Monday, May 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરાત્રે 10 પછી કોઈને પણ રૂમમાં નહીં લઇ જઈ શકે દિલ્હી કેપિટલ્સના...

    રાત્રે 10 પછી કોઈને પણ રૂમમાં નહીં લઇ જઈ શકે દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓ: મહિલા સાથે દુર્વ્યવહાર બાદ ફ્રેન્ચાઇઝીએ બદલ્યા નિયમો, કોડ ઑફ કંડક્ટ લાગુ કર્યો

    ટીમના કોઈ પણ ખેલાડીએ રાત્રે 10 વાગ્યા બાદ કોઈ પણ વ્યક્તિને પોતાના રૂમમાં બોલાવી શકશે નહીં, પછી ભલે તે વ્યક્તિ ખેલાડીનો પરિચિત પણ કેમ ન હોય.

    - Advertisement -

    IPLમાં દિલ્હી કેપિટલ્સ ટીમે પોતાના ખેલાડીઓ માટે ‘કોડ ઓફ કંડક્ટ’ લાગુ કર્યો છે. પોતાની પાર્ટીમાં એક મહિલા સાથે દુર્વ્યવહાર થવા બદલ ફ્રેન્ચાઇઝીએ આ પગલું ઉઠાવ્યું છે. આમ કરનાર ખેલાડી તેમની જ ટીમનો હતો.

    ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPLમાં દિલ્હી કેપિટલ્સ ટીમે બનાવેલા નવા નિયમો અનુસાર ફ્રેન્ચાઇઝીની છબી ન બગડે તે માટે ‘કોડ ઓફ કંડકટ’ની આચારસંહિતા લાગુ કરવામાં આવી છે. જેમાં ચુસ્ત નિર્દેશો આપવામાં આવ્યા છે કે ટીમના કોઈ પણ ખેલાડીએ રાત્રે 10 વાગ્યા બાદ કોઈ પણ વ્યક્તિને પોતાના રૂમમાં બોલાવી શકશે નહીં, પછી ભલે તે વ્યક્તિ ખેલાડીનો પરિચિત પણ કેમ ન હોય.

    ‘કોડ ઑફ કંડકટ’ મુજબ જો કોઈ ખિલાડી પોતાના અંગત મહેમાનોને સમયસીમા બાદ મળવા બોલાવવા માંગતા હોય તો તેમણે આ મુલાકાત હોટલના રેસ્ટોરેન્ટ કે કૉફી શોપમાં ગોઠવવાની રહેશે. આ ઉપરાંત જો કોઈ ખેલાડીને કોઈને મળવા બહાર જવું હોય, તો તેના માટે પણ તેને દિલ્હી કેપિટલ્સના અધિકારીઓને જાણકારી આપવાની રહેશે.

    - Advertisement -

    આ એડવાઈઝરી સોમવાર (24 એપ્રિલ 2023)ના રોજ હૈદરાબાદ સનરાઈઝર સાથેની મેચ બાદ ફ્રેન્ચાઇઝી અધિકારીઓએ જાહેર કરી હતી. આ દરમિયાન ખેલાડીઓને ચેતવણી પણ આપવામાં આવી હતી કે જે કોઈ આ નિયમોનું ઉલંઘન કરશે તો તેના પર દંડ લાદવામાં આવશે, આ સિવાય તે ખેલાડીનો કોન્ટ્રકટ પણ રદ થઈ શકે છે.

    અહેવાલો અનુસાર કોડ ઑફ કંડક્ટમાં તેમ પણ કહેવામાં આવ્યું છે કે, જો કોઈ ખેલાડી કોઈ વ્યક્તિને પોતાના રૂમમાં લઈ જવા ઈચ્છતો હોય તો પહેલાં તેણે ટીમના ઈંટીગ્રેટ ઓફિસરને આ વિશે જાણકારી આપવાની રહેશે તેમજ સાથે આવનાર વ્યક્તિનું ઓળખપત્ર પણ મેનેજમેન્ટને આપવાનું રહેશે.

    ફ્રેન્ચાઈઝીના કોડ ઓફ કંડકટમાં ખેલાડીઓને પોતાની પત્ની, પ્રેમિકા તેમજ સહયોગી સ્ટાફ સાથે મુસાફરી કરવાની પરવાનગી આપવામાં આવી છે. પરંતુ તેનો ખર્ચ જે તે ખેલાડીએ પોતે ઉઠાવવાનો રહેશે અને તેની તમામ જાણકારી અધિકારીઓને અગાઉથી જ આપવાની રહેશે.

    આ ઉપરાંત ફ્રેન્ચાઇઝીએ પોતાની ટીમના સભ્યોને તમામ કાર્યક્રમોમાં હાજર રહેવાના નિર્દેશ આપ્યાં છે અને અધિકારીઓએ પહેલેથી જ તમામ ખેલાડીઓને નિયમિત રહેવાની સૂચનાઓ આપેલી છે. IPL ટીમ દિલ્હી કેપિટલ્સ ફ્રેન્ચાઇઝીએ જણાવ્યું છે કે ખેલાડીઓ દ્વારા કરવામાં આવતી સમયની અનિયમિતતા ચલાવી લેવામાં આવશે નહીં.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં