Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅહો આશ્ચર્યમ્: ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ સિંહ ઇન્સાને દાવો...

    અહો આશ્ચર્યમ્: ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ સિંહ ઇન્સાને દાવો કર્યો કે જેલમાં રહીને તેમનું બ્લડ ગ્રુપ બદલાઈ ગયું!

    તેમના અનુયાયીઓએ 4 જુલાઈના રોજ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેમાં આરોપ લગાવ્યો હતો કે બાબા ગુરમીત રામ રહીમ સિંહ ઈન્સાનને જેલમાં એક ડમી દ્વારા બદલવામાં આવ્યા છે.

    - Advertisement -

    ડેરા સચ્ચા સૌદાના વડા બાબા ગુરમીત રામ રહીમ સિંહ ઇન્સાને દાવો કર્યો છે કે તેમનું બ્લડ ગ્રુપ ઓ નેગેટિવ (O-)થી ઓ પોઝિટીવ (O+)માં બદલાઈ ગયું છે. ઇન્સ્ટાગ્રામ લાઇવ સેશન દરમિયાન, હત્યાના ગુનેગારે કથિત રીતે તેના અનુયાયીઓને કહ્યું કે તેનું બ્લડ ગ્રુપ બદલાઈ ગયું છે પરંતુ તેના વિચિત્ર દાવાને સમર્થન આપવા માટે કોઈ પુરાવા, તબીબી રેકોર્ડ અથવા અન્ય કોઈ જાણકરી રજૂ કરી નથી.

    તેમના અનુયાયીઓ સાથેની વાતચીત દરમિયાન, ડેરા પ્રમુખે ડેરા સચ્ચા સૌદાના બીજા આધ્યાત્મિક નેતા શાહ સતનામ સિંહને યાદ કર્યા હતા. બાબાએ કહ્યું કે શાહ સતનામનું અવસાન થયું તે પહેલાં તેણે તેમને વિનંતી કરી હતી કે તેઓ તેમને છોડી ન જાય, જેના જવાબમાં શાહ સતનામ સિંહે કહ્યું કે તેઓ હંમેશા રહીમની અંદર જ રહેશે. આ પછી તેનું બ્લડ ગ્રુપ ઓ પોઝિટિવથી ઓ નેગેટિવ થઈ ગયું. બાબાએ તેમના અનુયાયીઓને એમ પણ કહ્યું કે તેમના ડ્રાઇવિંગ લાયસન્સ પર બ્લડ ગ્રુપ O+ve તરીકે નોંધાયેલું છે.

    નોંધનીય રીતે, વ્યક્તિનું રક્ત જૂથ તેમના જીવન દરમિયાન તબીબી રીતે ક્યારેય બદલાતું નથી, સિવાય કે જ્યારે કોઈ અસ્થિ મજ્જા ટ્રાન્સપ્લાન્ટ કરે છે અથવા કેન્સરનું દુર્લભ સ્વરૂપ વિકસાવે છે. આ બધા ફેરફારો પણ કામચલાઉ જ હોય છે.

    - Advertisement -

    આ ઉપરાંત, ડેરા સચ્ચા સૌદાના વડાએ તેના ઇન્સ્ટાગ્રામ લાઇવ સત્ર દરમિયાન કેટલાક અન્ય વિચિત્ર દાવા પણ કર્યા હતા. તેણે કથિત રીતે જણાવ્યું હતું કે જ્યારે તે માત્ર 8 વર્ષના હતા ત્યારે તેણે ટ્રેક્ટર ચલાવવાનું અને રિપેર કરવાનું શીખી લીધું હતું.

    ‘રામ રહીમને જેલમાં બદલી કાઢવામાં આવ્યા છે’ – અનુયાયીઓ

    રસપ્રદ વાત એ છે કે, જ્યારે રામ રહીમ થોડા અઠવાડિયા પહેલા મહિનાના પેરોલ પર જેલમાંથી બહાર આવ્યો હતો, ત્યારે તેના અનુયાયીઓનો આરોપ હતો કે પેરોલ પર જેલમાંથી બહાર નીકળેલો વ્યક્તિ સંપૂર્ણપણે અલગ વ્યક્તિ છે. તેમના અનુયાયીઓએ 4 જુલાઈના રોજ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેમાં આરોપ લગાવ્યો હતો કે બાબા ગુરમીત રામ રહીમ સિંહ ઈન્સાનને જેલમાં એક ડમી દ્વારા બદલવામાં આવ્યા છે.

    અરજદારોએ પેરોલ પર છૂટેલા રામ રહીમની અસંખ્ય વિશિષ્ટતાઓ પ્રદાન કરી હતી જે “મૂળ” બાબા કરતા અલગ હતી. તેઓએ આરોપ લગાવ્યો કે મૂળ રામ રહીમનું અપહરણ કરીને તેને ઉદયપુર લઈ જવામાં આવ્યો છે, અને ડેરા સચ્ચા સૌદાની વિશાળ સ્થાવર મિલકત પર કબજો કરવા માટે તેને આ ડમી દ્વારા બદલવામાં આવશે, કારણ કે રામ રહીમ આ સંપત્તિને નિયંત્રિત કરતા ટ્રસ્ટના એકમાત્ર માલિક છે.

    આજીવન કેદની સજા મળી હતી

    દરમિયાન, ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમની 30 દિવસની પેરોલ 17 જુલાઈએ પૂરી થઈ હતી. રામ રહીમને ગયા વર્ષે ઓક્ટોબરમાં હરિયાણાની વિશેષ સીબીઆઈ કોર્ટે હત્યાના કેસમાં દોષિત ઠેરવ્યો હતો. સીબીઆઈની વિશેષ અદાલતે રણજીત સિંહની હત્યાના કેસમાં રામ રહીમ અને અન્ય ચારને દોષિત જાહેર કર્યા હતા. હત્યાના આ કેસમાં તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. રામ રહીમ 2017માં એ જ સીબીઆઈ કોર્ટ દ્વારા બળાત્કારના કેસમાં દોષિત જાહેર થયા બાદ પહેલેથી જ લાંબી જેલની સજા ભોગવી રહ્યો હતો. તે 17મી જૂનથી પેરોલ પર બહાર છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં