Monday, May 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટછત્તીસગઢના દંતેવાડામાં સુરક્ષાકર્મીઓના વાહન પર મોટો નક્સલી હુમલો: હુમલામાં 10 DRG જવાન...

    છત્તીસગઢના દંતેવાડામાં સુરક્ષાકર્મીઓના વાહન પર મોટો નક્સલી હુમલો: હુમલામાં 10 DRG જવાન પામ્યા વીરગતિ, ડ્રાઈવરનું પણ મોત

    ગૃહ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે ગૃહમંત્રી અમિત શાહે છત્તીસગઢના મુખ્યમંત્રી સાથે ફોન પર વાત કરી અને તમામ મદદની ખાતરી આપી. તેમણે કહ્યું કે રાજ્ય સરકારને જે પણ જરૂર પડશે તે આપવામાં આવશે.

    - Advertisement -

    આજે છત્તીસગઢમાં નક્સલવાદીઓએ મોટી ઘટનાને અંજામ આપ્યો છે. દંતેવાડાના અરનપુરમાં નક્સલવાદીઓએ ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG)ના જવાનો પર હુમલો કર્યો છે. આ હુમલામાં 10 જવાનો વીરગતિ પામ્યા છે. આ સિવાય એક ડ્રાઈવરનું પણ મોત થયું છે.

    અહેવાલોમાં કહેવામાં આવી રહ્યું છે કે નક્સલીઓએ જવાનોના વાહનને નિશાન બનાવીને IED બ્લાસ્ટ કર્યો છે. માહિતી મળ્યા બાદ વધારાની પોલીસ ફોર્સ વિસ્તારમાં રવાના કરવામાં આવી છે. મૃતકોમાં 10 DRG જવાનો અને એક ડ્રાઈવરનો સમાવેશ થાય છે.

    અધિકારીઓએ જણાવ્યું કે “આજે દંતેવાડાના અરનપુર પોલીસ સ્ટેશન હેઠળ માઓવાદી કેડરની હાજરીની બાતમીના આધારે નક્સલ વિરોધી ઓપરેશન માટે દંતેવાડાથી ડીઆરજી ફોર્સ રવાના કરવામાં આવી હતી. પરત ફરતી વખતે અરનપુર રોડ પર માઓવાદીઓ દ્વારા IED બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો, જેના કારણે ઓપરેશનમાં સામેલ 10 DRG જવાન અને એક ડ્રાઈવર વીરગતિ પામ્યા હતા.”

    - Advertisement -

    કહેવામાં આવી રહ્યું છે કે નક્સલવાદીઓના બાતમીદારના કારણે નક્સલવાદીઓએ બ્લાસ્ટને અંજામ આપ્યો છે. વીરગતિ પામેલા તમામ જવાન ડીઆરજીના છે. ડીઆરજીના જવાનો શોધખોળ માટે નીકળ્યા હતા. ગઈકાલે બુધવારે વરસાદના કારણે તેઓ ફસાયા હતા. ફસાયેલા જવાનોને લેવા માટે ડીઆરજીની ટીમ ખાનગી વાહનમાં જઈ રહી હતી.

    સીએમ ભૂપેશ બઘેલે શોક વ્યક્ત કર્યો

    સીએમ ભૂપેશ બઘેલે સમગ્ર મામલે શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું છે કે “નક્સલવાદીઓ સામે લડવામાં આવી રહેલી લડાઈ છેલ્લા તબક્કામાં ચાલી રહી છે. આ હતાશાના કારણે તેઓ આવી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. નકસલવાદીઓને કોઈ પણ સંજોગોમાં બક્ષવામાં આવશે નહીં. અમે આયોજનબદ્ધ રીતે રણનીતિ બનાવીને નક્સલવાદને ખતમ કરીશું.”

    ગૃહ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે ગૃહમંત્રી અમિત શાહે છત્તીસગઢના મુખ્યમંત્રી સાથે ફોન પર વાત કરી અને તમામ મદદની ખાતરી આપી. તેમણે કહ્યું કે રાજ્ય સરકારને જે પણ જરૂર પડશે તે આપવામાં આવશે.

    DRG એટલે શું?

    DRG એટલે ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ, જેઓ છત્તીસગઢ પોલીસના ખાસ કર્મચારી છે. તેમની ભરતી માત્ર નક્સલવાદીઓ સામે લડવા માટે કરવામાં આવી છે. આત્મસમર્પણ કરનારા નક્સલવાદીઓ અને બસ્તરના વાતાવરણમાં ઉછરેલા લોકો આમાં સામેલ છે. નક્સલવાદીઓ સામે અત્યાર સુધીની સૌથી મોટી સફળતા આ જવાનોએ મેળવી છે.

    નોંધનીય છે કે છત્તીસગઢમાં નક્સલવાદીઓએ ઘણી વાર આ રીતે છુપાઈને જવાનો પર હુમલા કર્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં