Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટલુલુ મોલ નમાઝ વિવાદ વકર્યો, નમાઝ બાદ FIR,અને હવે હિંદુ સંગઠનોનો પણ...

    લુલુ મોલ નમાઝ વિવાદ વકર્યો, નમાઝ બાદ FIR,અને હવે હિંદુ સંગઠનોનો પણ આક્રોશનો સામનો કરવો પડશે

    લખનૌના લુલુ મોલમાં નમાઝ અદા થઇ રહી છે તેવો વિડીયો વાયરલ થયા બાદ હવે હિંદુ સંગઠનોએ પણ અહીં હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠ કરવાની મંજૂરી માંગી છે.

    - Advertisement -

    લુલુ મોલ નમાઝ વિવાદ વકર્યો છે, અહેવાલઓ મુજબ નવા ઉદ્ઘાટન થયેલા લખનૌ લુલુ મોલના વહીવટદારોએ ગુરુવારે જણાવ્યું હતું કે મોલ પરિસરની અંદર નમાઝ અદા કરતા લોકોના જૂથનો વિડિયો વાયરલ થયા બાદ મોલ તમામ ધર્મોનું સન્માન કરે છે. અને પરિસરમાં કોઈપણ પ્રકારના ધાર્મિક કાર્ય અથવા પ્રાર્થનાની મંજૂરી નથી આપતું.

    જ્યારે બીજી તરફ એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે નમાઝ અદા કરનારાઓ મોલના સ્ટાફના માણસો હતા, મોલના જનરલ મેનેજર સમીર વર્માએ જણાવ્યું હતું કે મોલના ફ્લોર સ્ટાફ અને સુરક્ષા સ્ટાફને આવી પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે તાલીમ આપવામાં આવે છે.

    વીડિયો વાયરલ થયા બાદ અખિલ ભારતીય હિંદુ મહાસભાના કેટલાક સભ્યોએ મોલની બહાર વિરોધ પ્રદર્શન કર્યા બાદ આ ઘટનાએ વિવાદ સર્જ્યો હતો. હિંદુ જૂથે શુક્રવારે મોલની સામે સુંદરકાંડના પાઠ કરવા માટે સ્થાનિક સત્તાવાળાઓ પાસેથી પરવાનગી પણ માંગી હતી.

    - Advertisement -

    લુલુ મોલ સામે ફરિયાદ દાખલ

    મહાસભાના રાષ્ટ્રીય પ્રવક્તા શિશિર ચતુર્વેદીએ પીટીઆઈને જણાવ્યું હતું કે, “ચોક્કસ સમુદાયના લોકોને મોલની અંદર નમાઝ અદા કરવાની મંજૂરી આપવામાં આવી રહી છે. મોલના સત્તાવાળાઓએ હિંદુઓ અને અન્ય સમુદાયોના લોકોને પણ પોતાની પૂજા અને ધાર્મિક વિધિઓ કરવાની મંજૂરી આપવી જોઈએ.” તેમણે આરોપ લગાવ્યો કે ગુરુવારે તેમને મોલમાં નહોતા પ્રવેશવા દેવાયા. અહેવાલોના જણાવ્યાં અનુસાર હિન્દુ સંગઠનોએ મોલ સામે ફરિયાદ નોંધાવી હતી, અને દાવો કર્યો હતો કે મોલના 70% સ્ટાફ મુસ્લિમ છે અને આવું કરીને તેઓ ‘લવ જેહાદ’ કરી રહ્યા છે.

    કોચી, તિરુવનંતપુરમ અને બેંગલુરુ પછી, અબુ ધાબી સ્થિત લુલુ ગ્રુપે લખનૌના સુશાંત ગોલ્ફ સિટીમાં પોતાનો મોલ ખોલ્યો હતો. 10 જુલાઈના રોજ આ મોલનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કર્યું હતું. લુલુ ગ્રુપના ચેરમેન, ભારતીય મૂળના અબજોપતિ યુસુફ અલી એમએ પણ હાજર હતા.

    મોલમાં નમાઝનો વિડીયો થયો હતો વાયરલ

    ઉત્તર પ્રદેશના લખનઉમાં ઉદ્ઘાટન કરાયેલ લુલુ મોલને લઈને સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો હતો. વાસ્તવમાં કેટલાક મુસ્લિમ યુવકોએ મોલની અંદર નમાજ અદા કરી હતી, જેનો વીડિયો વાયરલ થયા બાદ વિવાદ સર્જાયો છે. વાયરલ ક્લિપમાં 7 થી 8 લોકો જમીન પર બેસીને નમાઝ અદા કરતા જોવા મળે છે. લોકો ટ્વિટર પર સવાલ ઉઠાવી રહ્યા છે કે મોલ છે કે મસ્જીદ, કોઈ મોલમાં ધાર્મિક ગતિવિધિઓની મંજૂરી કેવી રીતે આપી શકે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં