Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગરવી ગુજરાતને ગૌરવ અપાવશે ગરબા: ગરબાને યુનેસ્કો કલ્ચરલ હેરિટેજના દરજ્જાની તૈયારી; યુનેસ્કોના...

    ગરવી ગુજરાતને ગૌરવ અપાવશે ગરબા: ગરબાને યુનેસ્કો કલ્ચરલ હેરિટેજના દરજ્જાની તૈયારી; યુનેસ્કોના 2023ના કન્વેન્શનમાં ભારત સરકાર દાવો રજૂ કરશે

    ગુજરાતના ગરબાને યુનેસ્કો એક વિશેષ દરરજો આપવા જઈ રહ્યું છે અને આથી ગુજરાતનો ગરબો હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સન્માન પ્રાપ્ત કરશે.

    - Advertisement -

    ગરવી ગુજરાતને ગૌરવ અપાવશે ગરબા , યુનેસ્કો કલ્ચરલ હેરિટેજના દરજ્જો મળવાની તૈયારી કરવામાં આવી રહી છે. ગુજરાતની ઓળખ સમાન ગરબાને યુનેસ્કો દ્વારા વિશ્વના બહુમૂલ્ય સાંસ્કૃતિક વારસામાં સામેલ કરાય એવી શક્યતા છે. ભારત સરકારે કન્વેન્શન ફોર ધ સેફગાર્ડિંગ ઑફ ધ ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ યાદીમાં ગરબાનો સમાવેશ કરવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે. ટૂંક સમયમાંજ ગરવી ગુજરાતને ગૌરવ અપાવશે ગરબા!

    યુનેસ્કો દ્વારા આ હેરિટેજ યાદી તૈયાર કરવામાં આવે છે, જેમાં વિશ્વની ઐતિહાસિક સાંસ્કૃતિક પરંપરાઓ, કળાને સ્થાન આપવામાં આવે છે. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આયોજિત વડનગર કૉન્ફરન્સમાં યુનેસ્કોના ભારત, ભુતાન, માલદિવ્સ અને શ્રીલંકા ખાતેના ડાયરેક્ટર એરિક ફોલ્ટે ગુજરાતના ગરબાને હેરિટેજમાં સામેલ થાય એ માટે શુભેચ્છા પાઠવી હતી.

    વડાપ્રધાન મોદીના વતન વડનગરને વૈશ્વિક ઓળખ આપવા કૉન્ફરન્સ યોજાઈ છે. કૉન્ફરન્સમાં ફૉલ્ટે જણાવ્યું હતું કે યુનેસ્કો વર્ષ 2023માં અમૂર્ત સાંસ્કૃતિક વારસાના રક્ષણ માટે યુનેસ્કો કન્વેન્શનની 20મી જયંતી ઊજવશે, જેમાં ભારત સરકાર ગુજરાતી ગરબાની લોકપરંપરાનું નામાંકન કરશે. ગુજરાત એ ભારતમાં સૌથી વધુ વિશ્વ ધરોહરરૂપી શિલાલેખો ધરાવતું રાજ્ય છે, જ્યાં ચાંપાનેર, રાણીની વાવ, અમદાવાદ અને ધોળાવીરા જેવા ઐતિહાસિક- સાંસ્કૃતિક વારસો ધરાવતાં સ્થળો આવેલાં છે એ ગુજરાત માટે ગૌરવ સમાન છે.

    - Advertisement -

    આ ઉપરાંત વડનગરમાં યોજાતા તાનારીરી મહોત્સવને હવે કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહોત્સવ તરીકે ઊજવવાની જાહેરાત કેન્દ્રીય સાંસ્કૃતિક રાજ્યમંત્રી મીનાક્ષી લેખીએ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે વડનગરના ભવ્ય ઇતિહાસ અને સાંસ્કૃતિક વિરાસતને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરવા વડનગરને લેન્ડમાર્ક હેરિટેજ ટૂરિઝમ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવામાં આવશે.

    નોધનીય છે કે, ડિસેમ્બર, 2021ના ​​રોજ, યુનેસ્કોએ કોલકાતાની દુર્ગા પૂજા ઉત્સવને ICH દરજ્જો આપ્યો હતો, તે માન્યતા પ્રાપ્ત કરનાર એશિયાનો પ્રથમ તહેવાર છે. જો ગરબાને આ યાદીમાં સ્થાન મળે તો ગરબા બીજો તહેવાર બની શકે છે.

    આ અંગે સૂત્રોએ માહિતી આપતા જણાવ્યું કે, ભારત સરકારનું સાંસ્કૃતિક મંત્રાલય એક ડોઝિયર તૈયાર કરી રહ્યું છે. જે આ મહિનાના અંત સુધીમાં યુનેસ્કોને સુપરત કરવામાં આવશે. મંત્રાલયે, સંગીત નાટક અકાદમીની અમલીકરણ એજન્સી દ્વારા, એમએસ યુનિવર્સિટીની પ્રોજેક્ટ ટીમને કાર્ય સોંપ્યું છે.

    મંત્રાલયના અધિકારીઓ ગયા અઠવાડિયે ગુજરાતનાં વડોદરામાં હતા. જ્યાં ટીમ સાથે પ્રક્રિયા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી

    ભારતમાંથી 14 અમૂર્ત સાંસ્કૃતિક વારસો યુનેસ્કો દ્વારા સૂચિબદ્ધ

    કુટિયાટ્ટમ, સંસ્કૃત થિયેટર, કેરળ, વૈદિક જાપની પરંપરા, રામલીલા, રામાયણનું પરંપરાગત પ્રદર્શન, રામમન, ધાર્મિક તહેવાર અને ગઢવાલ હિમાલયનું ધાર્મિક નાટક, છાઉ નૃત્ય, કાલબેલિયા લોકગીતો અને નૃત્યો -રાજસ્થાન, મડીયેટ્ટુ, ધાર્મિક નૃત્ય નાટક-કેરળ, દુર્ગા પૂજા-કોલકાતા, લદ્દાખની બૌદ્ધ મંત્રોચ્ચાર, મણિપુરનું સંકીર્તન ધાર્મિક ગાયન, ઢોલ વગાડવું અને નૃત્ય, થાથેરાઓમાં વાસણો બનાવવાની પરંપરાગત પિત્તળ અને તાંબાની હસ્તકલા, – પંજાબ, નવરોઝ, યોગ, કુંભ મેળો

    હવે જો ગરબાને આ સૂચિમાં સ્થાન મળે તો રાજ્ય અને દેશ માટે ગૌરવવંતી બાબત હશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં