Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગૌતમ ગંભીરના રેવડી કલ્ચર પર આકરા પ્રહાર, કહ્યું: 'મફતમાં માત્ર ગુલામી મળે...

    ગૌતમ ગંભીરના રેવડી કલ્ચર પર આકરા પ્રહાર, કહ્યું: ‘મફતમાં માત્ર ગુલામી મળે છે’

    નોંધનીય છે કે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિવિધ પક્ષો વચ્ચે 'રેવડી' (ફ્રીબીઝ)નું વિતરણ કરવા જેવી લોકપ્રિય જાહેરાતોની પ્રથાની ટીકા કરી હતી.તેમણે કહ્યું હતું કે આ માત્ર કરદાતાઓના નાણાનો બગાડ નથી, પરંતુ એક આર્થિક આપત્તિ પણ છે જે ભારતની આત્મનિર્ભર બનવાની ઝુંબેશને અવરોધી શકે છે.

    - Advertisement -

    ગૌતમ ગંભીરના રેવડી કલ્ચર પર આકરા પ્રહાર જોવા મળ્યા હતા, દેશમાં ‘રેવડી કલ્ચર’ પર છેડાયેલા વાકયુદ્ધ વચ્ચે, ભારતીય જનતા પાર્ટી (BJP) પૂર્વ દિલ્હી લોકસભા બેઠકના સાંસદ ગૌતમ ગંભીરે સોમવારે ‘મફતની રેવડી’ પર પ્રહાર કરતા કહ્યું કે માત્ર ગુલામી મફતમાં મળે છે.વાસ્તવમાં ભાજપ અને AAP વચ્ચે જનતાને ફ્રીબી આપવાને લઈને શબ્દોની લડાઈ ચાલી રહી છે.જ્યારે ભાજપ ભારપૂર્વક કહે છે કે આવી રાજનીતિ જનહિતમાં નથી, AAP દાવો કરે છે કે આ રાજકારણ ગરીબોના હિતમાં છે.

    મળતી માહિતી મુજબ, દિલ્હીના ઉપરાજ્યપાલ વી.કે.સક્સેનાએ સોમવારે 50 મહિલા ટેક્સી ડ્રાઇવરો માટે ટ્રેનિંગ પ્રોગ્રામ શરૂ કર્યો છે. તેનો હેતુ રાષ્ટ્રીય રાજધાનીમાં મહિલા ડ્રાઇવરોનું પ્રમાણ વધારવાનો છે.ઉપરાજ્યપાલે મહિલા ડ્રાઇવરો વાળી 40 ઇલેક્ટ્રિક કેબને લીલી ઝંડી બતાવી હતી.

    સરાય કાલે ખાન સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડ્રાઇવિંગ એન્ડ ટ્રાફિક રિસર્ચ (IDTR) ખાતે આયોજિત સમારોહમાં પૂર્વ દિલ્હી બેઠકના ભાજપના સાંસદ ગૌતમ ગંભીર, મુખ્ય સચિવ નરેશ કુમાર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.

    - Advertisement -

    કાર્યક્રમ બાદ ગૌતમ ગંભીરે ટ્વીટ કર્યું અને કહ્યું, “વાસ્તવિક સ્વતંત્રતા રોજગાર છે…..મફતમાં માત્ર ગુલામી મળે છે! પછી તમારી મરજી.. જય હિન્દ”

    મહિલા કેબ ડ્રાઇવરો માટે તાલીમ કાર્યક્રમ

    હિન્દુસ્તાનના અહેવાલ અનુસાર, તાલીમ કાર્યક્રમનો ઉદ્દેશ્ય દિલ્હીના સાર્વજનિક પરિવહન ક્ષેત્રમાં મહિલા ડ્રાઈવરોનું પ્રમાણ વધારવા અને મહિલા મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. નિવેદન અનુસાર, ઉપરાજ્યપાલ સક્સેનાએ 2047 માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પાંચ પ્રણને પણ પુનરોચ્ચાર કર્યો… વિકસિત ભારત બનાવવા, પરિવારવાદ દૂર કરવા, આપણા સમૃદ્ધ વારસા પર ગર્વ લેવા, દેશને બહેતર બનાવવા અને એક નાગરિક તરીકે એક થવું તે ફરજ. સક્સેનાએ કહ્યું કે મહિલા ડ્રાઇવરોનો કૌશલ્ય વિકાસ મહિલા સશક્તિકરણ તરફ વડા પ્રધાનના પગલાને અનુરૂપ છે.તેમણે કહ્યું કે મહિલાઓની સ્વતંત્રતા અને ‘આર્થિક સ્વતંત્રતા’ વિના સ્વતંત્રતા અધૂરી છે.

    મફતનો ચારો નાખીને જનતાને ફસાવે છે કેજરીવાલ: ભાજપ

    એક અહેવાલ મુજબ શુક્રવારે ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પણ ‘મફતની સોગાદો’ વિતરણના મુદ્દે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર શાબ્દિક હુમલો તેજ કર્યો હતો અને તેને રાજકીય લાભ માટે જનતાને ફસાવવાની પહેલ ગણાવી હતી. આ બધું કેન્દ્રની કલ્યાણકારી યોજનાઓથી ઘણું અલગ છે કારણ કે ભાજપ સમાજના નબળા વર્ગોના સશક્તિકરણનો હેતુ ધરાવે છે.

    સંબિત પાત્રાએ કહ્યું હતું કે ફ્રીબીઝ પાછળ આમ આદમી પાર્ટીના કન્વીનરનો એકમાત્ર હેતુ દેશમાં પોતાનું અને પોતાની પાર્ટીનું વર્ચસ્વ સ્થાપિત કરવાનો છે.તેમણે કહ્યું કે કેજરીવાલ એટલા માટે જ દેશની જનતાને મફત ભેટ અંગે ખોટું બોલી રહ્યા છે. કેજરીવાલની મફત યોજનાઓ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ વચ્ચેનો તફાવત સમજાવતા તેમણે કહ્યું કે બંનેનો હેતુ સંપૂર્ણપણે અલગ છે.

    તેમણે દાવો કર્યો હતો કે મફત માત્ર ગરીબો માટે જ નહીં પરંતુ બધા માટે હોય છે. તેનો હેતુ રાજકીય લાભ લેવાનો છે અને તેનાથી લાંબા ગાળે દેશને ફાયદો થતો નથી. તેના ટૂંકા ગાળાના ફાયદા ચોક્કસ વ્યક્તિ કે પક્ષને થાય છે. આમ આદમી પાર્ટી અને કેજરીવાલ દ્વારા મફત ભેટો ઝાળ નાંખી ફસાવીને શિકાર જેવી છે, જેથી તેની મહત્વાકાંક્ષાઓ પૂર્ણ થઈ શકે.

    પાત્રાએ કહ્યું હતું કે કલ્યાણ યોજનાઓ લક્ષ્ય તેવા જૂથ માટે છે, જેઓ આર્થિક રીતે પછાત છે… તેમને સશક્ત બનાવવા અથવા તેમને આત્મનિર્ભર બનાવવા, તેમના પોતાના પગ પર ઊભા રહેવા માટે.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેવડી કલ્ચરની ટીકા કરી

    નોંધનીય છે કે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિવિધ પક્ષો વચ્ચે ‘રેવડી’ (ફ્રીબીઝ)નું વિતરણ કરવા જેવી લોકપ્રિય જાહેરાતોની પ્રથાની ટીકા કરી હતી.તેમણે કહ્યું હતું કે આ માત્ર કરદાતાઓના નાણાનો બગાડ નથી, પરંતુ એક આર્થિક આપત્તિ પણ છે જે ભારતની આત્મનિર્ભર બનવાની ઝુંબેશને અવરોધી શકે છે.

    વડા પ્રધાનની આ ટિપ્પણી આમ આદમી પાર્ટી (AAP) જેવી પાર્ટીઓમાં મફત વસ્તુઓની જાહેરાતના સંદર્ભમાં જોવામાં આવી હતી.તાજેતરના દિવસોમાં, પંજાબ જેવા રાજ્યોએ વિધાનસભા ચૂંટણીમાં મફત વીજળી અને પાણી અને અન્ય વસ્તુઓનું વચન આપ્યું હતું.આ પછી, વડા પ્રધાનના આરોપોનો જવાબ આપતા, કેજરીવાલે જનમત લેવાની માંગ કરી હતી કે શું કરદાતાઓના પૈસા આરોગ્ય અને શિક્ષણ જેવી ગુણવત્તાયુક્ત સેવાઓ પર ખર્ચવા જોઈએ કે આ નાણાં એક પરિવાર અથવા કોઈના મિત્રો પર ખર્ચવા જોઈએ.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં