમલા બાદ ભારતીય મુસ્લિમ સંગઠનો મૌન કેમ? IMSDએ ઉઠાવ્યા...

    સલમાન રશ્દી પર હુમલા બાદ ભારતીય મુસ્લિમ સંગઠનો મૌન કેમ? IMSDએ ઉઠાવ્યા સવાલ, કહ્યું- ‘મૌન જ હિંસા અને આતંકને સમર્થન’

    પુસ્તક લખ્યા બાદ કટ્ટરપંથીઓના નિશાને આવેલા લેખક 'સલમાન રશ્દી' પર થયેલા હુમલા પર મુસ્લિમ સંગઠનોના મૌન અંગે પ્રશ્નો ઉઠ્યા છે.

    - Advertisement -

    સલમાન રશ્દી પર હુમલા બાદ ઇન્ડિયન મુસ્લિમ ફોર સેક્યુલર ડેમોક્રેસી (IMSD)એ મુસ્લિમ સંગઠનોના મૌન પર સવાલ ઉઠાવ્યા છે અને તેમને ઈશનિંદા પર તેમની સ્થિતિ પર ફરી વિચાર કરવા કહ્યું છે. IMSDએ કહ્યું કે આ એક પ્રકારનું રાજકારણ છે જે મુસ્લિમોને વધુ નુકસાન પહોંચાડી રહ્યું છે.

    અહેવાલો અનુસાર IMSDના આ નિવેદનને સામાજિક કાર્યકર્તા મેધા પાટકર, કાર્યકર્તા યોગેન્દ્ર યાદવ અને મેગ્સેસે એવોર્ડ વિજેતા સંદીપ પાંડે સહિત 60 પ્રતિષ્ઠિત લોકોએ સમર્થન આપ્યું હતું. IMSDની અધિકૃત વેબસાઇટ અનુસાર, તે સંયુક્ત રાષ્ટ્રમાં માનવાધિકારની વૈશ્વિક ઘોષણા અને ભારતના બંધારણમાં સમાવિષ્ટ લોકશાહી, બિનસાંપ્રદાયિકતા, સમાનતા અને ન્યાયના મૂલ્યો માટે પ્રતિબદ્ધ ભારતીય મુસ્લિમોનું એક મંચ છે.

    અહેવાલો મુજબ IMSDએ નિવેદનમાં કહ્યું છે કે રશ્દી પર હુમલો ભયનું શાસન બનાવવા માટે કરવામાં આવ્યો હતો. ભારતના કોઈપણ મોટા મુસ્લિમ સંગઠને લેખક પરના આ બર્બર હુમલાની નિંદા કરી નથી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ મૌન જ ધર્મને હિંસા અને આતંકના સંપ્રદાય તરીકે દર્શાવવા માટે ઇસ્લામોફોબિયાને પ્રેરિત કરે છે.

    - Advertisement -

    એક અઠવાડિયા પહેલાં રશ્દી પર ન્યૂયોર્કમાં ચોવીસ વર્ષીય હાદી માતર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરે રશ્દી જ્યારે એક કાર્યક્રમને સંબોધવા જઈ રહ્યા હતા ત્યારે તેમની ગરદન અને પેટમાં આડેધડ છરીના ઘા ઝીંક્યા હતા. ભૂતકાળમાં રશ્દી તેમના પુસ્તક “ધ સેટેનિક વર્સીસને” લઈને વિવાદમાં રહ્યા છે. આ પુસ્તક લખ્યા બાદ તેઓ મુસ્લિમ કટ્ટરપંથીઓના નિશાના પર હતા.

    મુંબઈમાં જન્મેલા લેખકને હુમલા બાદ સ્થાનિક ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા. તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા અને સર્જરી કરવામાં આવી હતી જે ઘણા કલાકો સુધી ચાલી હતી.

    IMSDએ જણાવ્યું હતું કે મુક્ત વાણી, વાંચન અને લેખન અને અસંમતિ વિના, આપણે આપણા બંધારણમાં સમાવિષ્ટ સ્વતંત્રતાઓને જાળવી શકતા નથી. અમે માનીએ છીએ કે આ સ્વતંત્રતા માનીને જ આપણે આપણા પ્રજાસત્તાકના મૂલ્યોને જાળવી શકીશું.

    અહેવાલો મુજબ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “અમે ગંભીર સંકટના આ સમયમાં સલમાન રશ્દીની સાથે મક્કમતાથી ઊભા છીએ અને તેમના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ.” અમે ફરી એકવાર તમામ મુસ્લિમ સંગઠનોને ઇશનિંદા પર તેમની સ્થિતિ પર પુનર્વિચાર કરવા અપીલ કરીએ છીએ, જે રાજકારણ મુસ્લિમોને વધુ નુકસાન પહોંચાડી રહ્યું છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં