Sunday, September 29, 2024
More
    હોમપેજદેશલખનૌની NEET વિદ્યાર્થિની આયુષી પટેલની અરજી અલ્હાબાદ હાઇકોર્ટે ફગાવી, નકલી દસ્તાવેજો બનાવીને...

    લખનૌની NEET વિદ્યાર્થિની આયુષી પટેલની અરજી અલ્હાબાદ હાઇકોર્ટે ફગાવી, નકલી દસ્તાવેજો બનાવીને NTA પર લગાવ્યા હતા જુઠા આરોપ: પ્રિયંકા ગાંધીએ તેનો જ વિડીયો કર્યો હતો શેર

    લખનૌની NEET વિદ્યાર્થિની આયુષી પટેલની અરજી અલ્હાબાદ હાઇકોર્ટે ફગાવી દીધી છે. તેણે નકલી દસ્તાવેજો બનાવીને NTA પર આરોપ લગાવ્યા હતા. વિદ્યાર્થિની દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, NTAએ તેને ફાટેલી OMR શીટ મોકલી હતી અને તેનું રિઝલ્ટ પણ જાહેર નહોતું કર્યું.

    - Advertisement -

    લખનૌની NEET વિદ્યાર્થિની આયુષી પટેલે NTA વિરુદ્ધ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. સુનાવણી દરમિયાન તેની અરજી અલ્હાબાદ હાઇકોર્ટે ફગાવી દીધી છે. NTA દ્વારા દાખલ કરવામાં આવેલા દસ્તાવેજોનું નિરીક્ષણ કર્યા બાદ હાઇકોર્ટને જાણ થઈ કે, આયુષી પટેલે બનાવટી રીતે નકલી દસ્તાવેજના આધારે અરજી દાખલ કરી હતી. તેણે નકલી દસ્તાવેજો બનાવીને NTA પર ખોટા આરોપ લગાવ્યા હતા. આ જ આયુષી પટેલે 2 વર્ષ પહેલાં કોરોનાકાળ દરમિયાન એવો પણ દાવો કર્યો હતો કે, તેણે કોરોનાની વેક્સિન શોધી કાઢી છે. જોકે, ત્યારે પણ તે જુઠ્ઠી સાબિત થઈ હતી. હવે તેનો NTA પર આરોપ લગાવતો વિડીયો શેર કરીને પ્રિયંકા ગાંધી પણ મુશ્કેલીમાં મુકાયા છે. તેમણે પણ આયુષી પટેલના જૂઠને ફેલાવ્યું હતું. ભાજપે હવે પ્રિયંકા ગાંધીને સાર્વજનિક રીતે માફી માંગવા માટે કહ્યું છે.

    લખનૌની NEET વિદ્યાર્થિની આયુષી પટેલની અરજી અલ્હાબાદ હાઇકોર્ટે ફગાવી દીધી છે. તેણે નકલી દસ્તાવેજો બનાવીને NTA પર આરોપ લગાવ્યા હતા. વિદ્યાર્થિની દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, NTAએ તેને ફાટેલી OMR શીટ મોકલી હતી અને તેનું રિઝલ્ટ પણ જાહેર નહોતું કર્યું. સુનાવણી દરમિયાન કોર્ટે NTAને તમામ ડોક્યુમેન્ટ્સ જમા કરાવવા માટે કહ્યું હતું. જ્યારે એજન્સી તરફથી કોર્ટમાં ઓરિજિનલ દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા તો કોર્ટે આયુષીની પિટિશન ફગાવી દીધી. કારણ કે તેના તમામ દસ્તાવેજો નકલી સાબિત થયા હતા. વાસ્તવમાં તેને 720 માર્કસમાંથી માત્ર 355 આવ્યા હતા.

    પ્રિયંકા ગાંધીએ પણ તેનો વિડીયો કર્યો હતો શેર

    લખનૌની રહેવાસી આયુષી પટેલનું કહેવું હતું કે, પહેલાં NTAએ તેનું રિઝલ્ટ અટકાવી દીધું હતું. ત્યાર પછી જ્યારે તેણે મેઇલ કર્યો તો કારણ તરીકે NTAએ ફાટેલી OMR શીટ તેને મેઇલ કરી દીધી. આયુષીએ આ મામલે એક વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ પોસ્ટ કરી દીધો હતો. તેણે વિડીયોમાં દાવો કર્યો કે, તેને 700થી વધુ માર્કસ મળે તેમ હતા. પરંતુ તેનું રિઝલ્ટ જ જાહેર ન કરાયું અને એજન્સીએ કહ્યું કે, તેની OMR શીટ ફાટેલી હતી તેથી આવું કરવામાં આવ્યું. વિડીયોમાં આયુષીએ એવો પણ દાવો કર્યો કે, આ OMR શીટ જાણીજોઇને ફાડવામાં આવી હોય શકે છે. અંતે તેણે સોશિયલ મીડિયા યુઝર્સને તેનો સાથ આપવાની અપીલ કરી હતી.

    - Advertisement -

    ત્યારબાદ સોશિયલ મીડિયામાં આખો વિવાદ ઊભો થયો. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ પણ સત્યની તપાસ કર્યા વગર તેના વિડીયોને શેર કરી દીધો અને સરકાર અને એજન્સીની ખોદણી કરવાનું શરૂ કરી દીધું. જોકે, NTA ત્યારે પણ સ્પષ્ટતા કરી દીધી હતી કે, તેમના તરફથી તે વિદ્યાર્થિનીને કોઈપણ પ્રકારનો મેઇલ કરવામાં નથી આવ્યો. ત્યારબાદ પણ આયુષી પટેલે કાયદાકીય લડાઈ લડવા માટે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી દીધી હતી.

    હાઇકોર્ટમાં જસ્ટિસ રાજેશ સિંઘ ચૌહાણની બેન્ચે આ મામલે સુનાવણી હાથ ધરી હતી. મંગળવારે (18 જૂન) સુનાવણી દરમિયાન, જ્યારે NTAના એડવોકેટે અગાઉના આદેશો પર અરજદારના ડોક્યુમેન્ટ્સ રજૂ કર્યા, ત્યારે જાણવા મળ્યું કે અરજી સાથે દાખલ કરાયેલા દસ્તાવેજો નકલી છે. અરજીનો રજીસ્ટ્રેશન નંબર જે અરજદાર પોતાનો હોવાનો દાવો કરી રહી હતી તે પણ ખોટો હતો. ત્યારબાદ કોર્ટે કહ્યું કે, નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરીને અરજી દાખલ કરવામાં આવી હતી, તેથી અધિકારીઓને આ મામલે કાયદાકીય પગલાં લેવાથી રોકી શકાય નહીં. આ ટિપ્પણી સાથે કોર્ટે અરજી ફગાવી દીધી હતી. કોર્ટે એવું પણ કહ્યું હતું કે, આ મામલે NTAને ખૂલી કાર્યવાહી માટેની પણ છૂટ આપવામાં આવે છે.

    હવે જ્યારે સત્ય દેશની સામે આવી ગયું ત્યારે ભાજપે પણ પ્રિયંકા ગાંધી વાડ્રાને આડેહાથ લીધા છે. ભાજપના પ્રવક્તા શહેઝાદ પુનાવાલાએ X પર વિડીયો પોસ્ટ કરીને પ્રિયંકા ગાંધીને જૂઠ ફેલાવવા પર માફી માંગવા કહ્યું છે. તેમણે કહ્યું છે કે, “સોશિયલ મીડિયા પર કોઈ એક શબ્દ પણ લખી દે તો કોંગ્રેસના લોકો તેમના વિરુદ્ધ FIR કરાવી દેતા હોય છે. અહીં તો પ્રિયંકા ગાંધીએ જ આવડું મોટું જુઠ્ઠાણું ફેલાવ્યું છે. તેમના વિરુદ્ધ શું કાર્યવાહી થશે?”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં