Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅગ્નિવીરો માટે ગુજરાતમાં જ રોજગારીની અસંખ્ય તક: બનાસ ડેરી અને CREDAI હજારો...

    અગ્નિવીરો માટે ગુજરાતમાં જ રોજગારીની અસંખ્ય તક: બનાસ ડેરી અને CREDAI હજારો અગ્નિવીરોની ભરતી કરશે

    ગુજરાતની બનાસ ડેરી અને રિયલ એસ્ટેટ સંસ્થા CREDAI હજારો અગ્નિવીરોને પોતાને ત્યાં નોકરીઓ આપશે તેવી જાહેરાત બંને સંસ્થાઓએ કરી છે.

    - Advertisement -

    કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાના દેશમાં થઇ રહેલા વિરોધ વચ્ચે અનેક કંપનીઓએ યુવાનો માટે પોતાના દરવાજા ખોલ્યા છે અને રોજગારની તકો આપવાની ઘોષણા કરી છે. જેની વચ્ચે ગુજરાતની બનાસ ડેરીએ પણ અગ્નિવીરો માટે અગત્યની જાહેરાત કરી છે. બનાસ ડેરી ચેરમેન શંકર ચૌધરીએ ગઈકાલે આ જાહેરાત કરી હતી. 

    શંકર ચૌધરીએ જાહેરાત કરતા કહ્યું કે, બનાસ ડેરી અગ્નિવીર યુવાનો માટે તાલીમનું આયોજન કરશે. જેમાં અગ્નિવીર યુવાનોને તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે અને આર્મીની નોકરીના ચાર વર્ષ બાદ બનાસ ડેરી યુવાનોને નોકરીની તકોમાં પણ પહેલી પ્રાથમિકતા આપશે તેવી જાહેરાત તેમણે કરી હતી. બનાસ ડેરીની મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. 

    બનાસ ડેરી ચેરમેન શંકર ચૌધરીએ કહ્યું કે, અગ્નિપથ યોજના હેઠળ સેનામાં ચાર વર્ષ નોકરી કર્યા બાદ યુવાનો બનાસ ડેરીમાં જોડાશે તો ડેરીને પણ એક મજબૂત નેતૃત્વ મળશે અને આ નવા યુવાનો થકી બનાસ ડેરીનો પણ સારો વિકાસ થશે. તેમણે ઉમેર્યું કે, 18 વર્ષના યુવાન 23 વર્ષ સુધી નવા અનુભવો કરશે અને તેનામાં સેનાની દરેક લાક્ષણિકતાઓ હશે. સાથે ડેરીમાં 21-22 વર્ષની ઉંમરના લોકોને ભરતી કરવામાં આવે છે. તેથી અલગ સ્કિલવાળા અને આર્મીમાં અનુભવ હોય તેવા યુવાનો આવશે તો બનાસ ડેરીને પણ ચોક્કસ લાભ થશે. તેમણે એમ પણ કહ્યું કે, આર્મીની અંદર જે ગ્રેડ પર હોય તેનાથી એક ગ્રેડ વધુ આપી યુવાનોની આવડતનો ઉપયોગ કરવામાં આવશે.

    - Advertisement -

    વધુમાં, ગુજરાત સ્થિત ડેવલપર્સ એસોશિએશન ક્રેડાઈ (CREDAI) દ્વારા પણ કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાને આવકારવામાં આવી હતી તેમજ CREDAI તરફથી અગ્નિવીર યુવાનોને રિયલ એસ્ટેટ સેક્ટરમાં દર વર્ષે 3 હજાર નોકરીઓ આપવાનું એલાન કરવામાં આવ્યું છે.  

    CREDAI ના હોદ્દેદારોએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સાથે એક બેઠક કરી હતી અને અગ્નિપથ યોજના અંગે માહિતી મેળવી હતી. જે બાદ CREDAI ગુજરાતના પ્રમુખ અજય પટેલે કહ્યું હતું કે, “અમે કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાને આવકારીએ છીએ. આપણી સેનાએ શિસ્ત અને સમર્પણ માટે જાણીતી છે અને આ યોજના થકી દર વર્ષે પચાસ હજાર યુવાનોને શારીરિક અને કૌશલ્યલસખી તાલીમ આપવામાં આવશે. તેમજ સરકારે આ યુવાનોને ચાર વર્ષની સેવા દરમિયાન આકર્ષક પેકેજ પણ આપશે તેમજ તેમને અગ્નિવીર ગ્રેજ્યુએટ ડિગ્રી પણ મળશે.

    તેમણે જાહેરાત કરતા કહ્યું કે, CREDAI ગુજરાત દ્વારા દર વર્ષે 3 હજાર અગ્નિવીરોને રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં રોજગારની તકો પૂરી પાડવામાં આવશે. તેમણે જણાવ્યું કે CREDAI ની હાર્ટમાં 26 શાખાઓ છે અને ગુજરાતની ટીમ આ તમામ શાખાઓને યોજના વિશે સમજ આપશે અને પ્રયાસ કરશે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં યુવાનોને રોજગારની તકો મળશે તે માટેના પ્રયાસો કરશે. 

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં ટાટા, મહિન્દ્રા જેવા દેશના મોટા ઉદ્યોગ સમૂહો પણ અગ્નિપથ યોજનાના સમર્થનમાં આવ્યા છે અને અગ્નિવીર યુવાનો માટે રોજગાર પૂરો પાડવાનું એલાન કરી ચૂક્યા છે. 

    ટાટા સન્સ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, “અગ્નિપથ દેશના સુરક્ષાબળોમાં સેવા આપવા માટે યુવાનોને મોટી તકો પૂરી પાડશે, તેમજ તેનાથી ટાટા સમૂહ સહિતના ઉદ્યોગોને પણ તાલીમબદ્ધ અને અનુશાસિત કર્મચારીઓ પણ મળશે.” મહિન્દ્રા ગ્રુપના આનંદ મહિન્દ્રાએ પણ કહ્યું હતું કે, અગ્નિવીરોને જે શિસ્ત અને કૌશલ્ય મળશે એ તેમને રોજગાર માટે વધુ કાબેલ બનાવશે. મહિન્દ્રા ગ્રુપ આ પ્રકારના પ્રશિક્ષિત અને સક્ષમ યુવાનોને ભરતી કરી તેમને તક આપશે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં